Breaking News

સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિના અસરગ્રસ્તો માટે મોરારી બાપુએ દાન આપ્યા આટલા લાખ રુપિયા.. માનવતા દાખવે એ જ સાચા રામ ..

સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાય છે. એક સાથે આટલો બધો વરસાદ વરસી જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઇ ચૂક્યા છે. તેમજ તેમને ભારે નુકસાની વેઠવી પડશે. લોકોના ઘર ડૂબી ગયા, ખેતરોનું ધોવાણ થઈ ગયું, બધો જ પાક તણાઈ ગયો તેમજ પોતાના પશુઓ પણ પાણીના ભરાવાને લીધે મૃત્યુ પામ્યા તેમજ તેમના વાહનો પણ પૂરમાં તણાઈ ગયા…

સૌરાષ્ટ્રના જૂનાગઢ, જામનગર, રાજકોટ અને પોરબંદર જિલ્લાને ભારે નુકસાની વેઠવી પડશે. ગઈ વખતે જ્યારે આવતી વાવાઝોડું આવ્યું હતું ત્યારે પણ સરકારે અસરગ્રસ્ત વિસ્તારમાં સહાય બહાર પાડી હતી તેમજ સમાજમાં લોકોએ માનવતા દાખવીને અસરગ્રસ્ત વિસ્તારના લોકોની ખૂબ મદદ કરી હતી. જેમાં યુટ્યુબર ખજૂર ભાઈ કેટલાય લોકોના આશીર્વાદ કમાઈ ચૂક્યા છે.

હવે મોરારીબાપુ પણ વરસાદના કહેરથી અસર પામેલા વિસ્તારોમાં રાહત ફંડ આપવાના છે. મોરારીબાપુએ મુખ્યમંત્રીના રાહત ફંડમાં ૨૫ લાખ રૂપિયા પણ કર્યા છે. આ અંગે રાજ્યના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે મોરારીબાપુ રામકથા ના માધ્યમથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ અતિવૃષ્ટિની સહાય માટે કુલ ૨૫ લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડ માં અર્પણ કરે છે તે બદલ હું ભુપેન્દ્ર પટેલ એમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.

મોરારીબાપુની રામકથા વિશ્વમાં પ્રચલિત છે. હાલ તેઓ દાર્જીલિંગમાં રામકથા અર્થે છે. અતિવૃષ્ટિ ની અસરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્યના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મુલાકાતે ગયા હતા.ત્યાં જઈને તેઓએ અસરગ્રસ્તો માટે સહાય અને રાહત તેમજ બચાવની કામગીરી તાબડતોબ શરૂ કરાવી હતી.

શપથ લીધા બાદ તરત જ તેઓ રાજકોટ અને જામનગરના પૂરથી અસરગ્રસ્ત લોકોને રૂબરૂ મળીને જાણકારી મેળવી રહ્યા હતા. એ લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને જે પ્રકારની મુશ્કેલીઓ સહન કરવી પડતી હતી તેનો આસન હલ કરવાનું કામ રાજ્યના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાસ કર્યો હતો.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કોઈપણ અસરગ્રસ્ત મદદ વગર નહીં રહે. સરકાર મુશ્કેલીના સમયમાં સૌ કોઈની સાથે ઉભી છે. અને તેમને શક્ય હોય એટલી બધી જ મદદ પૂરી પાડશે. એટલે કોઈપણ નાગરિક કે ગભરાવાની જરૂર નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *