Breaking News

મોજથી ફરતા પરિવારને પડોશીનો ફોન આવ્યો કે તમારા ઘરના તાળા તૂટી ગયા છે, પરિવાર ઘરે પહોચે એ પહેલા જ બીજા ફોનમાં કીધું એવું કે રોકકળ મચી ગઈ..!

આખો વરસ દરમિયાન પોતાના કામ ધંધામાં વ્યસ્ત રહેતા પરિવારના પુરુષો પરિવાર સાથે સમય વિતાવવા માટે નોકરી ધંધેથી રજા લઈને થોડો સમય ફરવા માટે ચાલ્યા જતા હોય છે. જ્યારે પણ તેઓ પરિવાર સાથે કોઈ સ્થળે ફરવા માટે જાય છે. ત્યારે સુખ દુઃખની તમામ ચીજ વસ્તુઓ ભુલાવી દઈને પરિવારના સભ્યો સાથે જ સમય વિતાવે છે..

અત્યારે મોજથી ફરતા એક પરિવારને આનંદની પળો માતમમાં છવાઈ ગઈ છે. સત્યપાલભાઈ અને મહેન્દ્ર ભાઈ નામના બંને ભાઈઓ તેમની પત્ની શીતલ અને કાજલ સાથે ફરવા માટે ગયા હતા. તેમની સાથે તેમના બાળકો પણ ખૂબ જ ઉત્સુકતાથી હરી ફરી રહ્યા હતા. તેઓ સાત દિવસ માટે ફરવા માટે ગયા હતા.

પરંતુ ત્રીજા દિવસે જ અચાનક તેમના પડોશીમાં રહેતા ભુપેશભાઈનો ફોન આવ્યો હતો કે, તેઓ જ્યારે સવારે જાગ્યા ત્યારે તેમના ઘરના દરવાજાના તાળા તૂટેલા જોયા છે. બસ આ દ્રશ્ય જોતા જ તેઓએ તાત્કાલિક ધોરણે ફોન કરીને માહિતી આપી દીધી હતી. મહેન્દ્રભાઈ અને સત્યપાલ ભાઈએ પડોશી ભુપેશભાઈને કહ્યું કે, તમે અમારા ઘરે જાઓ અને શું થયું છે..?

તેની જાણકારી મેળવીને તરત જ અમને કોલ કરજો જ્યારે મહેન્દ્રભાઈને સત્યપાલ એ તેમની પત્નીઓને જણાવ્યું કે, આપણા ઘરના તાળા તૂટી ગયા છે. ત્યારે તેઓ પણ ખૂબ જ ચોંકી ઉઠ્યા હતા અને તેઓએ જણાવ્યું કે, બંને મહિલાઓના તમામ ઘરેણા અને રોકડ રૂપિયા સાથે સાથે બચાવવાની તમામ કિંમત ઘરની તિજોરીમાં મૂકેલી છે..

જુઓ તેમના ઘરે ચોર ત્રાટક્યા હશે તો આ કિંમત ચોરી કરીને જતા રહ્યા હશે. તો તેમને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવશે કેમકે બંને મહિલાઓએ બચાવેલી તમામ જમાપુંજી આ ચોરીની અંદર ચોરી થઈ જતા તેમને રોવાનો વારો પણ આવી શકે છે. બંને મહિલાઓએ જણાવી દીધું કે, હવે તેમને હરવા ફરવામાં કોઈ પણ પ્રકારનો રસ નથી..

હવે તેઓ પોતાના ઘરે જવા માંગે છે. તેઓ ઘરે આવવા માટે નીકળી ગયા હતા. ત્યારે તેઓ રસ્તે પહોંચી અને ફરીવાર મુકેશભાઈનો ફોન આવ્યો અને તેઓએ જે વાત જણાવી તે સાંભળીને પરિવાર ઘરે પહોંચે એ પહેલા જ રોકકળ મચી ગઈ હતી. કારણ કે ભુપેશભાઈએ ફોનમાં જણાવ્યું કે, તેમના ઘરના બંને તાળા તુટી ગયા છે..

આ ઉપરાંત ઘરનો નીચેનો માળ અને ઉપરનો માળનો તમામ સામાન વેરવિખેર થયો છે. જ્યારે ઉપરના મળે બેડરૂમમાં રહેલી તિજોરીના તાળા પણ તૂટી ગયા છે. અને તિજોરીની અંદરથી તમામ સામાન પણ ગાયબ થઈ ગયો છે. બસ તેમના મોઢેથી આ શબ્દો સાંભળીને મહેન્દ્રભાઈ અને સત્યપાલભાઈના પરિવારમાં ખલબલી મચી ગઈ હતી..

તેઓ પોતાને ઘરે ખૂબ જ વધારે સ્પીડથી આવતા હતા. તેઓ જ્યારે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે બસ હતાશા સિવાય કશું જ બાકી રહ્યું હતું નહીં. તાત્કાલિક તેઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણકારી આપી હતી કે, તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ છે. જેમાં બંને મહિલાઓને સોના ચાંદીના દાગીનાઓ કે જેની કુલ કિંમત 20 લાખ રૂપિયા અને સાથે સાથે સાત લાખ રૂપિયા રોકડા પણ ગાયબ છે.

મહેન્દ્રભાઈ અને સત્યપાલભાઈ બંનેનું કહેવું છે કે, તેઓ ફરવા જવાના છે. તેની જાણકારી માત્ર નજીકના વ્યક્તિઓને જ હતી. એટલા માટે કોઈ નજીકનો વ્યક્તિ જ આ ચોરીની અંદર સામેલ હોય તેવું તેમને લાગી રહ્યું છે. આ સાથે સાથે તેઓએ તેમના થોડે દુરના કાકાના દીકરા ઉપર શંકા કરીને પોલીસને જણાવ્યું છે કે, કદાચ તેમના કાકાનો દીકરો તેમની સંપત્તિ લૂંટવા માંગતો હતો..

એટલા માટે તેને આ કાવતરું ઘડયુ તેવું બની શકે છે. પોલીસએ શંકા મંદના નામના આધારે તેની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે. જ્યારે આસપાસના પાડોશીઓના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘટના સ્થળની તલાસી લઈ સીસીટીવી કેમેરાની મદદથી આ ચોર લુટારા કોણ હતા અને કયા વિસ્તારમાંથી પ્રવેશ્યા છે..

તેમજ આ ઘટના કેટલા વાગે બની છે. તેની જાણકારી પણ મેળવાય રહી છે. બિચારા પરિવારજનોને એવી તો શી ખબર કે તેઓ જ્યારે ફરવા જશે ત્યારે તેમના ઘરની પથારી ફરી જશે અને ફરીને પરત આવશે ત્યારે તેમની તમામ કિંમતી ચીજ વસ્તુઓ લૂંટાઈ જશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *