Breaking News

અંતિમ સંસ્કાર વિધિમાં મુખાગ્નિ દેતા પહેલા લાશના મોઢેથી કપડું ઊંચું કરીને જોયું તો ઉભે ઉભા ટાંટિયા ધ્રુજવા લાગ્યા, અંદર દેખાયું એવું કે પરિવાર દોડતો થયો…!

અમુક વખત કોઈ એક વ્યક્તિને ભૂલને કારણે એવી ઘટનાઓ ઘટી જતી હોઈ છે કે તેના વિશે આખી જિંદગી પછતાવો કરીએ છતાં પણ મનમાં શાંતિ મળતી નથી. અત્યારે આવી જ એક ઘટના બનતા-બનતા રહી ગઈ છે. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે ત્યાં ઉભેલા સૌ કોઈ લોકોના ટાંટીયા ધ્રુજવા લાગ્યા હતા..

આ મામલો ઉત્તરપ્રદેશના સંત કબીરનગરનો છે. અહીં પરિવારનો યુવાન જોધ દીકરો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. તેને શરીરમાં અચાનક જ તાવ ચડી ગયો હતો. ત્યાર પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બે થી ત્રણ દિવસ સુધી પરિવારજનો હોસ્પિટલમાં આ દીકરાને સાથે રહ્યા હતા..

પરંતુ ત્રીજા દિવસે જ્યારે તેઓ ઘરે આવી ગયા ત્યારે અચાનક જ હોસ્પિટલેથી ડોક્ટરનો ફોન આવ્યો કે તેમનો દીકરો મૃત્યુ પામ્યો છે. અમે હોસ્પિટલની ગાડીની અંદર તમારા દીકરાની લાશ તમારા ઘર સુધી પહોંચાડી રહ્યા છીએ. બસ આ સમાચાર સાંભળતાની સાથે જ ઘરમાં રોકકળ મચી ગઈ હતી..

દીકરાના માતા પિતા માટે તો દુઃખની આ ઘડી સહન કરવી મુશ્કેલી જ નહી પરંતુ નામુમકીન સમાન બની ગઈ હતી. પરિવારજનો માટે આફતોનું આભ ફાટી નીકળ્યું હોય તેવી રીતે સૌ કોઈ લોકો દુઃખના ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા. આ સાથે સાથે જ્યારે તેના ઘર પાસે આ લાશ પહોંચી ત્યારે તેની અંતિમ સંસ્કારની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી..

અને સ્મશાન સુધી લાશને લઈ જવામાં આવી હતી. ત્યાં તમામ કામગીરીઓ શરૂ કરી દઈ અંતિમ સંસ્કારની વિધિ દરમિયાન તેને મુખગ્ની આપવા માટે પરિવારનું એક સભ્ય તેની નજીક જતો હતો. ત્યારે તેને વિચાર્યું કે, મારે આ દીકરાના અંતિમ દર્શન કરવા છે. એટલા માટે તેણે લાશનું ઉપર ઢાંકેલુ કપડુ ઊંચું કરીને જોયું અને અંદરથી જે મળ્યું તે જોઈને તેના હોશ છૂટી ગયા હતા..

આ ઉપરાંત લાશનો ચહેરો જોઈને તો ત્યાં ઉભેલા લોકો પણ થરથર કાપવા લાગ્યા હતા. આ ઘટના બનતાની સાથે જ પરિવારજનો રોડે ચડી ગયા કારણકે આ લાશ તેમના જુવાનજોધ દીકરાની નહીં પરંતુ અંદાજે 50 એક વર્ષના કોઈ વ્યક્તિની હોય તેવું જણાયું હતું. તેઓએ તાત્કાલિક ધોરણે આપ્યો હોસ્પિટલમાં ફોન કર્યો અને ડોક્ટરને જણાવ્યું હતું કે, આ લાશ તેમના દીકરાની નથી..

આ કોઈ અન્ય વ્યક્તિની લાશ છે. ત્યારે તપાસ માટે હોસ્પિટલના કેટલાક લોકો ત્યાં આવી પહોંચી હતા. ત્યારે જણાવ્યું કે હકીકતમાં આ વ્યક્તિ નું નામ મહાદેવ ભાઈ છે. ધર્મસિહા વિસ્તારમાં રહે છે. અને તેમની ઉંમર 47 વર્ષની છે. જ્યારે પરિવારનો જુવાનજોધ દીકરો તો હજુ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

જ્યારે આ ઘટના આવી ત્યારે પરિવારજનો હોસ્પિટલના મેનેજમેન્ટ તંત્રને ગાળો આપવાની શરૂ કરી દીધી હતી અને તેની સાથે મારામારીના દ્રશ્યો પણ સર્જાઈ ગયા હતા. કારણ કે હોસ્પિટલ વાળાની એક ભૂલને કારણે આજે તેઓ અન્ય કોઈ વ્યક્તિને અંતિમ સંસ્કાર કરવા જઈ રહ્યા હતા. પરંતુ અંત સમયે આ ઘટના અટકી પડી છે..

હોસ્પિટલના મેનેજમેન્ટ તંત્રથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ હતી. હકીકતમાં તેઓને ૪૭ વર્ષના મહાદેવ ભાઈ નામના વ્યક્તિના પરિવારજનોને જાણકારી પહોંચાડવાની હતી કે, તેમનો સભ્ય મૃત્યુ પામ્યો છે. એના બદલે તેઓએ હોસ્પિટલમાં તાવની સારવાર લઈ રહેલા જુવાનજોધ દીકરાના પરિવારજનોને આ લાશ મોકલાવી દીધી હતી..

અને આ પરિવારજનોની અંતિમ સંસ્કારની કામગીરી પણ કરવા જઈ રહ્યા હતા. પરંતુ સદનસીબે આ મોટી દુર્ઘટના અહી ને અહી જ અટકી ગઈ છે. જ્યારે જ્યારે આવા બનાવો બને છે. ત્યારે શરૂઆતમાં સૌ કોઈ લોકોના હોશ ઉડી જતા હોય છે. પરંતુ હકીકત જાણીને એક બાજુ કેટલાક લોકોને હસવું આવે છે. તો એક બાજુ ચિંતાનો વિષય બની જતો હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *