અમુક બીમારી એવી હોય છે કે, તે પકડમાં આવતા ખૂબ જ વાર લાગે છે. ઘણી બધી વાર અમુક લોકો આ નાના અમથા દુખાવાને નજર અંદાજ કરીને તેની સારવાર કરાવતા નથી અને એક દિવસએ નાનો દુખાવો એવડું મોટું સ્વરૂપ ધારણ કરી લે કે એ વખતે સર્જરી કરવાની પણ ફરજ આવી પડે છે..
અને પૈસા પાણીની જેમ વપરાઈ જાય છે. અત્યારે મોઢામાંથી ગાળો ફાટી જાય એવો પેટમાં દુખાવો એક વડીલને થવા લાગ્યો હતો. આ ઘટના દામોદર પાર્કની છે. આ સોસાયટીમાં લક્ષ્મણસિંહ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. લક્ષ્મણ સિંહને બે દીકરાઓ છે. લક્ષ્મણસિંહએ થોડા સમય પહેલા જ તેમના બંને દીકરાને જણાવ્યું હતું કે, તેમને પેટમાં અતિશય દુખાવો થઈ રહ્યો છે..
ત્યારે તેમના બંને દીકરાએ જણાવ્યું કે, તમારે ખાવા પીવાની ચીજ વસ્તુઓની અંદર ફર્ક આવી ગયો હશે અને કોઈ ચીજ વસ્તુ ન બચવાને કારણે તમને પેટમાં દુખાવો થતો હશે. એ વખતે તેમને ચૂર્ણની ફાંકી આપીને આ દુખાવો મટાડી દેવામાં આવ્યો હતો. પરંતુ એક દિવસ બપોરના સમયે અચાનક કરજો તેમને અતિશય દુખાવો પડ્યો હતો..
જ્યારે તેમને આ દુખાવો થયો ત્યારે તેઓ આ દુખાવાને સહન કરી શક્યા નહીં અને મનમાં જે શબ્દો આવે તે શબ્દો તેવો જોર જોરથી બોલવા લાગ્યા હતા. મોઢામાંથી જોરજોરથી ચીસો અને બરાડા ફાટી નીકળ્યા હતા. તેમના ઘરમાં રહેતા અન્ય સભ્યોએ તરત જ લક્ષ્મણસિંહના બંને દીકરાઓને ઘરે બોલાવ્યા અને કહ્યું કે, લક્ષ્મણ સિંહને અતિશય માત્રામાં પેટમાં દુખાવો થઈ રહ્યો છે..
તેમને તાત્કાલિક ધોરણે નજીકની એક ખાનગી હોસ્પિટલમાં ચેકિંગ કરવા માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં પેટની અંદર તપાસ કરતાની સાથે જ એવું ચીજ વસ્તુ મળી આવી હતી કે, તે જોતાં જ ડોક્ટરના પણ હોશ છૂટી ગયા હતા. જ્યારે તપાસ ચલાવવામાં આવી ત્યારે ખબર પડી કે લક્ષ્મણસિંહના પેટની અંદર એક આર્ટિફિશિયલ દાંત મળી આવ્યો હતો..
જ્યારે તેમને આ બાબતે પૂછપરછ કરવામાં આવી ત્યારે લક્ષ્મણસિંહએ જણાવ્યું કે, આજથી થોડા વર્ષો પહેલાં તેમના ઘરે કેટલાક યુવકો કુત્રિમ દાંત ફિટ કરી આપવા માટે આવી પહોંચ્યા હતા. અને એ વખતે લક્ષ્મણસિંહને એક સાથે ચાર દાંતની સ્થિતી ખૂબ જ નાજુક હોવાથી તેમણે આ દાંત કઢાવી નાખ્યા હતા અને તેમના બદલે ₹700 નો એક એવા કુલ ચાર દાંત લગાવ્યા હતા..
પરંતુ આ દાંતની સમય મર્યાદા પૂર્ણ થઈ જતા પેઢામાં ચોટાડેલા દાંત નીકળી પડ્યા હતા અને ખોરાક મારફતે પેટની અંદર ચાલ્યો ગયો હોવાથી લક્ષ્મણસિંહને પેટમાં અતિશય દુખાવો થઈ રહ્યો હતો. આ દુખાવો આટલો બધો વધી ગયો કે, હવે ધીમે ધીમે છાતીમાં પણ તેને બળતરા થવા લાગે એને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી હતી..
ડોક્ટરે તાત્કાલિક ધોરણે સર્જરી કરીને આ દાંતને બહાર કાઢ્યો હતો. આ ઓપરેશન અતિશય હચમચાવી દે તેવું હતું. પરંતુ ડોક્ટરની સુજને કારણે તાત્કાલિક ધોરણે સર્જરી કરીને આ દાંતને પેટમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો. ડોક્ટરે લક્ષ્મણસિંહ તેમજ તેમના અન્ય પરિવારના સભ્યોને જણાવ્યું કે, ક્યારેય પણ ડોક્ટરની સલાહ વગર કોઈપણ વ્યક્તિ પાસેથી દાંત જેવી ચીજ વસ્તુઓનું નિદાન કરાવવું જોઈએ નહીં…
આ દાંત બિલકુલ હલકી ગુણવત્તા વાળો છે, જેની ધાતુ ઘસાવાને કારણે ધાતુ ઓગળીને તેમના પેટની અંદર જમા થઈ રહી હતી. આ સાથે સાથે તેને ગમ વડે ચીપકાવવામાં આવ્યો હતો અને અમુક મહિનાની અંદર જ આ ગમ નીકળી જતા દાંત શરીરને પેટની અંદર ચાલ્યો ગયો હતો. આ કિસ્સો ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સાબિત થયો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]