કેટલાક વ્યક્તિઓને નાની નાની બાબતમાં ખૂબ જ માઠું લાગી જતું હોય છે. જ્યારે કેટલાક વ્યક્તિઓ નાની બાબતોને પોતાના મનમાં પણ લેતા નથી અને હસી કાઢે છે. અમુક વ્યક્તિઓ દરેક બાબતને લઈને ખૂબ જ સચેત હોય છે. સહેજ પણ ખોટું લાગતા અંતે તેઓ શું પગલું ઉઠાવી લે છે તે નક્કી હોતું નથી.
ગઈકાલે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી ખૂબ જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જંગલેશ્વર વિસ્તારમાં શેરી નંબર 11 માં એક પરિવાર રહેતો હતો. પરિવારના મોભીનું 8 મહિના પહેલા અવસાન થયું હતું. એટલે કે ઘરની તમામ જવાબદારી પરિવારની મહિલા તેમજ તેમના બાળકો ઉપર આવી પડી હતી. મહિલા છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે બિમાર હતી એટલે કે, તે અવારનવાર તેના બાળકો સાથે ઝઘડો કરતી હતી..
મહિલાના પતિનું ઝાડથી અવસાન થયું છે. ત્યારથી તેની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ છે. મહિલાને કુલ ત્રણ સંતાનો છે. જેમાં ૧૬ વર્ષની એક મોટી દીકરી છે. જ્યારે બંને બીજા બાળકો નાની ઉંમરના છે. મહિલાઓની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાને કારણે પરિવારની તમામ જવાબદારી 16 વર્ષની દીકરી ઉપર આવી ગઈ હતી..
એક દિવસ સવારના સમયે માતાએ તેની દીકરીને કહ્યું કે તારે કારખાને કામે જવાનું છે. આ બાબતને લઈને માતાએ તેને ઠપકો આપ્યો હતો આ ઠપકાનું આ દીકરીને ખૂબ જ માઠું લાગે આવ્યું હતું. અને તેણે પોતાનો જીવ ટૂંકાવી દીધો છે. તે પોતાના રૂમમાં જઈને પંખા સાથે ચુંદડી બાંધીને ગળેફાંસો ખાઇ લીધો હતો..
લાંબા સમય સુધી રૂમમાંથી બહાર ન આવતા માનસિક રીતે બીમાર માતાએ દરવાજા ધક્કો મારીને તોડી નાખ્યો હતો. અને તેણે જોયું તો પોતાની ૧૬ વર્ષની દીકરી પંખા સાથે ફાંસો લગાવીને લટકી રહી છે. આ જોતાની સાથે જ તેણે પોતાનું માથું પકડી લીધું હતું. અને પોતાની પડોશમાં રહેતા પોતાના ભાઈને તરત જ બોલાવ્યા હતા અને જોયું તો તેમની દિકરી મૃત્યુ પામી હતી..
તેઓને તાત્કાલિક નીચે ઉતારીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી દેતા માનસિક રીતે અસ્થિર માતા ખૂબ જ ભાંગી પડી હતી. આ બાબતની જાણ ભક્તિનગર પોલીસને થતાં પોલીસનો કાફલો પણ એ સોસાયટીમાં દોડી આવ્યો હતો અને આપઘાતનું કારણ જાણવા માટે પરિવારજનોની પૂછપરછ કરવા લાગ્યો હતો..
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, માતાએ ઠપકો આપતા દીકરીને લાગી આવ્યું હતું. જેના કારણે તેણે અંતિમ પગલું ભરી લીધું છે. માનસિક રીતે બીમાર આમાં હવે નિરાધાર બની ગઇ છે. કારણ કે તેના બે બાળકો ખૂબ જ નાની ઉંમરના છે. અને પોતે માનસિક રીતે અસ્થિર હોવાથી હવે આપણે વ્યક્તિઓનું જીવન ગુજરાન ચલાવશે તેને લઈને ચર્ચા વિચારણા ચાલી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]