Breaking News

મુંબઈ જતી ખાનગી બસ ઘઉં ભરેલા ટ્રકમાં ઘૂસ જતા 6 લોકો ચિરાઈ ગયા, 17 ઈજાગ્રસ્ત થતા હાઈવે ઉપર ચીચીયારી મચી ગઈ..!

આજના સમયમાં રસ્તા ઉપર ખૂબ જ માણસો કરતા વધારે વાહનોની હરીફાઈ થતી જોવા મળી રહી છે. લોકો પોતાનું વાહન ઉતાવળમાં ચલાવીને બીજા લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. અવારનવાર ખરાબ ડ્રાઇવિંગ કરીને પણ અકસ્માતો સર્જી રહ્યા છે. દિવસેને દિવસે વાહનોની સંખ્યા વધતા અકસ્માતોના કિસ્સા પણ ખૂબ જ વધી રહ્યા છે.

એક દિવસમાં 10 થી વધુ અકસ્માતના કિસ્સાઓ બનતા જોવા મળી રહ્યા છે. જેમાં ક્યારેક ઘણા બધા વ્યક્તિઓના મૃત્યુ પણ થઈ રહ્યા છે. એકસાથે આવી અકસ્માતની ઘટનામાં લોકોના મૃત્યુ થઈ જતાં તેમના પરિવારજનો પર આઘાત આવી પડે છે, આવી જ એક અકસ્માતની કરુણ ઘટના હાલમાં સામે આવી હતી.

આ અકસ્માત ખૂબ જ ભયાનક સર્જાયો હતો. અકસ્માત એક ટ્રક અને બસ વચ્ચે સર્જાયો હતો. બસ રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જતી હતી. આ બસ ખાનગી બસ હતી અને તેમાં એકસાથે ઘણા બધા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. બસ વહેલી સવારના સમયે વડોદરા પાસે પહોંચી હતી. વડોદરાના કપુરાઈ ચોકડી પાસેથી પસાર થઈને જઈ રહી હતી.

તે સમયે એક ઘઉંના કટ્ટા ભરેલો ટ્રક પણ આ રસ્તા પર જઈ રહ્યો હતો. તે સમયે બસ ચાલક પોતાની બસ ખૂબ જ ઝડપી સ્પીડમાં ચલાવી રહ્યો હતો અને બસ ચાલકે બીજા વાહનોને ઓવરટેક કરીને આગળ જવાનો સાહસ કર્યો હતો. ઓવરટેક કરતાં સમયે આગળની બાજુ પર ચાલી રહેલા ટ્રક સાથે બેકાબુ બનીને બસ ચાલકે પોતાની બસની ટક્કર મારી દીધી હતી.

આગળ ઘઉં ભરેલો ટ્રક જઈ રહ્યો હતો અને ઓવરટેક કરવા જતાં બસ ચાલકે ઘણા બધા મુસાફરોના જીવને જોખમમાં મૂક્યા અને બસ પરથી કાબુ કરી શક્યો ન હતો, જેના કારણે કપુરાઈ ચોકડી પાસેના હાઇવે પર ખરાબ ડ્રાઇવિંગને કારણે બસ ચાલકે મુસાફરોના જીવ જોખમમાં મુક્યા હતા. અથડાયા બાદ બસના આગળના ભાગના કુચે-કુચા થઈ ગયા હતા.

જેના કારણે બસમાં આગળના ભાગમાં બેઠેલા મુસાફરોએ પોતાની જ જગ્યાએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માત સર્જાતા તરત આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. બસના મુસાફરોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તરત જ આ વિસ્તારની પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

અને બસના પતરા કાપીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. વહેલી સવારે આ અકસ્માત બનતા દરેક મુસાફરો પોતાના સોફામાં ઊંઘી રહ્યા હતા અને જે મુસાફરનું મૃત્યુ થયું હતું. એ મુસાફરોએ ઊંઘમાં જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં દરેક મુસાફરોને બહાર કાઢતા 6 મુસાફરોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

જેમાં બે પુરુષ અને ત્રણ મહિલા તેમજ એક નાનું બાળકનું મૃત્યુ થયું હતું. 17 લોકો ખૂબ જ ઇજાગ્રસ્ત થયા હતા. જેને કારણે તરત જ એમ્બ્યુલન્સને ફોન કરીને મુસાફરને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને અકસ્માત સર્જાતા બસ ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બસમાં મૃત્યુ પામેલા મુસાફરોના નામ સંદિપ કચોરિલાલ કલાલ, કિસાન ભાઈ, શાંતિ નાઈ, સુનિતા નાઈ હતું.

એક 25 વર્ષની ઉંમરની મહિલાનું મૃત્યુ થયું હતું. આ અકસ્માત ખૂબ જ ગુજારો સર્જાયો હતો. જેમાં એકસાથે ઘણા બધા વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ મુસાફરો રાજસ્થાનના હતા. જેના કારણે રાજસ્થાન પોલીસને જાણ કરવામાં આવી હતી અને દરેક મુસાફરોના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પરિવારજનોને અકસ્માતની જાણ થતા તેઓ આઘાતમાં આવી ગયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *