દરેક માતા પિતા જો તેમના બાળકોને એક કે બે દિવસ સુધી ન જુવે તો તેમને ચિંતા થવા લાગતી હોય છે કે, તેમના બાળકો ક્યાં હશે અને કઈ પરિસ્થિતિમાં હશે.? શું તેમને જમી લીધું હશે કે નહીં..? આ ઉપરાંત નાની નાની બાબતોનું પણ ધ્યાન દરેક માતા-પિતા રાખે છે, જ્યારે પણ દીકરા કે દીકરી ઘરની બહાર જાય ત્યારે દરેક મા બાપ ખૂબ જ ચિંતામાં સરી પડતા હોય છે..
અત્યારે એક લાડકવાયો દીકરો તેના અન્ય મિત્રોની સાથે ફરવા જવા માટે ઘરેથી નીકળ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનો અકસ્માત સર્જાઈ જતા મા બાપ માટે ખૂબ જ મોટી આફત ઝાટકી પડી હતી. આ ઘટના લલિત કૃપા સોસાયટીની છે. આ સોસાયટીમાં વિનોદ નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે..
પરિવાર માટેના પિતા હરે કૃષ્ણ ભાઈ તેની માતા દીપ્તિબેન તેમજ તેની બહેન પારુલ નો સમાવેશ થાય છે, વિનોદ તેના સોસાયટીમાં રહેતા અન્ય મિત્રોની સાથે હિલ સ્ટેશન ઉપર ફરવા જવા ઇચ્છતો હતો. એટલા માટે તેણે આ બાબતની મંજૂરી પોતાના પરિવારના સભ્યો સામે માંગી હતી..
વિનોદના પિતાએ મિત્રો સાથે હરવા ફરવા જવાની હા પાડી હતી, પરંતુ વિનોદની માતા સુરક્ષાના ભાગરૂપે તેના દીકરાની હિલ સ્ટેશન પર ફરવા જવાની મનાઈ ફરમાવતી હતી, તે કહેતી હતી કે, તમે કાર લઈને ફરવા જઈ રહ્યા છો અને કારની અંદર અકસ્માતનો ખૂબ જ વધારે જોખમ રહે છે..
એટલા માટે તમારે કાર લઈને ફરવા જવું જોઈએ નહીં, પરંતુ વિનોદ તેની માતાની કોઈપણ વાતને ધ્યાનમાં રાખી નહીં અને સોસાયટીના મિત્રો સાથે સવારના સમયે જ કારમાં બેસીને ફરવા માટે નીકળી ગયો હતો. જ્યારે સોસાયટીના પાંચે પાંચ મિત્રો કાર લઈને ફરવા માટે જઈ રહ્યા હતા ત્યારે હાઇવે ઉપર સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેવાને કારણે સાઈડમાં કરેલા ટ્રકની પાછળના ભાગે આકાર ઘૂસી ગઈ હતી..
આ ગમખ્વાર અકસ્માત સર્જાતા જ આ કારનો કચ્ચરઘાણ બોલી ગયો પરંતુ અંદર બેઠેલા પાંચ વ્યક્તિઓમાંથી કુલ ચાર વ્યક્તિઓના કમ કમાટી ભર્યા મૃત્યુ થઈ ગયા હતા, આ ગંભીર અકસ્માતના દ્રશ્યો નજરે જોનારાના તો રૂવાડા બેઠા થઈ ગયા હતા. તાત્કાલિક ધોરણે ત્યાં આસપાસના વિસ્તારમાં રહેતા કેટલાક લોકો દોડી આવ્યા અને આ કારમાંથી એક પછી એક દરેક વ્યક્તિને બહાર કાઢીને..
એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે હોસ્પિટલમાં મોકલાવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો ચાર વ્યક્તિના મૃત્યુ થઈ ગયા હતા અને એક વ્યક્તિ હાલ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યો છે, આ હચમચાવી દેતી ઘટનાને લઇ ચારેકોર ચકચાર મચી ગયો હતો, આ અકસ્માત એટલો બધો ભયંકર સાબિત થયો કે, હાઈવે ઉપર પણ ઘણી બધી લાંબી ટ્રાફિક સર્જાઈ ગઈ હતી..
ત્યાં સ્થાનિક પોલીસ હાઇવે ઉપર પહોંચી અને ટ્રાફિકને હળવું કર્યું હતું, જ્યારે સોસાયટીમાં આ વાતના સમાચાર પહોંચ્યા કે, વિનોદ તેમજ તેની સાથે ફરવા માટે ગયેલા અન્ય મિત્રોની કારનું અકસ્માત થયો છે. અને આ અકસ્માતની અંદર કુલ ચાર વ્યક્તિના મૃત્યુ થયા છે. ત્યારે કોઈ પણ વ્યક્તિ માટે દુઃખની આ ઘડી સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી..
વિનોદની માતા તો રડી રડીને બિહાલ થઈ ગઈ કે તેની મંજૂરી વગર વિનોદ ઘરની બહાર પગ મૂકી રહ્યો હતો અને તેની સાથે એવી ઘટના ઘટી ગઈ કે બિચારાનું મૃત્યુ થયું છે, વિનોદના પિતા પણ ત્યાં ને ત્યાં ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા. તેઓ પણ આ ઊંડા આઘાતને સહન કરી શક્યા નહીં..
વિનોદની બહેન પણ દુઃખના આઘાતમાં સરી પડી હતી. સોસાયટીમાં રોકકળનો માહોલ સર્જાઈ ગયો હતો. સૌ કોઈ લોકો યાદ ચારે ચાર વ્યક્તિઓને અશ્રુભીની આંખે વિદાય આપી હતી. રોજબરોજ ઘણા બધા અકસ્માતના બનાવો સામે આવે છે, જેમાં હાઇવે ઉપર ડ્રાઇવિંગ કરતી વખતે સહેજ અમથી પણ થઈ જતી ચૂક અંતે કેટલાય વ્યક્તિઓનો જીવ લઈ બેસતી હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]