Breaking News

નાના દીકરાની વહુએ પરિવારને ચકમો આપી બહેન-જીજાજી સાથે મળીને ન કરવાનું કરી નાખતા મચી ગયો કોહરામ, ઉભેલા થરથર ધ્રુજી ગયા..!

દરેક વિસ્તારોમાંથી આજના સમયમાં એવા કિસ્સાઓ જોવા મળે છે કે, જે જોઈને આવનારી પેઢી પણ આવળા રસ્તે દોરાઈ રહી છે. આજકાલ ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારમાં ગુનાખોરી ખૂબ જ વધી છે. આવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો હતો. આ કિસ્સો બેતુલ શહેરના મોતી વોર્ડમાં રહેતા બાગમેરાના બંધ મકાનમાં બન્યો હતો.

પરિવારમાં શિવ ચરણ તેમના પરિવાર સાથે રહેતા હતા. જેમાં મોટા દીકરાનું નામ રામેશ્વર છે. તેઓ બાગમારેમાં રહે છે. પરિવારમાં 2 દીકરાઓ અને તેમની દીકરાની પુત્ર વધુ રહે છે. એક દિવસ પરિવારના લોકો રાખીનો તહેવાર મનાવવા માટે સરની ગામ ગયા હતા. પરિવારના દરેક લોકો ઘર બંધ કરીને નીકળ્યા હતા.

પરિવારની નાની વહુ સંધ્યા પણ તેમના પરિવાર સાથે જવા નીકળી હતી. ત્યારબાદ રસ્તામાં તેમની બહેનનું ગામ આવતું હોવાને કારણે તેણે બહેનના ગામે કામ હોવાથી ત્યાં જ ઉતારી દેવા કહ્યું હતું. સંધ્યાની બહેન સરિતા તેમના પતિ ભૈયાલાલ સાથે સીતાકમઠ રાણીપુરમાં રહે છે, જેના કારણે સંધ્યા રાણીપુરમાં જ ઉતરી ગઈ હતી.

તે સમયે સંધ્યાએ પોતાના ઘરનો રસોડાનો દરવાજો ખુલ્લો મુક્યો હતો અને સરિતા તેમની મોટી બહેન અને તેમના જીજાજી સાથે ઘરે પાછી ગઈ હતી. સરની જવાને બદલે તે પોતાની મોટી બહેન અને જીજાની સાથે બેતુલ પાછી આવી હતી. ત્યારબાદ પાડોશીના લોકોને ખબર ન પડે તેવી રીતે ઘરના પાછળના દરવાજેથી ત્રણેય ઘરમાં ઘૂસ્યા હતા.

ઘરમાં ઘૂસીને દરેક કબાટ ખોલીને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ પૈસાની ચોરી કરી લીધી હતી અને એક બેગમાં ભરીને ત્રણે પાછા રસોડાના દરવાજેથી બહાર નીકળી ગયા ત્યારબાદ સંધ્યા તેમના પરિવાર સાથે સરની પહોંચી ગઈ હતી. ઘરે પરત આવતા પરિવારના લોકોએ જોયું તો ઘરમાં કબાટમાં મુકેલા દાગીના અને રોકડ પૈસા ગાયબ હતા.

પરંતુ પરિવારના લોકોને કોઈપણ વાતની જાણ ન હતી. જેના કારણે પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી અને પોલીસે તપાસ કરતા સમયે સંધ્યા પર શંકા જતી હતી. સંધ્યાની કડક પૂછપરછ કરી હતી અને આ ચોરીની ઘટના ઘરના સભ્યોમાંથી જ કોઈએ કરી હોય તેવું પોલીસને લાગી રહ્યું હતું. કારણ કે કબાટના લોક તોડવામાં આવ્યા ન હતા.

અને કોઈ પણ દરવાજાને તોડ્યા ન હતા. જેના કારણે પોલીસને કોઈ ઘરનું જ વ્યક્તિ હોવાની શંકા જતી હતી. જેના કારણે પોલીસે સંધ્યાની કડક પૂછપર જ કરતા સંધ્યાએ દરેક વાત બતાવી દીધી હતી. સંધ્યાએ તેની મોટી બહેન અને જીજાજી સાથે મળીને 6 લાખથી વધુ કિંમતની દાગીનાની ચોરી કરી હતી. અને સાથે રોકડ પૈસા પણ ઘણા લૂંટી લીધા હતા.

સંધ્યાએ ચોરી કર્યું હોવાનું જાણીને પરિવારના લોકો ખૂબ જ ગુસ્સામાં આવી ગયા હતા અને તેઓ આઘાતમાં આવી ગયા હતા કે તેમના જ ઘરની પુત્રવધુ એ ઘરની ઘરના લોકો સાથે આવી ઘટના કરી નાખી હતી. આજકાલ લોકો પોતાના સ્વાર્થ માટે તેમના પરિવારને પણ દુઃખ પહોંચાડી રહ્યા છે. પરિવારના લોકોએ ક્યારેય વિચાર્યું ન હોય એવું બની ગયું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *