Breaking News

નવા ઘરેણાની બાબતને લઈને દેરાણી-જેઠાણીએ મારઝૂડ ચાલુ કરી, અંતે થયું એવું કે ઘરના વડીલો જોતા જ રહી ગયા..!

દેરાણી જેઠાણીના સંયુક્ત કુટુંબની અંદર અમુક વખત ખેંચતાણતો સર્જાઈ જતી હોય છે, કારણ કે દરેક વ્યક્તિનું મગજ એક જ સરખી રીતે કામ કરે તેવું શક્ય હોતું નથી, એટલા માટે ઘણી બધી વાર બોલાચાલી થઈ ઊઠે છે, પરંતુ આ તમામ બોલાચાલીઓને ભુલાવી દઈને સુખ શાંતિથી જીવન જીવવું તેને જ સાચી માનવતા કહેવાય છે..

હાલ એક દેરાણી જેઠાણીનો એવો દાખલો સામે આવ્યો છે, જેના વિશે જાણ્યા બાદ વડીલો પણ મોઢું ફાડીને જોતા રહી ગયા છે કે, જો બાળકોને સંસ્કાર આપવામાં થોડી ઘણી પણ કચાશ રાખવામાં આવશે તો આવનારો સમય ખૂબ જ અઘરો સાબિત થવાનો છે. અરવિંદ અને ભરત નામના બે સગા ભાઈઓ સંયુક્ત કુટુંબ માં વંદન પાર્ક સોસાયટીની અંદર રાજી ખુશીથી જીવન જીવી રહ્યા છે..

અરવિંદ અને ભરત બંને કારખાનું ચલાવી રહ્યા છે, જ્યારે તેમની બંનેની પત્નીઓ ઘરે દુપટ્ટા નું કામકાજ કરતી હતી. મોટાભાઈ અરવિંદના દીકરાના લગ્ન નજીક આવી રહ્યા હતા, એ વખતે નવા ઘરેણા ખરીદવા જવાનું હતું. આ સમયે દેરાણી અને જેઠાણી બંને વચ્ચે નવા ઘરેણા ખરીદવાની બાબતને લઈને લડાઈ ઝઘડો શરૂ થઈ ગયો હતો..

જેઠાણીનું કહેવું હતું કે, તેના દીકરાના લગ્ન થઈ રહ્યા છે. એટલા માટે તે લગ્નમાં પહેરવા માટે ઘરેણું ખરીદવા માંગે છે. જ્યારે દેરાણીએ ઘરે જવાની ચોખ્ખી મનાઈ ફરમાવી દીધી હતી, આ બાબતને લઈને દેરાણી જેઠાણી વચ્ચે ન જેવી બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. જ્યારે આ બોલાચાલીના સમાચાર ભરત અને અરવિંદ સુધી પહોંચ્યા ત્યારે તેમણે પણ આ બંને દેરાણી જેઠાણી ને લડાઈ ઝઘડો ન કરવા માટે જણાવ્યું હતું..

અને આ વાતનું નિરાકરણ શાંતિથી વાત કરીને આવી જશે તેમ જણાવ્યું હતું, પરંતુ આ બંને દેરાણી જેઠાણીએ એકબીજા સાથે લડાઈ કરવાનું શરૂ જ રાખ્યું અને આખરે બે દિવસની આ લડાઈમાં અંતે મારઝુડ પણ ચાલુ થઈ ગઈ હતી. સવારના સમયે ભરત અને અરવિંદ તો પોતાના વ્યવસાયે ચાલ્યા ગયા હતા..

અને ત્યારબાદ આ દેરાણી જેઠાણીએ મારપીટ શરૂ કરી દેતા આ ઝઘડાનો અંત બહુ જ કરુણ રીતે આવ્યો હતો, નિર્મલા નામની દેરાણીએ વિમળા નામની તેની જેઠાણી ને માથાના ભાગે કુકરનો ઘા મારી દેતા વિમળાનું માથું ફાટી ગયું હતું અને તેનું લોહી નીકળવા લાગ્યું, છતાં પણ નિર્મલાએ માર મારવાનું શરૂ જ રાખ્યું હતું..

પરિણામે વધુ પડતું લોહી નીકળી જવાને કારણે વિમળાનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું, ઘરની અંદર ઘરેણા ખરીદવાની બાબતને લઈને શરૂ થયેલો આ લડે ઝઘડો અંતે એક વ્યક્તિનો જીવ લઈને બેઠો હતો. જ્યારે સાંજના સમયે આ બંને સગા ભાઈઓ પોતાના વ્યવસાયથી આવ્યા ત્યારે જોયું તો વિમળા મૃત હાલતમાં નીચે ઢળી પડેલી હતી..

જ્યારે નિર્મલા ની હાલત પણ ખૂબ જ ગંભીર બની ગઈ હતી અને તે તેની જેઠાણીના મૃત્યુના આઘાતને લઈ ત્યાં ને ત્યાં નીચે બેસી ગઈ હતી, આ દ્રશ્ય જોઈને બંને સગા ભાઈઓના પણ મોતિયા મરી ગયા હતા. ભરત તરત જ તેની ભાભીને હોસ્પિટલે લઈ જવા માટે દોડતો થઈ ગયો હતો, પરંતુ સવારના સમયે જ વિમળાનું મૃત્યુ થઈ ગયું હતું..

હવે તેને હોસ્પિટલે લઈ જઈને પણ કોઈ પણ ફાયદો રહ્યો હતો નહીં, આ ઘટનાને લઇ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરવિંદ પોલીસ સ્ટેશનને ગયો હતો અને ત્યાં ફરિયાદ પણ નોંધાવી દીધી હતી કે, ઘરેલું ઝઘડાની અંદર દેરાણીએ તેની જેઠાણીને માથા ઉપર ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે..

ઘટનાના સમાચાર આ બંને ભાઈઓના વડીલ માતા-પિતાને જ્યારે ગામડે મળ્યા ત્યારે તેમના પણ હોશ ઉડી ગયા હતા, નજેવી બાબતને લઈને શરૂ થયેલો આ લડાઈ ઝઘડો અંતે કોઈ વ્યક્તિનું મૃત્યુનું કારણ બની ગયો હતો. આ ઘટના જ્યારે સર્જાય ત્યાર બાદ નિર્મલાને પણ હવે ખૂબ જ પછતાવો થવા લાગ્યો હતો કે, નજીવા ઘરેણાની બાબતને લઈ તેણે તેની જેઠાણીને મોતને ઘાટ ઉતારી દીધી છે..

એ વખતે ગુસ્સામાં તેણે કાવું ખોઈ નાખ્યું હતું અને પોતાની જ જેઠાણીને માથામાં ઘા મારી દીધા હતા. ઘટનાને લઈને પોલીસ તપાસ ચલાવવામાં આવી રહી છે, દરેક વ્યક્તિઓની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે અને ત્યારબાદ આ કેસને આગળ વધારવામાં આવશે. અને દોષિતોને સજા પણ થશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *