ક્યારે આપણી સાથે શું થઈ જાય તેનું નક્કી હોતું નથી, એટલા માટે દરેક લોકો કહી રહ્યા હોય છે કે આપણે જે પણ પરિસ્થિતિની અંદર હોઈએ તે પરિસ્થિતિની અંદર અન્ય કોઈ બાબતો વિચાર કર્યા વગર મન મૂકીને જીવન જીવી લેવું જોઈએ, હંમેશા એકબીજા સાથે ખૂબ જ હસી મજાક જીવન જીવવાથી જીવનના તમામ આનંદો પૂરા થઈ જતા હોય છે..
અત્યારે ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતા ત્રણ મિત્રોને ઉપર ખૂબ જ મોટો કાળ ત્રાંટકી પડ્યો હતો, બિચારા જુવાન જોધ ત્રણેય મિત્રોને એવી તો શી ખબર કે તેમના માટે જીવન જીવવા માટે હવે લાંબો સમય બાકી બચ્યો નથી, એક જ કોલેજના એક જ ક્લાસરૂમમાં સાથે બેસીને ભણતર ભણતા નિકુંજ, નૈતિક અને પ્રીતમ નામના આ ત્રણેય મિત્રો ખૂબ જ દોસ્તી ધરાવતા હતા..
આ ત્રણેય મિત્રો એક જ સોસાયટીમાં રહેતા અને એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા, નિકુંજની ઉંમર 22 વર્ષની જ્યારે નૈતિકની ઉંમર 21 વર્ષ અને પ્રીતમની ઉંમર પણ 21 વર્ષની હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય મિત્રો સાંજના સમયે તેમના સોસાયટીના ખુલ્લા પ્લોટ પાસે બેઠા હતા, એ વખતે પ્રીતમને ઢોસા ખાવાની ઈચ્છા થઈ હતી..
અને આ ત્રણેય મિત્રોની ઈચ્છા પૂરી કરવા માટે એક બાઈક લઈને નીકળી પડ્યા હતા, રાત્રીના લગભગ 11 વાગ્યા આસપાસ તેઓ શહેરના બહારના વિસ્તાર પાસે આવેલી ખાણીપીણીની લારીઓ ઉપર ઢોસા ખાવા માટે જઈ રહ્યા હતા. ત્રણેય મિત્રોએ તેમના ઘરે ફોન કરીને પણ જણાવી દીધું હતું કે, તેઓ ઢોસા ખાવા માટે જઈ રહ્યા છે..
અને તેમને ઘરે આવવામાં થોડું મોડું થઈ જશે પ્રીતમ બાઇક ચલાવી રહ્યો હતો, જ્યારે પાછળની બાજુએ નિકુંજ અને નૈતિક બેસી ગયા હતા, જ્યારે તેઓ વાતચીતો કરતા કરતા ઢોસા ખાવા માટે જઈ રહ્યા હતા, ત્યારે અડધી રસ્તે જ પ્રીતમનો હાથ બાઇકના હેન્ડલ પરથી છૂટી ગયો અને તેમની બાયક સ્લીપ લાગી જતા આ ત્રણેય મિત્રો રોડ ઉપર ફંગોળાઈ ચૂક્યા હતા..
અને પાછળથી આવતા ટ્રકે બ્રેક મારવાની ઘણી બધી કોશિશ કરી પરંતુ ટ્રક ખૂબ જ વધારે ગતિમાં હોવાને કારણે તે બ્રેક મારી શક્યો નહીં અને આ ત્રણેય વ્યક્તિ ઉપરથી ટ્રકના ટાયર ચાલી જતા ત્રણેયના શરીર ઘટના સ્થળે ચૂક્યા હતા, એક સાથે ત્રણ લોકોનો કાળજા ધ્રુજાવતો જીવ ચીખો ફાડીને જતો રહેતા રસ્તા ઉપરથી પસાર થતા કેટલાક લોકોના પણ હાથ થર થર કાપવા લાગ્યા હતા..
કારણ કે અકસ્માતનું આવું દ્રશ્ય કોઈપણ વ્યક્તિ માટે જોવું સહેલું હોતું નથી, છતાં પણ લોકોએ આ ત્રણેય મિત્રોને એમ્બ્યુલન્સની મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાનું વિચાર્યું હતું. પરંતુ ત્યાં સુધીમાં તો આ ત્રણેય મિત્રોના જીવ ચાલ્યા ગયા હતા, બિચારા ઢોસા ખાવા માટે હસતા ખેલતા ઘરેથી નીકળ્યા હતા..
પરંતુ તેમને એવી તો શી ખબર કે, તેઓ અકસ્માતનો ભોગ બનવાના છે. અને જેમાં આ ત્રણેય મિત્રોનું ખૂબ જ દર્દનાક રીતે મૃત્યુ થવાનું છે, પાછળથી આવતા ટ્રક ચાલકે ઘણી બધી કોશિશ કરી છતાં પણ તે ટ્રક પર સંતુલન મેળવી શક્યો નહીં અને આ ત્રણેય વ્યક્તિઓ ઉપરથી ટ્રકનું ટાયર ચાલી ગયું હતું..
પ્રીતમનું તો ઘટના સ્થળે જ માથું ફાટી ગયું હતું, જ્યારે નિકુંજ અને નૈતિકના પેટ ઉપરથી ટ્રકના બે ટાયરો ચાલી જવાને કારણે તેમનું અડધું શરીર હલનચલન કરી રહ્યું હતું, જ્યારે અડધા શરીરમાંથી જીવ ચાલ્યો ગયો હોય તેવું લાગી રહ્યું હતું. ત્યાં ઉભેલા લોકોનું કહેવું છે કે, જે લોકો આ અકસ્માતના દ્રશ્યોને તેમની નજર સામે જોઈ ગયા હશે..
તેમને ઘણા મહિનાઓ સુધી ઊંઘ આવવાની નથી કારણ કે, કોઈ પણ વ્યક્તિ આવા દર્દનાક દ્રશ્યો જોઈ શકવાની તાકાત ધરાવતો નથી, ઘટનાના સમાચાર બીજી બાજુ જ્યારે પ્રીતમ નિકુંજ અને નૈતિકના માતા-પિતા સુધી પહોંચ્યા ત્યારે તેઓ તો અડધી રાત્રે સફાળા બેઠા થઈને ચક્કર ખાઈ ગયા હતા..
મા બાપ સુખ શાંતિથી ઊંઘ લઇ રહ્યા હતા કારણ કે, તેઓને તેમના દીકરાની કશી પણ ચિંતા હતી નહીં, તેમના દીકરા ખૂબ જ સરળ સ્વભાવના અને હંમેશા સાચી રાહ ઉપર ચાલવા વાળા હતા, એવામાં અચાનક જ તેમના મૃત્યુના સમાચાર આવતા અને પ્રિતમના માતા-પિતા હોય તેમનો એકનો એક સંતાન ગુમાવી દીધો હતો..
નિકુંજ અને નૈતિકના માબાપ તો દુઃખની આ ગળીને સહન કરી શક્યા નથી, પ્રીતમના માતા-પિતા પણ ઊંડા આઘાતમાં ખૂબ જ ગમગીન બની ગયા હતા, એક જ સોસાયટીમાં સાથે રહેતા આ ત્રણેય મિત્રોના મૃત્યુ થતાં સોસાયટીમાં પણ રોકકળનો માહોલ દેખાઈ આવ્યો હતો. બીજા દિવસે સવારે આ ત્રણેયની અંતિમ વિધિઓ શરુ કરવામાં આવી હતી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]