દરેક માતા પિતાને તેમના બાળકો ઉપર ખૂબ જ વિશ્વાસ હોય છે કારણ કે તેઓએ તેમના બાળકોને સારા સંસ્કાર આપીને ઉછેર કર્યો હોય એટલા માટે તેમનો બાળક ક્યારેય પણ તેમનું નામ ડુબાડશે નહીં તેવી આશા સાથે દરેક માતા-પિતા તેમના બાળકો પર વિશ્વાસ મૂકે છે. પરંતુ ઘણી બધી વાર બાળકો ખરાબ સંગતની અંદર ધકેલાઈ જઈને એવા પગલાઓ ભરી લેતા હોય છે..
જેનાથી તેમના માતા-પિતાની ઈજ્જત આબરૂના તો ધજાગરા ઉડી જવા પામતા હોય છે, અત્યારે દિન પ્રતિ દિન બાળકો તેમના માતા પિતા પાસેથી વધારે પડતી સ્વતંત્રતાની માંગણી કરતા હોય છે, તેઓ પોતાની રીતે જિંદગી જીવવા ઈચ્છતા હોય તેવા કેટ કેટલાય બનાવો આપણી નજર સામેથી પસાર થઈ ચૂક્યા છે..
અત્યારે એક માતા પિતાને તેમના નિર્ણયો ઉપર ખૂબ જ પછતાવો થવા લાગ્યો હતો કારણ કે, સમયની સાથે સાથે જીવન જીવતા આ માતા પિતાએ તેની દીકરીને હદ કરતા પણ વધારે છૂટછાટ આપી દેતા અત્યારે ખૂબ જ હચમચાવી દેતી ઘટના તેમને સહન કરવી પડી હતી, આ બનાવો હરીપાર્ક કોલોનીમાં રહેતા પ્રવીણભાઈ નામના વ્યક્તિના પરિવાર સાથે બન્યો છે..
પ્રવીણભાઈના પરિવારમાં તેમની એકની એક લાડકવાઈ દીકરી આયુષી તેમનો નાનકડો દીકરો નીરવ તેમજ તેમની પત્ની શૂરમિલાનો સમાવેશ થતો હતો, તેમની મોટી દીકરી આયુષી કોલેજનો અભ્યાસ કરતી હતી, તે સવારના સમયે કોલેજ જવા માટે નીકળી જતી અને બપોર પછીના સમયે ઘરે પરત આવ્યા બાદ તે મિત્રો સાથે પણ નવરાશનો સમય વિતાવતી હતી..
આગળ વધતા જતા જમાનાની અંદર બાળકોને થોડી ઘણી છૂટછાટ આપવી જોઈએ, તેમ સમજીને શૂરમીલાબેન અને પ્રવીણભાઈ તેમની દીકરીને કોઈ પણ પ્રકારની સમય મનની પાબંધી લગાવ્યા વગર તેને હરવા ફરવા દેવાની છૂટછાટ આપી હતી, આયુષી તેના કોલેજના મિત્રોની સાથે મોડી રાત્રે સુધી ધરતી ફરતી હતી..
અમુક વખતે બે વાગ્યે ઘરે આવતી તો અમુક વખત ત્રણ પણ વાગી જતા હતા, પ્રવીણભાઈ અને સુરમીલા બેને તેમની દીકરીને છૂટછાટ આપી હોવાને કારણે તેમની દીકરી જીવનનો આનંદ તેના મિત્રો સાથે ઉઠાવતી હતી, એક દિવસ તે સવારે કોલેજ જઈ રહી હતી. ત્યારે આયુશી તેની માતા શૂર્મિલાબેનને જણાવ્યું હતું કે, હું સાંજે મોડેથી ઘરે આવીશ આટલું કહીને તે ઘરેથી નીકળી ગઈ હતી..
ત્યારબાદ તેમની દીકરી ક્યાં જઈ રહી છે, કઈ હાલતમાં છે તેને શું ખાધું પીધું હશે વગેરે જેવી કોઈ પણ ચિંતા તેના માતા પિતાએ કરી નહીં અને મોડી રાત્રે સુધી જ્યાં સુધી આયુશી ન આવે ત્યાં સુધી તેને માતા-પિતા જાગતા હતા, રાત્રિના અંદાજે ત્રણ વાગી ચૂક્યા છતાં પણ આયુષી ઘરે પહોંચી હતી નહીં..
એટલા માટે પ્રવીણભાઈને તેમની દીકરીની ચિંતા થવા લાગી અને પ્રવીણભાઈએ વારાફરતી વારા આયુષીને ફોન કરવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ આયુશી એક પણ વાર ફોન ઉચાક્યો નથી એટલા માટે શર્મિલાબેનને પણ ચિંતા સતાવા લાગી હતી કારણ કે, તેમની દીકરી ઘરે ગમે તેટલી મોડી આવે પરંતુ તેમના માતા પિતાનો ફોન તે પહેલી જ વારમાં ઉપાડી લેતી હતી..
પરંતુ આ વખતે કંઈક ઉંધા જ અણસાર દેખાય આવતા પ્રવીણભાઈ આયુષના દરેક મિત્રોને ફોન કોલ કરીને આયુષ્ય ક્યાં છે.? તેની પૂછપરછ કરવા લાગ્યા હતા તેના દરેક મિત્રોએ જણાવ્યું કે, તેઓ કોલેજના સમય બાદ મળ્યા નથી, બધાને લોકો પોત પોતાના ઘરે સુઈ રહ્યા હતા..
હવે પ્રવીણભાઈ ખૂબ જ મોટી મુજવણમાં મુકાઈ ગયા હતા કે, તેમની દીકરી ક્યાં ગઈ હશે કારણ કે, તેના દરેક મિત્રો તો ઘરે ઘસઘસાટ ઊંઘમાં સુઈ રહ્યા છે અને તેઓ આજે કોઈ જગ્યાએ બહાર પણ ગયા નથી, તો તેમની દીકરી અત્યારે કોની સાથે હશે વગેરે જેવી બાબતોને લઈને તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા..
તેઓ અડધી રાત્રે જ પોતાની કાર લઈને શહેરમાં ચક્કર લગાવવા માટે નીકળી ગયા હતા. આયુષી કોની સાથે હરી ફરી રહી છે, તેની પણ જાણકારી તેના માતા-પિતા પાસે ન હોવાને કારણે અત્યારે તેઓને પછતાવાનો વારો આવ્યો હતો. બીજા દિવસે બપોર સુધી પણ આયુષી નો કોઈ પણ અતોપતો મળ્યો નહીં..
એટલા માટે થાકી ગયેલા પ્રવીણભાઈએ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી કે, તેમની દીકરી ઘરેથી ગુમ થઈ ગઈ છે. પોલીસે ફરિયાદ નોંધી હતી અને આયુષીની શોધખોળ શરૂ કરવા લાગ્યા હતા, એ સમયે બે થી ત્રણ દિવસની શોધખોળ બાદ પણ આયુશીનો ક્યાયથી અતોપતો મળી આવ્યો નહીં..
અને ચોથા દિવસે એવા સમાચાર આવ્યા હતા કે, શહેરથી થોડે દૂર પસાર થતી નદીના નાળા પાસેથી એક જુવાન યુવતીની લાશ મળી આવી છે, આ સમાચાર સાંભળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જ્યારે ગુમ થયેલા લોકોની તપાસ મેળવવામાં આવી ત્યારે ખબર પડી કે, આ લાશ અન્ય કોઈ વ્યક્તિની નહીં પરંતુ આજથી ત્રણ દિવસ પહેલાં મોડી રાત્રે ગુમ થયેલી આયુષીની છે..
આ વાતની જાણકારી જ્યારે આયુશીના માતા-પિતા સુધી પહોંચી ત્યારે તેમના તો હોશ ઉડી ગયા હતા, શૂરમીલાબેનને ધોળા દિવસે અંધારા આવી જતા તેઓ પણ ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા, આ ઘટનાને લઈને તેઓ દુઃખનો આઘાત સહન કરી શક્યા નહીં. બે થી ત્રણ દિવસ ની અંદર અંદર બિચારો પરિવાર હેરાન પરેશાન થઈ જવા પામ્યો હતો..
વારંવાર તેમને તેમની દીકરીની ચિંતા સતાવતી હતી અને અંતે ચોથા દિવસે આયુષી મૃત હાલતમાં મળી આવતા પરિવાર માથે આફતોનો આભ ફાટી નીકળ્યો હતો, એવું તો શું થયું હશે કે કોઈ વ્યક્તિને મોતને ઘાટ ઉતારીને અહીં ફેંકી દીધી છે. તેમની દીકરીએ ક્યારેય પણ કોઈ વ્યક્તિની સાથે દુશ્માના વટ કરી નથી..
આ સાથે જ તેમની દીકરી ક્યારેય પણ ઊંચા અવાજે પણ બોલતી નથી, છતાં પણ કોઈ વ્યક્તિ શા માટે આયુષી સાથે આવી ઘટના રચી શકે છે, તે વિચારવામાં દરેક લોકો ભેજુ દોડાવવા લાગ્યા હતા, આ ઘટનાને લઈને પોલીસને તપાસ હાથ ધરી હતી. સીસીટીવી કેમેરાની મદદથી તપાસ મેળવવી ત્યારે આયુષી કોઈ અજાણ્યા યુવકની સાથે અડધી રાત્રે ફરતી નજરે ચડી હતી..
કદાચ આયુષીને મોતને ઘાટ ઉતારીને અહીં ફેંકી દીધી હોય તેવું અનુમાન લગાવી શકાય છે, આ યુવક કોણ છે તેની પણ હાલ પૂછપરછ થઈ રહી છે. આ ઘટનાએ મોટા ભાગના માં-બાપની આંખો ઉઘાડી નાખી છે, વધતા જતા સમયની સાથે આવા બનાવો ન બને એટલા માટે દરેક માં-બાપ નું ધ્યાન તેમના દીકરા દીકરી પાછળ હોવું ખુબ જ જરૂરી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]