થોડાક સમયથી આપઘાતના બનાવોમાં થોડો ઘણો ઘટાડો થયો હતો, પરંતુ અત્યારે ફરી એક વાર આપઘાતની ઘટના સામે આવી ગઈ છે. આ ઘટના રાજસ્થાનના જયપુરની છે. અહીં શાસ્ત્રીનગર વિસ્તાર પાસેની એક સોસાયટીમાં રહેતા મનમોહનભાઈએ આપઘાત કરીને જીવંત ટૂંકાવી દીધું છે.
41 વર્ષના મનમોહનભાઈ તેમની પત્ની નીતુ તેમનો દીકરો યશ અને તેમના નાના ભાઈ રોહિત અને રોહિતની પત્ની સાથે રહેતા હતા. તેઓ ખૂબ મોટા ઉદ્યોગપતિ હતા. તેઓએ શા માટે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે, તેનું કારણ જાણવા માટે પરિવારજનો મથામણ કરી રહ્યા હતા. જ્યારે સવારના 10:30 વાગ્યા આસપાસ તેમનો દીકરો યશ કામ માટે બહાર જતો હતો..
ત્યારે અચાનક જ રૂમમાંથી જોરદાર ધડાકાનો અવાજ સાંભળ્યો હતો. આ અવાજ સાંભળતાની સાથે જ તેના હોશ ઉડી ગયા હતા તેણે તરત જ તેના કાકા રોહિતને ત્યાં બોલાવી લીધા હતા અને જ્યારે તેમના પિતાના રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે અને સૌ કોઈ લોકો જોતા ને જોતા જ રહી ગયા હતા..
કારણ કે આ રૂમની અંદર મનમોહનભાઈએ પોતાની લાયસન્સ વાણી બંદૂકડી લઈને પોતાની જાતને જ ધડાકે દઈ દીધી હતી. અને મોતને વ્હાલું કરી લીધું હતું. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે તેઓએ આ ઘટનાની જાણકારી પોલીસને પણ આપી હતી. પોલીસની ટીમ પણ અહીં પહોંચી આવી હતી..
અને જરૂરી તપાસ શરૂ કરી હતી. જેમાં મનમોહનભાઈના મોબાઇલમાંથી વિડીયો મળી આવ્યો હતો. આ વીડિયોમાં તેઓએ જણાવ્યું કે, તેઓ આ પહેલા પણ ઘણી બધી વાર આપઘાત કરવા જઈ રહ્યા હતા. પરંતુ છેલ્લે તેમની હિંમત ન થતા તેઓ આપઘાત કરતા અટકી ગયા હતા. તેઓ જ્યારે આપઘાત કરવા જઈ રહ્યા હતા..
ત્યારે તેઓએ અન્ય બે વિડિયો પણ બનાવ્યા હતા અને અત્યારે પણ એક વિડીયો બનાવ્યો છે. જે ખૂબ જ તાજેતરનો વિડીયો છે. તેઓએ જણાવ્યું કે, તેમના આપઘાત પાછળ સત્યાર્થભાઈ, યથાર્થભાઈ, રમેશભાઈ, લોકરાજ ભાઈ અને એની ભાઈ નામના વ્યક્તિનો સમાવેશ થાય છે..
આ તમામ વ્યક્તિઓને કારણે તેમને આપઘાત કરવાનો વારો આવ્યો છે. આ તમામ લોકોને સજા થવી જોઈએ. આ સાથે સાથે મારા ગુમાવેલા તમામ રૂપિયા મારા પરિવારજનોને પરત અપાવી દેજો, હું ખૂબ જ દુઃખી હતો અને ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયો હતો. મારા ઉપર બેંક વાળાના પણ ઘણા બધા ફોન આવતા હતા અને આ તમામ લોકોએ મને દેવામાં ડુબાડી દીધો હતો..
અને હવે હું આ દેવાના પૈસા ચૂકવી શકું તેમ નથી. એટલા માટે હું આપઘાત કરીને જીવન ટૂંકાવી દઈ રહ્યો છું. આ સાથે સાથે મારી LICની પોલીસી પણ છે. જેના રૂપિયા અમારા ઘરવાળાને અપાવી દેજો જેનાથી તેમનું જીવન ખૂબ જ સારી રીતે ચાલે, આ ઉપરાંત તેઓએ કહ્યું કે સમાજના મોટા મોટા દરેક લોકોને મારી નમ્ર અપીલ છે કે, મારા પરિવારને ન્યાય અપાવજો..
જ્યારે આ ઘટનાની જાણકારી પોલીસે તેમના પરિવારજનોને આપી ત્યારે તેમના પરિવાર જન્મે જણાવી દીધું હતું કે, મનમોહનભાઈ નો 20 વરસ જુનો બિઝનેસ પાર્ટનર સત્યાર્થ તેની સાથે દગો કરીને જતો રહ્યો છે. મનમોહનભાઈએ સાત કરોડ રૂપિયા સત્યાર્થને વ્યાજે આપ્યા હતા. સ્ત્યાર્થે અન્ય કોઈ વ્યક્તિને પૈસા આજે આપી દીધા હતા..
પરંતુ ત્યારબાદ કોરોનાનો સમય આવી ગયો અને એ સમયમાં જ્યારે મનમોહનભાઈને આ રૂપિયાની જરૂર પડી અને તેને પરત માંગે ત્યારે સત્યાર્થ ભાઈઓ જણાવી દીધું હતું કે, હવે એ રૂપિયાને તું ભૂલી જજે અને એ રૂપિયા ક્યારે પણ તને પરત મળશે નહીં. આ રૂપિયાની માથાકૂટને લઈને તેઓ છેલ્લા કેટલાક સમયથી વાત વિવાદમાં ચાલતા હતા..
અને હવે આ તમામ બાબતો સહન ન થઈ શકતા તેઓએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. પરિવારજનો માટે તો આ દુઃખની ઘડી સહન થઈ શકે તેવી નથી. કારણ કે માત્ર બે કલાક પહેલા જ તેમની સાથે જે ચહેરો વાતો કરીને હસતો હતો. તે ચહેરો આજે મૃત્યુ પામી ગયો છે. પરિવારમાં મોતનું માતમ છવાઈ ગયું છે. તો તેમના સગાવાના સ્નેહીજનો પણ દુઃખની ઊંડી લાગણીમાં રહી ગયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]