એવી ઘણી બધી રહસ્યમય ઘટનાઓ જ્યારે આપણી નજર સામે આવે છે, ત્યારે તેને જાણતાની સાથે જ આપણને એક આંચકો લાગે છે. અને વિચારવા મજબૂર બની જઈએ કે, આ ઘટના કેવી રીતે શક્ય બની હશે. અત્યારે અમે તમને એક એવી જ અત્યંત ચોખાવનારી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ..
આ બનાવ કાબલપુર ગામમાંથી સામે આવ્યો છે. આ ગામની નજીકથી સીમપાડા નામની એક નદી પસાર થઈ રહી છે. ગામના સરપંચ દરરોજ સવારના સમયે ચાલીને આ નદી પાસેથી પસાર થઈ તેમના ખેતરે જતા હતા. એક દિવસ જ્યારે તેઓ સવારે તેમના ખેતરે જઈ રહ્યા હતા, ત્યારે નદીના કિનારે એક થેલો દેખાઈ આવ્યો હતો..
અને આ થેલાની અંદર કઈ ચીજ વસ્તુ હલનચલન કરતી હોય તેવું લાગતું હતું. આ દ્રશ્ય જોતા તેઓ આ થેલાની થોડેક નજીક ગયા અને અચાનક થેલામાંથી વિચિત્ર અવાજ પણ આવવા લાગ્યો હતો. ત્યાં આસપાસ અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હોવાને કારણે ઘડીક વારમાં જ સરપંચને પરસેવો વળી ગયો અને તેઓ વિચારમાં મજબૂર બન્યા કે, હવે શું કરવું જોઈએ..
તેઓએ હિંમત કરીને આ થેલાની નજીક ગયા અને જ્યારે આ થેલાનું મોઢું ખોલ્યું ત્યારે અંદરથી જે દ્રશ્ય જોયું તે જોઈને તેમના મોઢામાંથી બરોડા ફાટી ગયા હતા. આ થેલાને ખોલતાની સાથે છે જ તેઓએ જોયું તો અંદર તાજું જ જન્મેલું એક નવજાત બાળક હતું. જેને તેના માતા પિતાએ જન્મતા વેત જ તરછોડી દીધું હોય તેવું જણાયું હતું..
આ દ્રશ્ય જોઈને જ તેમના રુવાટા ઉભા થઈ ગયા તેઓ તરત જ ગામમાં દોડી ગયા અને અન્ય વ્યક્તિઓને ત્યાં બોલાવીને લાવ્યા હતા. તમામ લોકોને જણાવ્યું કે, આ થેલાની અંદરથી એક નવજાત જન્મેલો બાળક મળી આવ્યો છે. તેની હાલત ખૂબ જ ગંભીર હોવાને કારણે ગામના લોકોએ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ સુધી લઈ ગયા હતા..
ઘટનાની જાણકારી તેઓએ પોલીસ સ્ટેશનને પણ પહોંચાડી હતી કે નદીના કિનારેથી એક થેલામાં એક નવજાત બાળક મળી આવ્યો છે. આ ઘટના આટલી બધી ચોખાવનારી હતી કે, સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે, આ બાળકના માતા-પિતા નું મગજ કેવું હશે કે તેઓએ તેમના તાજા જ જન્મેલા બાળકને રખડતી હાલતમાં ફેંકી દીધો છે..
શું તેમને તેમના બાળકને અહીં ગંભીર હાલતમાં મૂકી દેતા પહેલા એક પણ વાર વિચાર આવ્યો નહીં હોય વગેરે જેવા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે આસપાસના ગામડાઓમાંથી કયા વ્યક્તિના ઘરે તાજા જ બાળકનો જન્મ થયો છે. તેની પણ જાણકારી મેળવવામાં આવી રહી હતી..
પાછળના ઘણા સમયથી એવી ઘણી બધી ઘટના સામે આવી ચૂકી છે કે, જેમાં બાળક જન્મતા ની સાથે જ બાળકને છોડીને તેના માતા પિતા જતા રહે છે. ત્યારબાદ તેઓને તેમના બાળકની સહેજ પણ ચિંતા રહેતી નથી કે, તેમના બાળકો જીવતો હશે કે મૃત્યુ પામી ગયો હશે આવા ઘણા બધા માતા-પિતાને તંત્રએ પકડી પણ પાડ્યા છે કે, જે તેમના બાળકને રખડતા મૂકીને ચાલ્યા જાય છે..
જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે સૌ કોઈ લોકો કહી બેસે છે કે, જો બાળકને સાચવવાની ત્રેવડ ન હોય તો બાળકને જન્મ શા માટે આપતા હશે. આવી ઘટના ભલભલાના રુંવાટા બેઠા કરાવી દે છે, જયારે આવો બનાવ આપડે જોઈએ ત્યારે એવું થવા લાગે છે કે હકીકતમ આવા માં-બાપને શું એક પણ વાર તેના બાળક ઉપર દયા આવી નહી હોઈ..?
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]