Breaking News

નાનકડા દીકરાની માનતા પૂરી કરવા માતાજીના મઢે જતા પરિવારની કારનો અકસ્માત થતા એક સાથે 4 લોકોના મોત, સમગ્ર પરિવાર હિબકે ચડ્યો..!

દિવસેને દિવસે ઘરની બહાર નીકળતા ઘણા બધા અકસ્માતો થયાની જાણ થાય છે અને આવા અકસ્માતો આજકાલ ખુબ જ જીવલેણ બની રહ્યા છે. ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના ઘણા બધા વ્યક્તિઓના જીવ જોખમમાં મુકાઈ જાય છે અને એક સાથે વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક ઘટના હાલ સામે આવી હતી.

આ ઘટના લાલગંજ  પાસેના રોડ ઉપર બની છે. આ જીવલેણ અકસ્માત એક પરિવાર સાથે સર્જાયો હતો. આ પરિવાર લાલગંજ વિસ્તારમાં આવેલા એક સોસાયટીમાં રેહતો હતો. પરિવારમાં દાદા-દાદી અને તેમનો દીકરાનો દીકરો રહેતો હતો. દાદીનું નામ જશોદા અને દાદાનું નામ સંજીવ હતું.

સમગ્ર પરિવાર તેમના પૌત્રની માનતા પૂરી કરવા માટે માતાજીના મઢે દર્શન કરવા માટે જતો હતો.  પરતું એ પહેલા જ એક દુખદ ઘટના બની જવા પામી છે. તેઓ કાર લઈને હાઈવે ઉપર જતા હતા ત્યારે મોડી રાત્રે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હોવાની જાણ મળી છે. તેમજ અન્ય 1 યુવક ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે.

તેઓ જ્યારે હાઈવે ઉપરથી પસાર થતા હતા ત્યારે ભીમસતારના પાટિયા નજીક ઓવરટેક કરતા સ્વીફ્ટ ગાડી અને ટેન્કર વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે કારના કુરચે કુરચા બોલી ગયા છે. સ્વીફ્ટ ગાડી અને સામેથી આવતું ભારે ટેન્કર ખુબ મોટા વેગથી અથડાયા હતા.

જેના લીધે સ્વીફ્ટ કારમાં સવાર ચારે ચાર લોકોના મોત થયા છે. આ ચારેયના મૃતદેહને નજીકના વિસ્તારની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ કાળમુખા અકસ્માતમાં મૃતક લોકો રતલામ પાસેના હોવાનું સામે આવ્યું છે. એક વ્યક્તિને વધતા ઓછા પ્રમાણમાં ઇજા થતા 108 મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડ્યો છે.

અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તો અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસ ટ્રાફિકને નિયંત્રિત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે પરિવારને જાણ કરતા પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *