આજકાલ લોકો પોતાના કામ માટે બીજા લોકોને હેરાન કરીને માનસિક ત્રાસ આપીને પોતાના સ્વાર્થ માટે કામો કઢાવી રહ્યા છે. આવ્યા ઘણા બધા કિસ્સાઓ આજકાલ ખૂબ જ જોવા મળી રહ્યા છે. દિવસેને દિવસે આવા કિસ્સાઓ વધવાને કારણે હાલમાં એવો પણ એક કિસ્સો સામે આવ્યો હતો. જે જોઈને દરેક લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા.
આ ઘટના મુઝફ્ફરનગરમાં રહેતા પરિવારના યુવક સાથે બની હતી. આ શહેરમાં કોતવાલી વિસ્તારના કથેરા મોચીયાંમાં યુવક ઘણા સમયથી દુકાન ચલાવી રહ્યા હતા. યુવકનું નામ અર્જુનસિંહ હતું. અર્જુનસિંહ તેમના પરિવારમાં પત્ની સાથે રહેતા તેમની પત્નીનું નામ મંજુસિંહ હતું. અર્જુનસિંહ ની ઉંમર 40 વર્ષની હતી.
તેઓ દારૂની દુકાન ઘણા સમયથી ચલાવી રહ્યા હતા. અર્જુનસિંહ ઘણા સમયથી આ ધંધો કરતા જેના કારણે ઘણા બધા વેપારીઓ તેની દુકાન પર પણ આવતા હતા. અર્જુનસિંહ કેટલાક વેપારીઓને સારી રીતે ઓળખતા પરંતુ આ વેપારીઓ અર્જુનસિંહની દુકાન લઈ લેવા માગતા હતા, જેના કારણે વેપારીઓ અવારનવાર અર્જુનસિંહને ત્રાસ આપતા હતા.
વેપારીઓ દુકાન પોતાને સોંપી દેવા માટે દબાણ કરતા વેપારીઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો હતો અને દુકાન હડપવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેના કારણે અર્જુનસિંહ આ દુકાન પોતાની છે અને તે કોઈના નામે નહીં કરે તેમ કહેતો હતો. જેના કારણે વેપારીઓએ એક દિવસ ખૂબ જ ધમકાવ્યો હતો અને દુકાન જો નામે ન કરી આપે તો,..
તેમના પર ખોટા આરોપ લગાવવામાં આવશે તેમ કહ્યું હતું. જેના કારણે વેપારીઓએ અર્જુનસિંહ પર ખોટા આરોપો લગાવ્યા હતા કે વેપારી પાસેથી અર્જુનસિંહ એ 550 ગ્રામ સોનું લીધું છે અને તે પરત કરી રહ્યો નથી આવા આરોપણ લગાવીને અર્જુનસિંહ ને સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં બોલાવીને ધમકીઓ આપવામાં આવી હતી.
જેના કારણે અર્જુનસિંહ ખુબ જ કંટાળી ગયો હતો અને તે આઘાતમાં આવી ગયો એક દિવસ તેણે આઘાતમાં પોતાના ઘરે ગયો અને તણાવમાં રહેતો હોવાને કારણે પત્ની ઘરે ન હોવાનો લાભ ઉઠાવી અર્જુનસિંહ ઝેરી દવા ગટગટાવી લીધી અને પોતે આપઘાત કરી લીધો હતો. પત્નીએ ઘરે આવીને જોયું તો તેમનો પતિ મૃત હાલતમાં હતા.
જેના કારણે પત્ની ખૂબ જ ચિંતામાં આવી ગઈ હતી અને તેમણે સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં આ વેપારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. વેપારીઓએ અવારનવાર તેમના પતિ પર દબાણ કરીને દુકાન નામે કરવા માટે કહ્યું હતું અને તેના પર ખોટા આરોપ પણ લગાવ્યા હતા જેના કારણે તેના પતિ માનસિક તણાવમાં આપઘાત કરી લીધો હતો. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]