બાળકો રમત રમતમાં અમુક વખત ખૂબ જ મોટી મુશ્કેલીની અંદર પણ મુકાઈ જતા હોય છે, માતા-પિતા તેમના બાળકો પર સતત ધ્યાન રાખે છે કે, તેમના બાળકો કોઈ જોખમ ભર્યું પગલુ ભરી ન લે પરંતુ ઘણી બધી માતા-પિતાની ધ્યાન બહાર બાળકો રમતી વખતે એવી ઘટનાઓ શીકાર થઈ જતા હોય છે કે, તેમને તાબડતો દવાખાને પણ દોડતું થવું પડે છે..
આવા કેટ કેટલાય બનાવો પાછળના સમયમાં સામે આવી ચૂક્યા છે અને સહેજ અમથી બેદરકારીને કારણે પણ કોઈ નાનકડા બાળકના જીવ ગયા હોવાના મામલા પણ બની ગયા છે, અને અત્યારે વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવી જતા દરેક માતા પિતાએ તેમના બાળકોનું ખાસ ધ્યાન રાખવું પડશે..
તે બાબતો વધુ એક વખત સામને આવી ચૂકી છે, આ ઘટના યોગીરાજ સોસાયટીમાંથી સામે આવી છે. અહીં રહેતા કલ્પેશભાઈના મકાનમાં નીચેના માળે ભાડેથી શૈલેષભાઈ નામના યુવક તેમના પરિવાર સાથે રહે છે, શૈલેષભાઈના પરિવારમાં તેમની પત્ની અસ્મિતાબેન તેમની 14 વર્ષની દીકરી પ્રીતિ તેમજ આઠ વર્ષના દીકરા મિત નો સમાવેશ થતો હતો..
તેમના દીકરાને નર્સરીના અભ્યાસ બાદ ટ્યુશનનો અભ્યાસ કરવા માટે જતો હતો, એ વખતે અજાણ્યાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ હતી એક દિવસ સવારના સમયે ઉઠ્યા બાદ આ નાનકડો દીકરો મીત વારંવાર રડીને તેની માતાને કહેવા લાગ્યું કે, તેને પેટમાં દુખાવો થઈ રહ્યો છે અને આ દુખાવો એટલો બધો અસહયો હતો કે, મીતને રડતા જોઈને તેની માતાથી પણ રહેવાયું નહીં..
અને તાબડતો સોસાયટીના બહારના વિસ્તારમાં આવેલા દવાખાને તપાસ માટે લઈ ગઈ હતી, એ વખતે ડોક્ટરે પેટમાં દુખાવાની સામાન્ય દવા આપી અને જણાવ્યું કે, મિતે કોઈ કાચો પાકો ખોરાક ખાઈ લીધો હશે, જેના કારણે તેને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. પરંતુ બે દિવસની આ દવા લીધા બાદ પણ કોઈ ફરક દેખાયો નહીં..
ત્યારે શૈલેષભાઈ તેના દીકરા મિત્ર મોટી હોસ્પિટલમાં સારવાર અને તપાસ માટે લઈ ગયા હતા, એ વખતે તેના પેટની અંદર જેવી ચીજ વસ્તુ દેખાઈ કે, ડોક્ટર પણ ડોળા ફાડી ગયા હતા. આ ચોકાવનારા બનાવને લઈને દરેક માબાપે તેમના દીકરા દીકરીઓને ખૂબ જ ધ્યાન રાખવું પડશે હકીકતમાં જ્યારે ડોક્ટરે તપાસ શરૂ કરી ત્યારે જણાવ્યું કે..
તેના પેટની અંદર પ્લાસ્ટિકનો સંચો મળી આવ્યો હતો, જ્યારે ટ્યુશનને થતો હતો ત્યારે તે પ્લાસ્ટિકના સંચાથી રમત કરતો હતો અને આ રમત રમત ની અંદર તે પ્લાસ્ટિકનો સંચો ગળી પણ ગયો હતો. આ સંચાની અંદર પ્લાસ્ટિક મારફતે એક નાનકડો સ્ક્રુ તેમજ એક બ્લેડ પણ રહેલી છે..
જુઓ આ સંચાને તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં નહીં આવે તો પેટની અંદર ડટ્ટા જામ થઈ જવાની પણ શક્યતા રહેલી હતી, એટલા માટે ડોક્ટરે કહ્યું કે સર્જરી કરીને આ સંચાને બહાર કાઢવો પડશે. તાત્કાલિક ધોરણે આ કામગીરીને શરૂ કરવામાં આવી હતી અને અંદાજે 45 મિનિટની સફળ સર્જરી બાદ આ પ્લાસ્ટિકના સંચા ને બહાર કાઢી લેવામાં આવ્યો હતો..
હાલ મિત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, જ્યારે ડોક્ટરના આ સાહસિક કામને લઈને શૈલેષભાઈ ખૂબ જ રાજી થયા હતા કારણ કે, તેમનો દીકરો છેલ્લા ચાર દિવસથી પેટના સતત દુખાવાથી પીડાઈ રહ્યો હતો અને આ પ્લાસ્ટિકનો સંચો બહાર નીકળી જવાને કારણે હવે તેમનો દીકરો બિલકુલ સ્વસ્થ થઈ જવા પામ્યો હતો..
જ્યારે આ ઘટના બની ત્યારે દરેક લોકોના હોશ ઉડી ગયા હતા, આ અગાઉ પણ પ્લાસ્ટિકનો સંચો ગળી જવાને કારણે એક નાનકડી દીકરીના મૃત્યુનો બનાવો આજથી દોઢ વર્ષ પહેલાં સામે આવી ચૂક્યો હતો અને અત્યારે ખૂબ જ મોટી ઘટનાનો ખતરો ટળી ગયો હતો, ડોક્ટરે જણાવ્યું કે..
જો મિત્રને સમયસર હોસ્પિટલે હાજર કરવામાં ન આવે અથવા તો આ દુખાવાનો સહન હજુ પણ બે દિવસ સુધી કરી લેવામાં આવી હોત તો તેના પેઢીની અંદર ઇન્ફેક્શન થવાના પણ ખૂબ વધારે ચાન્સીસ હતા અને ઇન્ફેક્શન થઈ જવાને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]