Breaking News

મિત્રનો જન્મદિવસ ઉજવીને અડધી રાત્રે ઘરે આવતા જ યુવકના મોઢામાંથી ચીસો ફાટી ગઈ, રૂમનો દરવાજો ખોલતા જ થઈ ગયું એવું કે…

અત્યારના સમયમાં લોકો ખૂબ જ લાલચી બની ગયા છે. કોઈના પર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે. ડગલેને પગલે લોકો એકબીજાની સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. આવા કિસ્સાઓ આપણને ખૂબ જ જોવા મળે છે પરંતુ હાલમાં એવો પણ એક કિસ્સો સામે આવ્યો છે.

જે સાંભળીને દરેક લોકો ચોકી ગયા હતા. આ ઘટના અજમેરના લોહાગલ રોડ પર આવેલી કોલોનીમાં રહેતા યુવક સાથે બની હતી. યુવક ચૌધરી કોલોનીમાં ઘણા સમયથી રહેતા હતા. તેમનું નામ ઇન્દ્રસિંહ શ્રીવનસિંહ શેખાવત છે. તેઓ પોતાની કોલોનીમાં રહેતા પાડોશીઓ સાથે હળીમળીને રહેતા હતા.

ઇન્દ્રસિંહ સ્વભાવે ખૂબ જ સારા હતા. જેના કારણે તેમને દરેક વ્યક્તિઓ સાથે ખૂબ જ સારું એવું બનતું હતું. પરિવારમાં તેઓ એકલા રહેતા હતા. ઇન્દ્રસિંહ એક દિવસ તેમના મિત્રોનો જન્મદિવસમાં આમંત્રણ હોવાને કારણે બહાર જવાના હતા. ઈન્દ્રસિંહ સાંજના સમયે તેમના મિત્રના જન્મદિવસ પર બહાર ગયા હતા.

ઈન્દ્રસિંહ પોતાના મકાનને તાળું મારીને ગયા હતા. ત્યારબાદ મોડી સાંજના સમયે તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા. લગભગ મોડી રાતના એક વાગ્યાની આસપાસ ઘરે પાછા આવ્યા ત્યારે તેઓએ પોતાની ગાડીને ઘરની બહાર પાર્ક કરી પોતાના ઘરનો ગેટ ખોલીને તેઓ ઘરે પ્રવેશ્યા હતા.

ત્યારે તેમણે ઘરના તાળાને ખોલવા માટે ચાવી કાઢી ત્યારે જોયું તો તાળું તૂટેલું જોવા મળ્યું હતું. તેઓને ઘરનું તૂટેલું તાળું જોઈને ગભરામણ થવા લાગી હતી અને તેમણે બીતા-બીતા પોતાના ઘરનો દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખુલ્લો હતો, જેને ખોલીને તેઓ અંદર ગયા હતા.

અને અંદર જતાની સાથે જ તેઓએ મોટી ચીસ પાડી હતી. ગભરામણમાં તેમણે ચીસ પાડી હોવાને કારણે આસપાસના પાડોશી ના લોકો મોડી રાતે જાગીને તેમના ઘરે દોડી આવ્યા હતા. દરેક લોકોએ ઘરે આવીને ઇન્દ્રસિંહને શું થયું તેમ પૂછ્યું હતું. ઇન્દ્રસિંહે કોઈ પણ જવાબ આપ્યો નહીં.

અને સીધા તેઓ પોતાના ઘરની રૂમમાં ગયા હતા. ત્યાં તેમણે ઘરના કબાટના તાળા પણ તૂટેલા જોવા મળ્યા હતા. કબાટ ખુલ્લા હતા અને સાથે જ કબાટમાં રહેલી તિજોરીમાંથી તેમનો કીમતી માલસામાન પણ ગાયબ થઈ ગયેલો હતો. આ જોઈને તેઓ ત્યાંને ત્યાં જ બેસીને મોટે મોટેથી રડવા લાગ્યા હતા.

દરેક લોકો ઈન્દ્રસિંહ ને શાંત પડાવ્યા અને ઇન્દ્રસિંહે તરત જ ક્રિશ્ચિયન ગંજ પોલીસ સ્ટેશનમાં પોતાના ઘરે લુંટફાટ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ કેસ નોંધીને તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. ઇન્દ્રસિંહની પોલીસે પૂછપરછ કરી હતી. ત્યારે ઇન્દ્રસિંહે જણાવ્યું હતું.

કે તેઓ એકલા રહે છે. તેમના પરિવારના કોઈ પણ સભ્યો ઘરમાં રહેતા ન હતા. ઘરમાં તેમણે કબાટમાં 50,000 રૂપિયા રોકડા મૂક્યા હતા અને અંગૂઠા સહિતની ચાર સોનાની વીંટીઓ તેમણે મૂકી હતી. આ વીંટીની કિંમત લગભગ લાખો રૂપિયાની થતી હતી.

તેઓ પોતાના મિત્રના જન્મદિવસ પર બહાર ગયા જયારે પરત આવ્યા ત્યારે તેમને આવું જોવા મળ્યું હતું. તેઓ ખૂબ જ રડી રહ્યા હતા. તેમની જીવન કમાણી લૂંટાઈ ગઈ હતી. પોલીસ ઇન્દ્રસિંહના ઘરે લુંટ કરવા આવેલા લુટેરાઓને શોધી રહ્યા હતા. પોલીસ આગળની તપાસ કરી રહી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *