આજકાલ નાની નાની વાતોમાં ઉશ્કેરાઈને એકબીજા સાથે મારામારી કરી કે કોઈનો જીવ લઇ લેવો તે સામાન્ય બાબત બની ગઈ હોય એવું લાગે છે. કારણ કે છેલ્લા બે મહિનામાં નજીવી બાબતો પર કેસ ફાઈલ થવાની ઘટના ખૂબ જ વધી રહી છે.
હકીકતમાં મિત્રનો સંબંધ એ લોહીનો સંબંધ માનવામાં આવે છે. કોઈપણ મુશ્કેલી પડે સૌપ્રથમ મિત્ર જ આપણી સાથે ઉભો રહેતો હોય છે. પરંતુ સુરત ના ઉમરા વિસ્તારમાં એક એવી ઘટના બની છે કે જે સાંભળીને તમે પણ કહ્યું છે કે શું આવી પણ દોસ્તી હોઈ શકે ખરી?
સુરતના સિટીલાઈટમાં અશોક પાન સેન્ટર ની સામે અરવિંદ નામનો યુવક રહે છે. તેનો મિત્ર ધર્મેશ હંમેશા તેની સાથે રહેતો હોય છે. અને બંને ગાઢ મિત્રો હતા. બંને સાથે મોટા થયા હતા અને કોઈપણ મુસીબત પડી એ તેઓ હંમેશા સાથે રહેતા હતા. એક દિવસ મસ્તી-મજાક માં અરવિંદ ધર્મેશ ને એવું કહી દીધું કે, જેના લીધે ધર્મેશ અરવિંદ નો જીવ લઈ લીધો.
બંને મિત્રો હંમેશાં હસી મજાક કરતા હતા. પરંતુ એક દિવસ અરવિંદે ધર્મેશ ને કહ્યું કે તારી પત્નીને કોઈ છોકરા થશે નહીં, તુ સદા એના માટે તડપતો રહીશ. આ સાંભળતા જ ધર્મેશ ખૂબ ઉશ્કેરાઈ ગયો હતો. અને અરવિંદ સાથે મોટા અવાજે બોલાચાલી કરવા લાગ્યા હતા. ત્યારબાદ ધર્મેશ ભાન ખોઇ બેઠો હતો.
અરવિંદ ને માથાના ભાગ પર લોખંડનો પાઈપ મારી દીધો હતો. લોખંડનો પાઈપ માથામાં વાગતા ત્યાંથી લોહીની ધાર વહેવા લાગી હતી. અરવિંદને ઈજાગ્રસ્ત હાલતમાં તરત જ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેના પરિવારજનોએ તેને વધુ સારવાર અર્થે પોતાના ગામ રાજસ્થાન સજ્જનગઢ લઈ ગયા હતા.
અને ત્યાંથી તેને ઉદેપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉદેપુર ની હોસ્પિટલમાં તેની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે તેનું મોત થઈ ગયું છે. ત્યારબાદ આ ઘટનાનો ગુનો ઉમરા પોલીસે દાખલ કર્યો હતો. અને ધર્મેશ ને પકડવા અંગે કામગીરી હાથ ધરી હતી. પરંતુ ધર્મેશ પણ રાજસ્થાન ભાગી ગયો હતો. તેથી ઉમરા પોલીસને આરોપીને પકડવા માટે રાજસ્થાન પોલીસની પણ મદદ લેવી પડી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]