Breaking News

મહિલા શિક્ષિકાએ પિયરે માતાને ફોનમાં કહ્યું કે, “મને બચાવી લેજો, આ રાક્ષસો મને ઝેર આપીને મારી નાખશે” અને પછી એક કલાકમાં થયું એવું કે….

અવારનવાર આપણને ઘણા બધા ગંભીર કિસ્સાઓ જોવા મળે છે. હાલના સમયમાં આવા કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. લોકો પોતાના જ પરિવારના વ્યક્તિઓ સાથે જીવલેણ ઘટનાઓ કરી રહ્યા છે, આજકાલ કોઈના પર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના મુરાદાબાદમાં રહેતા પરિવારની મહિલા સાથે બની હતી. મુરાદાબાદ શહેરમાં મજોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી અલખાનંદા કોલોનીમાં રહેતા પરિવારની મહિલા સાથે કરુણ ઘટના બની અને આ મહિલાનું નામ સંગીતા સિંહ હતું. સંગીતા બેઝિક એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી.

સંગીતા શાળામાં સરકારી શિક્ષિકા હતી અને તેને ખૂબ જ સારો એવો પગાર પણ હતો, જેના કારણે આ પગારથી સંગીતા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. સંગીતાના લગ્ન ઘણા સમય પહેલા અલખાનંદાના રહેવાસી યુવક સાથે કરાવવામાં આવ્યા હતા. આ યુવકનું નામ બ્રિજપાલ સિંહ હતું. બ્રિજપાલ સિંહના પિતાનું નામ દીપ સિંહ હતું.

તેમની સાસુનું નામ કરતારી અને તેમની ભાભીનું નામ મમતા હતું. સંગીતા લગ્ન બાદ પોતાના સાસરીયા સાથે રહેવા આવી ગઈ હતી અને ત્યારબાદ તેણે સરકારી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી ચાલુ કરી હતી. સંગીતા અને બ્રજપાલ સિંહ ના લગ્નને 26 વર્ષ થઈ ગયા હતા પરંતુ તે બંનેને કોઈ સંતાન ન હતું.

જેના કારણે સંગીતાને બ્રિજપાલ અને તેના સાસરિયાંઓ અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા જેના કારણે સંગીતા ખૂબ જ કંટાળી ગઈ હતી. તેને અવારનવાર પોતાની માતા વિમલાદેવીને પણ ફોન કરીને આવા જણાવી હતી. સંગીતા નામ સગાભાઈ રવિએ પણ સંગીતાના સાસરિયાઓને ઘણીવાર ઠપકો આપતો હતો.

પરંતુ સાસરિયાંઓ માની રહ્યા ન હતા અને સંગીતાને અવારનવાર ત્રાસ આપીને તેને હેરાન કરવામાં આવતી હતી સંગીતાનો પતિ બ્રિજપાલ ઘણા સમયથી કોઈ કામ કરતો ન હતો તે બેરોજગારીમાં પ્રોપર્ટી ડીલર નો નાનો ધંધો શરૂ કર્યો હતો પરંતુ પોતાના પરિવારનું ગુજરાન સંગીતા પર નિર્ભર હતું.

એક દિવસ સંગીતાએ પોતાની માતા વિમલાદેવીને ફોન કર્યો હતો અને તેણે કહ્યું હતું કે,’ મને આ રાક્ષસોથી બચાવો, તેઓએ મને ઝેર આપીને રૂમમાં બંધ કરી દીધી છે’ જેના કારણે સંગીતાના ભાઈ રવિને આ વાતની જાણ થતા તે સાસરિયે ગયો હતો અને ત્યાં તેને જાણવા મળ્યું હતું કે સંગીતાને સાસરિયાંઓ હોસ્પિટલ લઈ ગયા છે.

જેના કારણે રવિ વિવેકાનંદ હોસ્પિટલમાં સંગીતા પાસે પહોંચ્યો હતો અને ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે સંગીતાનો મૃત્યુ થઈ ગયું છે જેના કારણે રવિએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી અને તેના સાસરિયાંઓ સામે ફરિયાદ નોંધાવી હતી. રવિ એ આરોપ કર્યો હતો કે સંગીતાને ઝેરી દવા આપીને રૂમમાં બંધ કરીને તેને ત્રાસ આપવામાં આવ્યો છે જેના કારણે પોતાની બહેનનું મૃત્યુ થઈ ગયું છે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *