ક્યારે કયા વ્યક્તિ માથે કાળ ત્રાટકી પડે તેનું કશું નક્કી કરી શકાતું નથી, જીવનમાં કેવું કર્મ કરવું જોઈએ તેનો તમામ આધાર આપણા હાથમાં રહેલો હોય છે. પરંતુ આપણું નસીબ અને સુખ દુઃખની ઘડી વાપરી સાથે ક્યારે આવશે અને ક્યારે જશે તે આપણા હાથમાં હોતું નથી કુદરતની મરજી પ્રમાણે આ દુનિયા ચાલે છે..
અત્યારે એક પરિવાર માથે ખૂબ જ મોટી કઠણાઈ બેસી ગઈ હતી, સમગ્ર પરિવાર તેના અન્ય મિત્રોની સાથે ભેગા મળીને વાતચીત કરતા કરતા મકાઈનો ચેવડો ખાઈ રહ્યા હતા. એવામાં તો એવી ઘટના ઘટી ગઈ કે, માત્ર બે જ સેકન્ડમાં સૌ કોઈ લોકોની નજરની સામે જીવનો ફટાકડો ફૂટી ગયો હતો..
આ હચમચાવી દેતી ઘટનાને જાણીને તમારી પણ ઊંઘ ઊડી જશે, આ અવિશ્વાસનીય બનાવો ભાનેડા વિસ્તારનો છે. અહીં આવેલી હિંગળાજ નગર કોલોનીમાં એક નામચીન બિલ્ડર તેના પરિવારજનોની સાથે વસવાટ કરે છે, ભોલુભાઈ નામના આ બિલ્ડર તેની પત્ની તેના બંને બાળકોની સાથે મકાન નંબર 45 માં રહે છે..
એક દિવસ સાંજના સમયે તેમના ઘરે ભોલુ ભાઈ ના મિત્રો આવ્યા હતા, આ મિત્રો માટે ભુલુભાઈની પત્નીએ મકાઈનો ચેવડો બનાવ્યો હતો, સૌ મિત્રો સાથે બેસીને મકાઈનો ચેવડો ખાતા ખાતા સુખ દુઃખની વાતો કરી રહ્યા હતા. કેટલાક મિત્રો ખીલખડાટ હસી રહ્યા હતા, તો કેટલાક મિત્રો એકબીજાની મશ્કરી કરતા હતા..
એવામાં મકાનનો ચેવડો ખાતા ખાતા જ આ નામચીન બિલ્ડર ભોલુભાઈ સાથે એવી ઘટના બની ગઈ કે, માત્ર બે જ સેકન્ડમાં તેમના જીવનો ફટાકડો ફૂટી ગયો હતો. દરેક વ્યક્તિઓની હાથમાં મકાઈના ચેવડાની એક ડીશ હતી, જ્યારે દરેક મિત્રો એક પછી એક ચમચી પોતાના મોઢામાં મૂકી રહ્યા હતા..
એવામાં તો અચાનક જ ભોલું ભાઈના હાથમાંથી મકાઈના ચેવડાની ડીશ નીચે પડી ગઈ હતી, શરૂઆતમાં તો લોકોને લાગ્યું કે તેના હાથમાંથી આ ડિશ લસરી જવાને કારણે ડીશ નીચે પડી ગઈ છે. પરંતુ આ ડીશ નીચે પડી તેની બે જ સેકન્ડની અંદર ભોલુભાઈ પણ નીચે ઢળી પડ્યા હતા..
આ વાત બિલકુલ સામાન્ય ન હતી, ઊભા કરીને તેમને શું થયું છે તેની પૂછવાની કોશિશ કરી હતી પરંતુ ભોલુ ભાઈએ આંખો મીંચી દીધી અને કોઈપણ જવાબ પણ આપવાનું બંધ કરી દીધું હતું, શરીરમાંથી અત્યંત પરસેવો પણ છૂટવા લાગ્યો હતો. તરત જ મોટી ગાડીમાં ભુલુભાઈને બેસાડીને તેમના ઘરથી થોડી દૂર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા..
ત્યાં પહોંચતાં ડોક્ટરે જણાવ્યું કે, ભોલુ ભાઈનું મૃત્યુ થઈ ગયું છે અને આ મૃત્યુ તેમને હૃદય રોગનો હુમલો આવવાને કારણે થયું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ એનું સાચુ કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે, ભોલુભાઈના મિત્રોનું કહેવું હતું કે, મકાઈનો ચેવડો તેમને ખૂબ જ ભાવે છે..
અને એક પછી એક ચમચી વારંવાર તેઓ મકાઈનો ચેવડો ખાઈ રહ્યા હતા, નક્કી આ મકાઈનો ચેવડો તેમને શ્વાસનળીની અંદર સલવાઈ ગયો હશે અને શ્વાસ લેવાનું બંધ થઈ જતા તેમને ચક્કર આવીને તેઓ નીચે ઢળી પડ્યા હતા. પરંતુ ડોક્ટરે જણાવ્યું કે, તેમનું મૃત્યુ મકાઈનો ચેવડો ખાવાને કારણે નહીં પરંતુ હૃદય રોગનો હુમલો આવવાને કારણે થયો છે..
જ્યારે ભોલુ ભાઈના મિત્રો તો જોતાને જોતા જ રહી ગયા હતા. ભોલુભાઈની પત્ની અને તેમના બંને બાળકો પણ રડી રડીને બેહાલ થયા હતા, આસપાસના વિસ્તારમાં રહેતા અન્ય પડોશીઓ પણ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા કે, જે વ્યક્તિ તેમની નજર સામે મજાક મશ્કરી કરીને ખેડખડાટ હસી રહ્યો હતો..
એ જ વ્યક્તિ માત્ર બે સેકન્ડમાં કેવી રીતે મૃત્યુ પામી શકે.? ઘણા બધા સગા સંબંધીઓ ભોલુભાઈની પત્નીને સાંતવના પાઠવવા માટે ત્યાં આવી પહોંચ્યા હતા, ભોલુ ભાઈના મિત્રો તો દુઃખની આ ઘડીને સહન કરી શક્યા નથી, કારણકે તેઓએ ભોલુભાઈને પોતાની નજરની સામે જ મૃત્યુ પામતા જોયા હતા..
કહેવાય છે કે, કોની સાથે ક્યારેય કઈ ઘટના બની જાય તેનું નક્કી રહેતું નથી, એટલા માટે આપણે જે પરિસ્થિતિની અંદર હોય તે પરિસ્થિતિની અંદર મોજ મજા થી જીવન જીવી લેવું જોઈએ અને ક્યારેય કોઈ વ્યક્તિને નડતરરૂપ બનવું જોઈએ નહીં. આ ઘટનાને લઈને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]