અત્યારના સમયમાં યુવક-યુવતીઓ પોતાના પરિવારથી વિરુદ્ધ જઈને પોતાની જાતે તેમના સંબંધ બનાવી રહ્યા છે. પ્રેમ સંબંધમાંમાં જોડાઈ રહ્યા છે. આ જોઈને આજની યુવાન પેઢી પણ ખરાબ રસ્તે દોરાઈ રહી છે. પ્રેમસંબંધને કારણે બનતા ચોકાવનારા કિસ્સાઓ ખૂબ સામે આવી રહ્યા છે. જેમાં વધુ એક કિસ્સો હાલમાં સામે આવ્યો હતો.
આ કિસ્સો ભીરાના બેલવા ગામમાં રહેતા પરિવારની દીકરી અને તેમના જ ગામનો દીકરો બંને ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા. ગામમાં રહેતા બલરામ ભાઈની દીકરી રૂબી તેમની ઉંમર 17 વર્ષની હતી. તે ઘણા સમયથી તેમના જ ગામના યુવક રણજીત તેમની ઉંમર 18 વર્ષની હતી. તેની સાથે પ્રેમ સંબંધમાં હતી.
બંને પોતાના પ્રેમ સંબંધને આગળ વધારવા માંગતા હતા પરંતુ રૂબીના પરિવારના લોકોને આ પ્રેમસંબંધ મંજૂર ન હતો અને બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. જેના કારણે બંને લગ્ન કરવા માંગતા હતા પરંતુ પરિવારના લોકોની ના હોવાને કારણે તેઓ એક થઈ શકે તેમ ન હતા. એક દિવસ રણજીત રૂબીને મળવા માટે તેના ઘરે રાતના સમયે ગયો હતો.
રાતના સમયે ઘરના દરેક લોકો સૂઈ રહ્યા હોય ત્યારે રૂબી અને રણજીત બંને મળતા પરંતુ રૂબીના પરિવારના લોકો અચાનક જાગી જતા બંનેને પકડી પાડ્યા હતા. ત્યારબાદ રૂબીના પરિવારના લોકોએ મળીને રણજીતને ખૂબ જ માર માર્યો હતો. માર માર્યા બાદ પરિવારના લોકોએ ભીરા પોલીસને આ ઘટનાની જાણ કરી દીધી હતી.
જેના કારણે પોલીસ બેલવા ગામમાં આવી અને રણજીતને કસ્ટડીમાં લઈ લીધો હતો પરંતુ રણજીતને પોલીસ સ્ટેશન લઈ જઈને પૂછપરછ પોલીસ કરી રહી હતી. તે સમયે અચાનક જ રણજીતની તબિયત બગડી હતી. જેના કારણે પોલીસ રણજીતને ઝડપથી બિજુઆ સીએસસીમાં દાખલ કર્યો હતો. થોડીવાર સારવાર બાદ રણજીતને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.
તેમની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી હતી. તે જ દિવસે રૂબીના ઘરમાંથી રૂબીનો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો. જેના કારણે પોલીસે રૂબીના મૃતદેહને કબજે કરી હોસ્પિટલ મોકલ્યો હતો. તે સમયે પોલીસને જાણવા મળ્યું હતું કે બંને જણાએ ઝેર પીધું છે. જેના કારણે રૂબીનું મૃત્યુ થઈ ગયું હતું.
પરંતુ રણજીતની પૂછપરછ કરતા રણજીતએ જણાવ્યું હતું કે, રૂબીના પિતા બલરામે બંને પ્રેમીપ્રેમિકાને બળજબરીથી ઝેર ખવડાવ્યું હતું. જેના કારણે રૂબીનું ઘરે જ મૃત્યુ થઈ ગયું હતું અને રણજીતને પોલીસે ધરપકડ કરી હોવાને કારણે તેમનો જીવ બચી ગયો હતો. રૂબીના પિતા બંનેનો પ્રેમ સંબંધ ઈચ્છતા ન હતા.
જેના કારણે પિતાએ બંનેને મારી નાખવાની કોશિશ કરી હતી. પોલીસ રણજીત સાથે પૂછપરછ કરીને રૂબીના પિતા બલરામની પૂછપરછ કરી રહ્યા હતા. પ્રેમ પ્રકરણના કારણે એક પિતાએ જ પોતાની દીકરીને મારી નાખી હતી અને દીકરીએ પણ પોતાનો કરુણ જીવ ગુમાવી દીધો હતો. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.
રણજીતના પરિવારના લોકો ખૂબ જ નિરાશ થઈ ગયા હતા. તેમના દીકરા પર આવો જીવલેણ હુમલો કરવાને કારણે પરિવારના લોકોએ પોલીસ સ્ટેશનમાં બલરામ સામે ફરિયાદ નોંધાવી હતી. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ વધતી જોવા મળે છે. પ્રેમસબંધમાં પ્રેમી-પ્રેમિકાઓ પોતાના જીવને ગુમાવી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]