હજુ પણ ઘણા બધા લોકો કપડાં ધોવા માટે તેમ જ છુટા પાણીનો ઉપયોગ કરવા માટે નદી કિનારે ચાલ્યા જતા હોય છે, ત્યાં બનાવવામાં આવેલા ઘાટ પાસેથી કપડા ધોઈને પોતાનું કામકાજ પૂર્ણ કરી નાખે છે. ગામડામાંથી પસાર થતી નદીના કાંઠે મોટાભાગે ઘાટ બનાવવામાં આવેલો હોય છે, અને આ ઘાટ ઉપર ગામના લોકો કપડા તેમજ વાસણ ધોવા માટે આવી પહોંચતા હોય છે..
અત્યારે ગામમાં રહેતી કેટલીક મહિલાઓ નદીના ઘાટ પાસે કપડાં ધોવા માટે આવી પહોંચી હતી અને એ વખતે તેઓએ પોતાની જ નજરની સામે એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે, તેમના મોતિયા મરી ગયા હતા. આ ઘટનાને લઈને સમગ્ર ગામમાં પણ ફફળાટનો માહોલ સર્જાઈ ગયો છે, આ ઘટના એદરાડા ગામની છે..
આ ગામની અંદર અંદાજે 1500 વ્યક્તિઓની વસ્તી વસવાટ કરી રહી છે, ગામના પાદરમાંથી થોડી નદી વહી રહી છે, આ નદીનું પાણી ગામના લોકો જીવન જરૂરિયાતના વપરાશ માટે વાપરતા હોય છે. ગામમાં રહેતા કેટલાક લોકો પોતાના કામકાજ માટે અહીં આવી પહોંચતા હતા એવામાં શીતલ, રમીલા અને ગીતા નામની ત્રણ મહિલાઓ નદીના કિનારે બનાવેલા ઘાટ પાસે કપડાં ધોવા માટે આવી પહોંચ્યા હતા..
તેઓ રોજબરોજ પોતાના ઘરેથી ધોવા માટેના કપડા આ નદીના ઘાટ પાસે લઈ જતા અને ત્યાં તેઓ કપડા ધોઈને પરત પોતાના ઘરે આવી જતા હતા, આ ત્રણેય મહિલાઓ સવારના સમયે પોતાના ઘરેથી કપડાં ધોવા માટે નીકળી ગઈ હતી. જ્યારે તેઓ ઘાટ પાસે પહોંચ્યા ત્યારે તેણે એવું દ્રશ્ય જોઈ લીધું કે, તેના મોતિયા મરી ગયા હતા..
અને આ ત્રણેય મહિલાઓ કપડાના ટબ ત્યાં જ મૂકીને પોતાના ઘરે દોડતી થઈ ગઈ હતી, તેઓ તાબડતોબ ઘાટ પાસેથી દોડતી દોડતી પોતાના ઘરે આવી અને પોતાના પતિઓને જણાવ્યું કે, નદીના ઘાટ પાસે કોઈ અજાણી વ્યક્તિને મોતને ઘાટ ઉતારીને ફેંકી દેવામાં આવ્યો હોય તેવું દ્રશ્ય તેમની નજરે ચડ્યું છે..
અને જોઈને તેમને ઉલટીઓ થવા લાગી હતી, કારણ કે અસહ્ય વાસ તેઓ સહન કરી શક્યા નહીં અને ડર લાગતા તેઓ અહીં દોડી આવ્યા છે. તેમના કપડાનું ટબ પણ નદી કિનારે જ પડેલું રહી ગયું છે, આ ત્રણેય મહિલાઓએ તેના પતિઓને આ વાતની જાણકારી મળતા આ ત્રણેય પતિઓ કામના અન્ય કેટલાક આગેવાનોને સાથે લઈને નદીના ઘાટ પાસે પહોંચી ગયા હતા..
અને ત્યાં જઈને તેઓએ તપાસ શરૂ કરી તો હકીકતમાં ત્યાં કોઈ અજાણી વ્યક્તિને ખૂબ જ ખરાબ અને દર્દનાક રીતે મોત આપવામાં આવ્યું હોય અને ત્યારબાદ અહીં ફેંકી દેવામાં આવ્યો હોય તેવું લાગતું હતું, આ દ્રશ્ય જોઈને તેમના પણ હોશ છૂટી ગયા, સમગ્ર ગામમાં પણ વાત ફેલાઈ ગઈ હતી કે, નદીના ઘાટ પાસે કોઈ વ્યક્તિને મોતને ઘાટ ઉતારીને ફેંકી દેવામાં આવ્યો છે..
અને તેની લાશ જોવા માટે ગામમાં રહેતા ઘણા બધા લોકો ત્યાં પડ્યા હતા, ઘટનાના સમાચાર રેન્જમાં આવતા પોલીસ સ્ટેશનમાં પણ મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસનો કાફટના સ્થળે દોડી આવ્યો હતો અને આ લાશ વિશે તપાસ મેળવવામાં આવી હતી ત્યારે લાશના પાકીટમાંથી મળેલા પુરાવો તરફથી ખબર પડી કે, આ લાશ તેમના પડોશના ગામમાં કરિયાણાની દુકાન ચલાવનાર યુવકની છે..
આ યુવકને તેના જ ગામમાં રહેતા કેટલાક માથાભારે યુવકો સાથે લડાઈ ઝઘડો શરૂ થઈ ગયો હતો, નક્કી આ માથાભારે વ્યક્તિ હોય જ આ યુવકને મોતને ઘાટ ઉતારીને અહીં ફેંકી દીધો હશે તેવું લાગી રહ્યું છે, શંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી જેમાં પડોશીના ગામના ઘણા બધા લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા અને શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરીને તેમની કડક પૂછપરછ પણ થઈ રહી છે..
આ ઘટના આટલી બધી ચોંકાવનારી હતી કે, હવે નદીના ઘાટ પાસે જતા પણ ઘણા બધા લોકો ડરી રહ્યા હતા. આ લાશ એટલી બધી દુર્ગંધ ફેલાવી રહી હતી કે, ત્યાંથી પસાર થતા કેટલાક લોકોને પોતાના માટે રૂમાલ બાંધી દેવો પડતો હતો. આ લાશને તાત્કાલિક ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપવામાં આવી છે..
તેને કેવી રીતે મોતને ઘાટ ઉતારાયો છે, તેમજ તેનું મૃત્યુ થયો તેનો કેટલો સમય વીત્યો છે, વગેરેની માહિતીઓ ત્યાંથી ખબર પડી જશે. રોજબરોજા આંતરિક વિખવાદોની અંદર ગુનાખોરીના કિસ્સા ખૂબ જ વધારે વધી ગયા છે, આ ગુનાખોરીને તંત્ર ખૂબ જ સતર્કતાથી લઈ રહ્યું છે. છતાં પણ લોકો નાની નાની બાબતોમાં ગુસ્સે થઈને એકબીજાને વ્યક્તિને મોતને ઘાટ ઉતારવાનું મનમાં નક્કી કરી રાખતા હોય છે, આવી રીતે ખુલ્લેઆમ દાદાગીરી કરતા લોકો સામે અત્યારે કડકમાં કડક કાર્યવાહી થઈ રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]