કેટલાક વ્યક્તિઓનું રહસ્ય મોત માંડ્યું હોય છે. તેમના મૃત્યુ બાદ પણ ખૂબ જ ચર્ચા વિચારણા વધી જતી હોય છે કે, આખરે આ મૃત્યુ કેવી રીતે શક્ય બન્યું છેલ્લા કેટલાક દિવસથી આવા રહસ્યમય મૃત્યુના બનાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં વધુ એક બનાવ ભોપાલના કુકસી વિસ્તારમાંથી સામે આવ્યો છે..
આ વિસ્તારમાં એડીએમ સ્કૂલ આવેલી છે. જેની સામે જૈન ટ્રાવેલ્સ નામની એક બસ ઉભી હતી. આ બસમાં મુસાફરો પ્રવાસ માટે નીકળવાના હતા. અંદાજે 50 જેટલા મુસાફરો આ બસ પાસે આવી પહોંચ્યા હતા. બસનો ઉપાડવાનો સમય થતા જ મુસાફરોએ દરવાજો ખોલ્યો અને બસમાં ચડવાની કોશિશ કરી હતી…
પરંતુ દરવાજો ખોલતા જ તેમની સામે જે દ્રશ્ય આવવું તે જોઈને ત્યાં ને ત્યાં જ ધ્રૂજવા લાગ્યા હતા. આ ઉપરાંત તેઓએ બુમાં બુમ કરીને બસના ડ્રાઇવર અને કંડકટરને પણ બોલાવ્યા હતા. તેઓ પણ આ દ્રશ્ય જોઈ માથું પકડી ગયા હતા. કારણકે બસની અંદર આવેલા હુકની સાથે એક વ્યક્તિએ લડકીને આપઘાત કરી લીધો હતો.
જ્યારે બસની અંદર લટકતી હાલતમાં આ વ્યક્તિની લાશ જોઈ ત્યારે એક સનસનાટી મચી ગઈ હતી. તાત્કાલિક ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થવા લાગ્યા. આ ઉપરાંત રસ્તા ઉપર તો ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ ગયા હતા. તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ પણ આવી પહોંચી અને જરૂરી તપાસ ચલાવવા લાગી હતી..
પ્રાથમિક તપાસ કરતા જણાવ્યું કે આ મૃતક યુવકનું નામ અજય છે. અને તેના પિતાનું નામ દશરથભાઈ છે. અજયની ઉંમર લગભગ 17 વર્ષની છે. આ ઉપરાંત તે ધરમપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. આ યુવકે આ બસની અંદર શા માટે આપઘાત કર્યો હશે, તેમજ તેણે બસની અંદર કેવી રીતે પ્રવેશ કર્યો, આ તમામ પ્રશ્નો ખૂબ જ ચર્ચા વિચારણા કરાવે તેવા છે..
હાલ આ મૃતક વ્યક્તિ પાસેથી કોઈપણ અંતિમ નોટ પણ મળી આવી નથી. ઘટના સ્થળે ભારે ભીડ હોવાને કારણે પોલીસ ટ્રાફિકજામ હળવો કરાવવામાં મથામણ કરી રહી છે. બસના કંડકટર બસ નો માલિક તેમજ બસના ક્લીનર સહિતના અન્ય વ્યક્તિઓએ પણ આ વ્યક્તિને ઓળખવાની મનાઈ કરી દીધી છે..
તો આ વ્યક્તિ શા માટે આ બસની અંદર જ આપઘાત કરવા માટે આવ્યો, તેના પર સૌ કોઈ લોકો વિચારવા પર મજબૂર બન્યા છે. આ અગાઉ પણ એક બનાવ સામે આવ્યો હતો કે, જેમાં ચાર દિવસથી બંધ પડેલી બસની અંદર એક વ્યક્તિની લાશ મળી આવી હતી, હવે આ વ્યક્તિએ આપઘાત કર્યો હશે કે હ.ત્યા થઈ હશે, તેની તપાસ હજુ ચલાવવામાં આવી રહી છે એવામાં તો બીજો બનાવ સામે આવી જતા ભારેચાર મચી જવા પામ્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]