Breaking News

મોડી રાતે અચાનક ઘરમાં શોર્ટ સર્કિટ થતાં ઊંઘમાં સુતેલાં એકસાથે પરિવારના લોકો બળીને ખાખ થયા, જોઇને લોકોના કાળજા હલબલી ગયા..!!

ક્યારે પરિવારના લોકો સાથે ગંભીર ઘટના બની જાય છે તે કહી શકાતું નથી. પરિવારના લોકો હળી મળીને તેમની જિંદગી પસાર કરી રહ્યા હોય છે પરંતુ એક સાથે અચાનક જ સુઈ રહેલા પરિવારને કાળ ભરખી જાય છે. આવી એક કરુણ ઘટના હરદોઈમાં આવેલા બિલ ગ્રામ કોતવાલી વિસ્તારમાં આવેલા કતારપુર ગામમાં બની છે.

આ ગામમાં રહેતા યુવક વિમલેશભાઈ તેમની પત્ની અને એક દીકરી સાથે રહેતા હતા. વિમલેશભાઈની ઉંમર 25 વર્ષની હતી. તેઓ તેમની પત્ની પુષ્પાબેન સાથે પરિવારમાં રહેતા હતા. પુષ્પાબેનની ઉંમર 22 વર્ષની હતી. તે બંનેને સંતાનમાં એક મહિનાની દીકરી હતી. દીકરીનું નામ દિવ્યાંશી હતું. વિમલેશભાઈ ખેતી કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

અને તેઓ પોતાના પરિવાર સાથે ખૂબ જ હળીમળીને રહેતા હતા. બંને જણા તેમની માસુમ દીકરીને ખૂબ જ પ્યારથી મોટી કરી રહ્યા હતા. પરિવાર ખૂબ જ ખુશીથી રહેતું હતું. અચાનક જ આ પરિવારને નજર લાગી ગઈ હતી. એક દિવસ પરિવારના પતિ-પત્ની રાતના સમયે ભોજન કરીને પોતાના જ ઘરમાં રૂમમાં સૂઈ રહ્યા હતા.

વિમલેશભાઈ પોતાની પત્ની અને તેમની બાળકી સાથે રૂમમાં સૂતા હતા. તે સમયે મોડી રાત્રના સમયે અચાનક જ તેમના રૂમમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. ઘરમાં રહેલા પરિવારના લોકો ચીસા ચીસ કરી રહ્યા હતા અને બીમોનો અવાજ ખૂબ જ આવી રહ્યો હતો. જેના કારણે આજુબાજુના લોકો પણ જાગી ગયા હતા.

અને તેઓ પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા હતા. દરેક લોકોએ જોયું તો વિમલેશભાઈના ઘરમાંથી ધુમાડો બહાર આવી રહ્યો હતો અને વિમલેશભાઈ તેમજ તેમની પત્ની પુષ્પાબેનનો અવાજ આવી રહ્યો હતો. જેના કારણે આસપાસના લોકોએ તરત જ ઘરમાંથી આવી રહેલી આગને ઓલવવા માટે ડોલથી પાણી ભરીને આગ ઓલવાનો પ્રયાસ કર્યો હતો.

અને ડોલો ભરીને પાણી નાખવા લાગ્યા હતા પરંતુ સમય લાગી ગયો હતો. ત્યારબાદ પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન પતિ પત્નીને દરવાજો તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ તેમની બાળકી દિવ્યાંશી ખૂબ જ દાઝી ગઈ હતી.

જેના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું હતું. દાજી ગયેલા પતિ પત્નીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને ત્યાંથી તેમને લખનૌ ડ્રોમાં સેન્ટર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા પરંતુ મોડી રાત્રે બંનેનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. આજુબાજુના લોકોએ પોલીસને જણાવ્યું હતું કે આગ ઓલવ્યા બાદ તેઓ જ્યારે રૂમમાં ગયા ત્યારે એ બધું જ વેર વિખેર થઈ ગયું હતું.

ઘરવખરીનો તમામ સમાન બળીને ખરાબ થઈ ગયો હતો અને તેમની પત્ની પુષ્પાબેન ખૂબ જ બુમાબૂમ કરી રહ્યા હતા. જેના કારણે આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઘરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને બંને પતિ-પત્નીના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. તેમની બાળકીનું દાજીને મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ દંપતીનું પણ મૃત્યુ થઈ ગયું હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *