Breaking News

મોડી રાતે ઘરે દરવાજો બંધ કરીને સુઈ રહેલા માં-દીકરો અચાનક આગ લગતા, ઊંઘમાં જ બળીને ખાખ થયા ઘરમાં હતું એવું કે..!!

અત્યારના સમયમાં એવા ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે જાણીને પણ આપણા હૃદય ધ્રુજી જાય છે. અવારનવાર પરિવારના લોકો પોતાના જ ઘરે સુરક્ષિત રહ્યા નથી. ક્યારે તેમની સાથે જીવલેણ ઘટના બની જાય તે કહી શકાતું નથી. હસ્તી ખેલતી જિંદગી એક જ મિનિટમાં પૂરી થઈ જાય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે.

આ ઘટના રિવા જિલ્લામાં આવેલા મંગવાન ટાઉનશીપમાં રહેતા પરિવાર સાથે બની હતી. પરિવારમાં પતિ-પત્ની અને તેમનું બાળક અને બીજા પરિવારના લોકો રહેતા હતા. પરિવારનું મકાન કાચું હતું. કાચા મકાનમાં યુવક અમિત વર્મા અને તેમની પત્ની અંજના અમિત વર્મામાં રહેતા હતા. અંજનાની ઉંમર 25 વર્ષની હતી.

અને તેમનો દીકરો અર્પિત વર્મા તેમની ઉંમર 1 વર્ષની હતી. તેઓ પરિવારમાં સાથે રહેતા હતા. અમિત વર્મા ખેતી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓને ઘરમાં સાચું મકાન હોવાથી રસોડું બનાવવામાં આવ્યું નહોતું અને ઘરમાં ગેસ સિલિન્ડર પણ રાખવામાં આવતું ન હતું.

એક દિવસ સાંજના સમયે અમિત વર્મા પોતાના ઘરની ઓસરીમાં બહાર સૂઈ રહ્યા હતા અને તેમની પત્ની અને દીકરો અર્પિત રૂમમાં સૂતા હતા. અચાનક જ ઘરમાં ધડાકા સાથે આગ લાગી ગઈ હતી અને એક જ ઝટકામાં અમિત વર્માની પત્ની અંજના અને તેમનો દીકરો અર્પિત આગમાં સંકળાયાઈ ગયા હતા.

તેઓનો રૂમનો દરવાજો બંધ કરીને સુતા હતા. આગ એટલી ભયંકર લાગી હતી કે પરિવારના લોકો બંનેને બચાવવા માટે દોડયા પરંતુ આગને કારણે શરીર બળી રહ્યું હતું. જેના કારણે તેઓ ઘરની બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ ફાયર બ્રિગેડ સાથે ઘટના સ્થળે પહોંચી હતી.

આગને કાબુમાં લીધી હતી. ત્યારબાદ પોલીસ ઘરમાં તપાસ માટે ગઈ ત્યારે તેમણે જોયું તો ઘરમાં પત્ની અને તેમનો દીકરો મૃત્યુ પામ્યા હતા. તેઓ બળીને ખાખ થઈ ગયા હતા. બંનેના મૃતદેહ ઓળખી શકાય તેવા રહ્યા ન હતા અને બંનેના મૃતદેહ ઘરની કાચી માટી અને અમુક વસ્તુઓને કારણે વચ્ચે ફસાઈ ગયા હતા.

ત્યારબાદ પોલીસે ઘરમાં જોયું તો ઘર આખું બળી ગયું હતું. ત્યારબાદ પોલીસે પરિવારના લોકોની પૂછપરછ કરી હતી. ત્યારે પરિવારના લોકોએ જણાવ્યું હતું કે રૂમ અંદરથી બંધ હતો અને અંજનાના પતિની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું. કે ઘરમાં ગેસ સિલિન્ડર ફાટવાને કારણે આગ લાગી હતી.

પરંતુ બંનેના અલગ અલગ નિવેદનો મળ્યા હોવાને કારણે પોલીસને ઘરના લોકો પર શંકા જતી હતી. માત્ર માતા દીકરો જ કેમ આગમાં ફસાયા હતા અને રૂમનો દરવાજો બંધ હતો. છતાં પણ રૂમ કઈ રીતે ખોલી શકાય આ પોલીસ તપાસ કરી રહી હતી. અને બંને માતા દીકરાએ ઊંઘમાં જ પોતાના જીવનમાં ગુમાવ્યા હતા. એક જ મિનિટમાં પરિવારના લોકો પોતાના અંગત વ્યક્તિઓથી દૂર થઈ રહ્યા છે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *