Breaking News

મોટી દીકરી પ્રેમી સાથે ભાગી જતા પિતાએ લટકીને આપઘાત કરી લીધો, અને પછી તો થયું એવું કે પ્રેમી પંખીડા પણ ટ્રેનમાં કપાઈ ગયા..! ઓમ શાંતિ..

જો કોઈ વ્યક્તિને કોઈ વાતનો માઠુ લાગી જાય તો એવા સમયે તે શું કરી બેસે તેનું પણ કશું નક્કી કહી શકાતું નથી, જ્યારે પણ કોઈ વ્યક્તિ દુઃખી હોય ત્યારે તેને સારા માણસના સાથ સહકારની જરૂર હોય છે કે, જે તેને પીઠ થપથપાવીને આશ્વાસન આપી શકે કે, જીવનમાં બધું જ સારું થઈ જશે..

જો મુશ્કેલીમાં મુકાયેલા વ્યક્તિને કોઈ સારા માણસોનો સાથ સહકાર ન મળે તો તે અવળું પગલું પણ ભરી લેતા હોય છે, હાલ એક વ્યક્તિએ ખૂબ જ મોટું અવળું પગલું ભરી લીધું હતું. આ ઘટના રાજસ્થાનના બુંદીની છે, અહીં રામેશ્વર ચોરા પાસે 53 વર્ષનો અજયસિંહ તેના પરિવાર સાથે રહે છે..

પરિવારમાં તેને પાંચ દીકરીઓનો સમાવેશ થાય છે, જેમાંથી 20 વર્ષની સૌથી મોટી દીકરી યોગીતાએ પરિવારજનોની વિરુદ્ધ જઈને તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આ ઘટનાના સમાચાર જ્યારે અજયસિંહ સુધી પહોંચ્યા ત્યારે તે ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યો ગયો હતો, અને સતત વિચારવા લાગ્યો કે, સમાજના દરેક લોકો હાલ ચર્ચા વિચારણા કરી રહ્યા છે કે..

અજય સિંહ તેની દીકરીઓને સાચવી શક્યો નહીં, અને તેની મોટી દીકરી તેના પ્રેમી નવલ કિશોર ગૌતમ સાથે ભાગી ગઈ છે, તેમની મોટી દીકરી પ્રીતમપુરના તાલેડા વિસ્તારમાં રહેતા 25 વર્ષના નવલક કિશોર ગૌતમ નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી હતી, રાતના સમયે અજય સિંહ પોતાની દુકાનેથી પોતાના ઘરે આવ્યો હતો..

અને પરિવારજનોની સાથે સાંજનું ભોજન લીધા બાદ પરિવારના દરેક સભ્ય સૂઈ ગયા હતા અને ત્યારબાદ અજયસિંહ એ પોતાની રૂમમાં જઈને લટકીને આપઘાત કરી લીધો હતો, જ્યારે સવારમાં પરિવારના દરેક સભ્યો ઉઠ્યા ત્યારે અજયસિંહને મોતને ઘાટ ઉતરેલો જોઈને સૌ કોઈ લોકોની આંખો ફાટેલીને ફાટેલી જ રહી ગઈ હતી..

તાબડતોબ તેને નીચે ઉતારવામાં આવ્યો પરંતુ તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું, ઘટનાની જાણકારી પોલીસને પણ પહોંચાડવામાં આવી હતી. આગળના દિવસે પણ અજય સિંહ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેની દીકરી ગુમ થઈ ગઈ છે અને તેને દીકરી નવલ કિશોર ગૌતમ નામના યુવક સાથે છે..

પોલીસ તેને શોધખોળ કરી રહ્યા હતી એવામાં બીજા દિવસે તો અજયસિંહ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધો હતો, જ્યારે 20 વર્ષની યોગીતા અને સમાચાર મળ્યા કે તેના પિતાએ તેના ભાગી જવાને કારણે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. ત્યારે યોગીતા પણ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલી ગઈ અને તે તેના પ્રેમીની સાથે ચાલુ ટ્રેનમાંથી નીચે કૂદકો મારીને ટ્રેન નીચે કપાઈ આપઘાત કરી લીધો હતો..

આ બંને પ્રેમી પંખીડા પોતાના ઘરથી અંદાજે 45 km દૂર કેશવરાયપાટણ નામના વિસ્તારો પાસેથી પસાર થઈ રહ્યા હતા અને તેમાં ચાલુ ટ્રેનિંગ ટ્રેનની નીચે કૂદી જવાને કારણે આ બંને વ્યક્તિના પણ કપાય ગયા હતા, એક બાજુ અજય સિંહનું મૃત્યુ થયું હતું. તો બીજી બાજુ પ્રેમ સંબંધ માં જોડાયેલી તેની દીકરીએ અને તેના પ્રેમીનું પણ મૃત્યુ થઈ જતા સૌ કોઈ લોકો ખૂબ જ આઘાતમાં ચાલ્યા ગયા હતા..

પરિવારને મોતના મરશિયા ગાવાનો વારો આવ્યો હતો, યોગીતા તેની પાંચ બહેનોમાં સૌથી મોટી બહેન હતી, જ્યારે યોગીતા ના પિતા એક મામુલી દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ બનાવ બનતા સમગ્ર ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. યોગીતાની માતા અને યોગીતાના અન્ય ભાઈ બહેનો તો દુઃખની આ ઘડીને સહન કરી શકયા નથી..

કારણ કે તેઓએ તેમના પરિવારના બે સભ્યોને કોઈ નાખ્યા હતા, તો બીજી બાજુ યોગીતાનો પ્રેમી નવલ કિશોર ગૌતમના મા-બાપ પણ અહીં આવી પહોંચ્યા હતા અને ખૂબ જ મોટો બખેડો પણ સર્જાઈ ગયો હતો. આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *