અત્યારે એક કિસ્સો એવો સામે આવ્યો છે જે જાણીને સગા વહાલા અને પાડોશીના લોકોને આંખે અંધારા આવી ગયા હતા. અવારનવાર લોકો સાથે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. જેમાં આવી એક ઘટના જાણીને દરેક લોકોના હૃદય પીગળી ગયા હતા. આ ઘટના ધાર વિસ્તારમાં બની હતી. જેમાં એક પરિવારમાં બંને ભાઈઓ અને તેમના માતા-પિતા રહેતા હતા.
શહેરના દશેરા મેદાન વિસ્તારમાં આ ઘટના બની ગઈ હતી. પરિવારના પિતાનું નામ મનોહરભાઈ હતું અને તેમના દીકરાનું નામ સુનિલ હતું. મનોહર ભાઈ તેમના બંને દીકરા અને દીકરાની વહુ સાથે રહેતા હતા. સુનિલ ઘણા સમયથી કોઈ વાતને લઈને ચિંતામાં રહેતો હતો. તે એક કંપનીમાં નોકરી કરતો હતો.
સુનિલ બે દિવસ પહેલા જ તેમના ઘરે આવ્યો અને તે પરિવારના લોકોથી દૂર રહીને નોકરી કરતો હતો અને તેમની માતા બીમાર હોવાને કારણે તે પોતાની પત્ની સાથે ઘરે પરત આવ્યો હતો તેમની પત્ની તેમના પિયર રહેવા ગઈ હતી. સુનિલ તેમના પરિવારના લોકો સાથે વાતચીત કરતો હતો બીજા દિવસે સુનિલ ઘરની અંદર તેમના રૂમમાં ગયો હતો.
જેના કારણે માતા-પિતાને લાગ્યું કે તે કોઈ કામ હોવાને કારણે રૂમમાં ગયો છે અને ઘણો સમય થઈ જતા તે રૂ મમાંથી બહાર આવ્યો ન હતો અને તેને દરવાજો પણ ખોલ્યો ન હતો જેના કારણે સુનિલને મોટાભાઈ કામ પરથી આવ્યા ત્યારે તેમના પિતાએ સુનિલના દરવાજો ખટખટ આવવાનું કહ્યું હતું દરવાજો સુનિલે ખોલ્યો ન હતો.
ઘરના દરેક લોકોએ મળીને દરવાજાને તોડી નાખ્યો હતો અને તેઓ ઘર પ્રવેશ્યા હતા રૂમની અંદર જતાં તેમણે જોયું હતું દરેક પરિવારના લોકો ઢળી પડ્યા હતા. સુનિલ લટકી રહ્યો હતો અને તેમને આપઘાત કરી લીધો હતો. સુનિલ સાથે આવી ઘટના બની જતા પરિવારના લોકો બુમાબુમ કરીને રડવા લાગ્યા હતા.
જેના કારણે આસપાસના લોકો પણ સુનિલના ઘરે પહોંચી ગયા હતા અને તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સુનિલના પત્ની પણ પિયરના લોકોને જાણ કરવામાં આવી હતી પત્નીને સુનિલના મૃત્યુની જાણ થતા જ તે આઘાતમાં બેહોશ થઈ ગઈ હતી. તેમને પણ હોસ્પિટલ સારવા માટે લઈ જવામાં આવી હતી.
કોતવાલી પોલીસ તપાસ કરી રહી હતી. સુનિલે શા માટે આપઘાત કર્યો હતો તેની પોલીસ પૂછપરછ કરીને તપાસ કરી રહી હતી. પરિવારના યુવકે તેમના પરિવારજનોને મળીને આવી ઘટના કરી નાખતા પરિવાર આઘાત સહન કરી શક્યું નહીં. અવારનવાર આવા કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યો છે. જેના કારણે પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]