છેલ્લા કેટલાક દિવસોથી દશામાના વ્રત ચાલી રહ્યા હતા. જેમાં ભક્તો પોતાના ઘરે દશામાની મૂર્તિ ની સ્થાપના કરે છે. પૂજા અર્ચના કર્યા બાદ અંતિમ દિવસે દશામાની મૂર્તિને પધારવામાં આવતી હોય છે. મીનાવાડા ખાતે આવેલા દશામાના મંદિરે હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યા હતા..
આજે સવારે સૌ કોઈ લોકો દશામાની મૂર્તિને પધારવા માટે નદી સરોવર કે તળાવમાં જતા હોય છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કડિયાદરા ગામ પાસે ઘઉંવા નદી પસાર થાય છે. કડીયાદરા ગામનો એક યુવાન દશામાની મૂર્તિને પધરાવવા માટે ઘઉંના નદીને કાંઠે ગયો હતો. આ યુવકનું નામ કમલેશ ઠાકોર છે..
જાગરણના બીજા દિવસે આ વ્રત પૂર્ણ થતા તે દશામાની મૂર્તિ પધરાવવા માટે ગયો હતો. પરંતુ ત્યાં મૂર્તિ પધરાવતી વેળાએ અચાનક જ તેનો પગ લપસી જતા તે નદીના વહેતા પ્રવાહમાં તણાયો હતો. અચાનક જ તે પાણીમાં ગરકાવ થઈ જતા તેની સાથે આવેલા અન્ય વ્યક્તિઓએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો..
પરંતુ પાણીના વધારે પડતા વહેણને કારણે તેઓ તેને બચાવી શક્યા નહીં અને ગામમાં આવીને તેઓએ સૌ કોઈ લોકોને જણાવ્યું કે, કમલેશ ઠાકોર પાણીમાં તણાઈ ગયો છે. તાત્કાલિક ધોરણે પોલીસ અને ફાયર વિભાગની ટીમોને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી અને ઈડર ફાયર વિભાગના અધિકારીઓ તાત્કાલિક આ ઘઉંઆના નદીને કાંઠે પહોંચ્યા અને કમલેશભાઈની શોધખોળ શરૂ કરવામાં આવી હતી..
અંદાજિત ઘણા સમયે પછી તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસ આગળની કરી વાહી શરૂ કરી રહી છે. જ્યારે કમલેશભાઈના પરિવારજનોને જાણ થશે કે, તેમના વહાલ સોયા સભ્યોનું મૃત્યુ થયું છે. ત્યારે તેમના પર આફતોના વાદળ ફાટી નીકળશે..
તેઓ માતાજીની મૂર્તિ પધરાવવા માટે ગયા હતા પરંતુ પગ લપસતા અંતે તેમનું જ મૃત્યુ થઈ ગયું છે. આ દુઃખ ભર્યા માહોલમાં ગામના સૌ કોઈ લોકોએ અશ્રુભીની આંખે તેમને વિદાય આપી હતી. તેમજ ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. માતાજીની મૂર્તિ કે ગણપતિની મૂર્તિ પધરાવતી જતી વેળાએ ખૂબ જ સાવચેતી રાખવી પડે છે..
કારણ કે સહેજ પણ ગામ તેમ થાય કે વ્યક્તિને મોતનો સામનો કરવાનો વારો આવે છે. ગણેશ ઉત્સવના વિસર્જન વખતે પણ રાજ્યમાંથી ઘણા બધા ડૂબી જવાના બનાવો સામે આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી વિસર્જનની સમગ્ર કામગીરી પાલિકા અને મહાનગરપાલિકાના અધિકારીઓને સોંપી દેવામાં આવતા ડૂબી જવાને કારણે મૃત્યુ આંક ખૂબ જ ઓછો થયો છે. પરંતુ હજુ પણ ગામડાના વિસ્તારોમાંથી ડૂબી જવાની ઘટનાઓ સામે આવે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]