માતા-પિતા પોતાના બાળકોને ખૂબ જ લાડ પ્યારથી ઉછેરીને મોટા કરે છે. માતા-પિતા પોતાના બાળકોને કોઈપણ સ્વાર્થ રાખ્યા વગર મોટા કરી રહ્યા છે અને બાળકો પોતાની જિંદગીમાં સારી જગ્યાએ પહોંચે તેવા પ્રયત્ન કરી રહ્યા હોય છે પરંતુ માતા-પિતાના વૃદ્ધાવસ્થામાં બાળકો આ દરેક વાતોને ભૂલી રહ્યા છીએ અને તેમના માતા પિતા સાથે એવું ખરાબ વર્તન કરી રહ્યા છે.
કે હાલમાં આવી એક ઘટના સામે આવી છે. આ ઘટના સુરતના ઓલપાડના કુડસદ ગામમાં રહેતા પરિવારના વડીલ પિતા સાથે બની હતી. પિતાનું નામ પ્રતાપભાઈ વસાવા હતું. તેમની ઉંમર 60 વર્ષની હતી. પ્રતાપભાઈને સંતાનમાં બે દીકરા છે. જેમાં મોટા દીકરાનું નામ રવિ છે અને નાના દીકરાનું નામ દિલીપ છે.
પ્રતાપભાઈ તેમના મોટા દીકરા સાથે રહેતા હતા. પ્રતાપભાઈએ પોતાના બંને દીકરાઓને દરેક મિલકતો સોંપી દીધી હતી. જેના કારણે તેઓ નિવૃત્ત થઈ ગયા હતા અને તેમના દીકરાઓ સાથે રહીને ગુજરાન ચલાવી રહ્યા હતા. પ્રતાપભાઈએ તેના મોટા દીકરા રવિ સાથે રાજી ખુશીથી રહેવા ગયા હતા પરંતુ રવિ તેની પત્નીના પિતા કાંતિભાઈ સાથે મળીને પ્રતાપભાઈને ખૂબ જ હેરાન કરી રહ્યા હતા.
અવારનવાર પ્રતાપભાઈ સાથે ઝઘડાઓ કરતા હતા. રવિ તેમના પિતાની દરેક જવાબદારીઓને પૂરી કરવાને બદલે પોતાના સસરા ક્રાંતિભાઈ સાથે મળીને પ્રતાપભાઈને હેરાન કરી રહ્યો હતો. પ્રતાપભાઈ એક દિવસ સવારના સમયે બસ સ્ટેન્ડ પાસેથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેના કારણે ત્યાંથી પસાર થતા લોકોએ રવિભાઈને તેમના પિતાને આ વાત જણાવી હતી.
રવિભાઈને પોતાના પિતાના મૃત્યુના સમાચાર મળતા કોઈપણ શોક લાગ્યો નહીં અને તેણે પિતા સાથે શું બન્યું છે તેમ જાણવાને બદલે સગા સંબંધીઓ સાથે મળીને તેમના પિતાની અંતિમવિધિઓ કરી નાખી હતી. ત્યારબાદ તેમના નાના દીકરાને તેના પિતા સાથે કોઈ ખોટી વાત થઈ છે તેમ લાગી રહ્યું હતું. અને પિતાના મૃત્યુને કારણે નાનો દીકરો દિલીપભાઈ ખૂબ જ હેરાન થઈ રહ્યા હતા.
દિલીપભાઈ સુરતમાં નોકરી કરતા હતા. છતાં પણ તેમને પોતાના પિતા સાથે કોઈપણ ખોટી અને મોટી દુર્ઘટના બની છે તેમ લાગી રહ્યું હતું. દિલીપભાઈ તેના મોટા ભાઈ રવિને આ અંગે પૂછ્યું હતું. પરંતુ રવિ જવાબ આપવાને બદલે તેને પણ મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે તેમણે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં પોતાના પિતાના મૃત્યુ થયાની ફરિયાદ નોંધાવી હતી.
અને તેમ જેના કારણે પોલીસે દરેક સગા સંબંધીઓ તેમજ મોટા દીકરા રવિની પૂછપરછ ચાલુ કરી હતી. તે સમયે રવિએ કોઈપણ વાત જણાવી ન હતી. પરંતુ પોલીસે કડક પૂછપરછ કરતા 25 દિવસ પછી રવિએ જણાવી દીધું હતું કે, તેમણે પોતાના પિતાની સાથે અન્યાય કર્યો હતો અને માથામાં પથ્થર મારીને તેમના પિતાનું મૃત્યુ કરી નાખ્યું હતું.
પથ્થરના પથ્થરના ઘા મારીને તેમણે પોતાના પિતાને પતાવી દીધા હતા. દિલીપભાઈને આ વાતની જાણ થતા તેઓ ખૂબ જ ગભરાઈ ગયા હતા અને ખૂબ જ રડી રહ્યા હતા. તેમના પિતાનું આવું કરુણ મોત સગા દિકરાએ જ કરી નાખતા તેઓ આઘાત સહન કરી શક્યા નહીં. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. આજના સમયમાં આવી ઘટના ખુબ બની રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]