Breaking News

મીની વાવાઝોડાને લઈને હવામાનના ડાઈરેકટર મનોરમા મોહંતીએ આપી મોટી આગાહી, આ તારીખે ચક્રવાતી તુફાન ધમરોળશે આ વિસ્તારોને.. વાંચો..!

હાલ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અરબસાગરની અંદર દરિયાના લો પ્રેશરને કારણે દરિયાકાંઠાની પવનની ગતિમાં પણ એક એક વધારો નોંધાશે જેના કારણે મીની વાવાઝોડું ત્રાટકી શકે છે. ગુજરાત પર અવારનવાર વાવાઝોડાના ખતરા રેહતા હોઈ છે. પરતું આ વર્ષના ચોમાસા શરુ થતા જ મીની વાવાઝોડું કહેર મચાવવા પહોચી ગયું હોઈ એવું લાગી રહ્યું છે.

વાવાઝોડાની આશંકાને લઇને ગુજરાતના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તેમજ હવામાન વિભાગનાં ડીરેકટર મનોરમા મોહંતીએ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દીધી છે. અને જણાવ્યું છે કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં અંદાજે ૩૦ થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે..

અરબ સાગરમાં લો પ્રેશર સર્જાવાને કારણે મીની વાવાઝોડું ઉત્પન્ન થયું છે. આ વાવાઝોડું ઉત્પન્ન થતા જ તે કઈ દિશામાં આગળ વધશે આ તમામ બાબતોની ચર્ચાને લઈને મોટી આફતના ભણકારાઓ પણ વાગવા લાગ્યા છે. ગુજરાતમાં મેઘરાજા જુદા જુદા વિસ્તારમાં વરસાદ વરસાવી રહ્યા છે.

આવનારા પાંચ દિવસમાં વાવાઝોડાની અસરને પગલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદ વરસવાની આગાહી આપી છે. તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ભારે ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા તેમજ ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી આપી છે.

ગુજરાતના તિથલ, ડુમ્મસ, સુવાલી, દમણ, અને વલસાડના દરિયા કિનારે અંદાજે છ થી આઠ ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા છે. આ સાથે સાથે દરિયામાં ભારે કરંટ પણ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલા જાફરાબાદ, બેડી, દીવ, પીપાવાવ, ભાવનગર, પોરબંદર, ઓખા,

દ્વારકા, નવલખી, મુદ્રા, માંડવી, ઝખો આ તમામ બંદરો ઉપર પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. કારણ કે વાવાજોડું સક્રિય થતાની સાથે પવનની ગતિ 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાવા લાગ્યો છે. હાલ આ વાવાઝોડાએ રફતાર પકડી છે અને ધીમે ધીમે ગુજરાતના તમામ જીલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસવા લાગશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *