રોજની જેમ રામાકાંત દાસ નામના પૂજારી તેમના ગામના પાદરમાંથી પસાર થતી નદીઓ નાહવા માટે જતા હતા. પરંતુ એક દિવસે તેઓએ આ નદીમાં એવી ચીજ વસ્તુ જોઈ લીધી હતી કે, તે જોતાની સાથે જ તેમના હોશ છૂટી ગયા હતા. આ ઘટના દમાડા ગામની છે. આ ગામમાં રામાકંતદાસ નામના પૂજારી તેમના પરિવાર સાથે રહે છે..
અને ગામના રામજી મંદિરની અંદર તેઓ સેવા બજાવી રહ્યા છે. સવારના સમયે મંદિરે આરતી કરે એ પહેલા તેઓ નદીએ નાહવા માટે પહોંચી જાય છે. પરંતુ એક સવારે તેઓ જ્યારે નદીમાં નહાવા માટે ઉતર્યા ત્યારે તેમણે નજર ફેરવીને જોયું તો ત્યાં કોઈ વ્યક્તિની લાશ તરતી હોય તેવું લાગતું હતું..
એટલા માટે તેઓ તરત જ નદીની બહાર આવીને પોલીસને ફોન કર્યો હતો કે, તેમને નદીની અંદર કોઈ વ્યક્તિની લાશ તરતી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ બરાબર ખાતરી ન હોવાને કારણે તેઓએ પોલીસને ઘટના સ્થળે આવીને જ તપાસ મેળવવા માટે કહ્યું હતું. સવારે સવારના સમયમાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી..
અને ત્યાં તપાસ કરતી વખતે જોયું તો એક અજાણી મહિલાની લાશ તરતી હાલતમાં મળી આવી હતી. આ મહિલાને કોઈ વ્યક્તિએ મોતને ઘાટ ઉતારીને થોડા સમય પહેલા આ નદીની અંદર ફેંકી દીધી હશે અને તેની લાશ ફૂલી જવાને કારણે પાણી ઉપર તરવા લાગી હતી અને આ ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો..
પોલીસે તાત્કાલિક ધોરણે આ મહિલાની લાશને નજીકની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાવી આપી હતી. આ મહિલા કોણ છે.? તેમજ તે કયા ગામની વતની છે.? વગેરેની પણ માહિતી મેળવવામાં આવી રહી છે. જેમાં ગામ લોકોની પૂછપરછ કરતી વખતે ખબર પડી કે આ મહિલા તેમના જ ગામમાં રહેતી યુવતી છે..
આ મહિલાના છૂટાછેડા થઈ ગયા બાદ તે તેના પિયરમાં જ રહેતી હતી. આ મહિલાને કોણે મોતને ઘાટ ઉતારીને આ નદીની અંદર ફેંકી દેતી હશે, વગેરે જેવી પ્રશ્નોની માહિતીઓ મેળવવા માટે પોલીસે તપાસ શરૂ કરાવી દીધી હતી. તો ગામના ઘણા બધા લોકો આ નદી કિનારે આવી પહોંચ્યા હતા અને અહીં શું થયું છે..? તેની ચર્ચા વિચારણાઓ કરવા લાગ્યા હતા..
આ મહિલાનું નામ સીમા હોવાનું સામે આવ્યું છે. જેની ઉંમર 32 વર્ષની હોવાનું જણાયું છે. સીમાના પરિવારજનોને ખબર પડી કે, ગામના પાદર માંથી પસાર થતી નદીમાં સીમાની લાશ મળી આવી છે. ત્યારે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને સૌ કોઈ સભ્યોની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]