અત્યારે ક્યારે મોત આવી જાય તેનું નક્કી હોતું નથી. કહેવાય છે કે જે વ્યક્તિ માત્ર બે સેકન્ડ પહેલા આપણી સામે હસતો ખેલતો હોય તેનું મોત પણ આવનારી સેકન્ડમાં માંડયુ હોય તો આવી જતું હોય છે. અત્યારે કંઈક આવા પ્રકારનો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઘટના સ્થળે ઊભેલા લોકોના મોતિયા મરી ગયા છે..
આ બનાવ કોલાપુરનો છે. અહીં જેન્તીવાડાની અંદર મૌલિક નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે. મૌલિક તેના મિત્રો સાથે પોતાની સોસાયટીથી થોડે દૂર આઈસ્ક્રીમની દુકાન ઉપર કેન્ડી ખાવા માટે ગયો હતો. સૌ મિત્રો એક કેન્ડી લઈને ખાઈ રહ્યા હતા. ત્યારે મૌલિકે મેંગો કેન્ડી ખાવાનું પસંદ કર્યું હતું…
કેન્ડી ખાતાની સાથે જ તે બોલવા લાગ્યો કે તેને મગજની અંદર કંઈક ગુચણામણ થવા લાગી છે. અને તેને અતિશય માથું દુખવા લાગ્યું છે. તેની સાથે રહેલા તેના મિત્રોએ જણાવ્યું કે, ઠંડીના વાતાવરણની અંદર તે મેંગો કેન્ડી ખાધી છે. એટલા માટે તને મગજમાં ઠંડી પહોંચી ગઈ હશે અને આ કારણે તને આવો અનુભવ થાય છે..
પરંતુ મૌલિકે જણાવ્યું કે, આ દુખાવો તેને પહેલા ક્યારેય પણ થયો નથી, અત્યારે તેને ખૂબ જ વિચિત્ર પ્રકારનો દુખાવો મગજમાં થવા લાગ્યો છે અને હવે ધીમે ધીમે તેને છાતીમાં પણ ખૂબ જ વધારે માત્રામાં દુખવા લાગ્યું છે. મૌલિકના મિત્રો મૌલિક સાથે હજુ વાતચીત કરે ત્યાં સુધીમાં તો મૌલિકના શરીરમાંથી એટલો બધો પરસેવો નીકળવા માંડ્યો કે, તેને જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા..
કે એટલા બધા ઠંડીના માહોલની અંદર મૌલિકને શા માટે એટલો બધો પરસેવો વળી રહ્યો છે. હજુ આ બાબતો વિચાર એ પહેલા તો મૌલિક ત્યાં ને ત્યાં ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યો હતો. મૌલિકના મિત્રો આ દ્રશ્ય જોઈને ખૂબ જ હચમચી ગયા અને પોતાના હાથમાં રહેલી કેન્ડી ફેંકી દઈને તરત જ મૌલિકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા માટે દોડતા થયા હતા..
પરંતુ મૌલિકની હોસ્પિટલ પહોંચાડે એ પહેલાં તો તેને અડધે રસ્તે જ આંખો મીંચી દીધી હતી. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે ડોક્ટરે તેની તપાસ શરૂ કરી અને જણાવી કે, મૌલિકનું મૃત્યુ થઈ ગયું છે. અને તેનું મૃત્યુ શેના કારણે થયું છે. તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કર્યા બાદ જ જાણી શકાશે.
આ ઘટનાની જાણકારી મૌલિકના મિત્રોએ મૌલિકના માતા-પિતા સુધી પહોંચાડી હતી અને કહ્યું કે, મૌલિક જ્યારે મેંગો કેન્ડી ખાતો હતો. ત્યારે જ તેની તબિયત બગડી ગઈ હતી અને તે ચક્કર ખાઈને નીચે ઢળી પડી અને ત્યારબાદ તેનું મૃત્યુ થઈ ગયું છે. એટલે નક્કી આ મેંગો કેન્ડીની અંદર જ કોઈક ભેળસેળ હોવી જોઈએ..
અથવા તો આ મેંગો કેન્ડીને કારણે જ તેનું મૃત્યુ થયું છે. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટરે જણાવ્યું કે, મૌલિકનું મૃત્યુ મેંગો કેન્ડી ખાવાને કારણે નહીં પરંતુ તેના શરીરમાં રહેલી નળી બ્લોક થઈ જવાને કારણે લોહીનું પરિભ્રમણ અટકી ગયું હતું અને તેના કારણે તેનું મૃત્યુ થયું છે. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે ત્યાં ઉભેલા સૌ કોઈ લોકો ના હોશ ઉડી ગયા હતા..
મૌલિકના માતા-પિતા માટે તો દુઃખની આ ઘડી સહન કરવી ખૂબ જ મુશ્કેલ દેખાઈ આવી હતી. કારણ કે તેઓનું હૈયાફાટ રૂદન જોઈને ત્યાં ઉભેલા સૌ કોઈ લોકોના ટાંટિયા થરથર ધ્રુજવા લાગ્યા હતા. જ્યારે જ્યારે આવી રહસ્યમય ઘટનાઓ આપણી નજર સામે બનતી હોય છે ત્યારે આવી ઘટનાઓ પર વિશ્વાસ કરવા આપણા માટે સહેલો હોતો નથી..
અને આવી ઘટનાને કેવી રીતે કાબુમાં લાવવી જોઈએ તેની પણ કોઈ સમજણ પડતી નથી. હકીકતમાં આ પ્રકારની ઘટનાઓ ખૂબ જ દુઃખદ ઘટનાઓ સાબિત થતી હોય છે, જે ક્યારેય પણ કોઈ પરિવાર સાથે ન બને તેવી સૌ કોઈ લોકો ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. મૌલિક કોલેજનો અભ્યાસ કરે છે…
અને તેની ઉંમર 21 વર્ષની હોવાનું સામે આવ્યું છે. માત્ર 21 વર્ષની અંદર તેના શરીરમાં આટલી મોટી ખામી સર્જાઈ ગઈ હતી અને તેને એક પણ વખત ખબર રહી નથી, કદાચ આ કારણે જ તેનું આજે મૃત્યુ થઈ ગયું છે. જ્યારે જ્યારે આવા ઘટનાઓ સામે આવે છે. ત્યારે જાગૃત ડોક્ટરો એક જ વાત દરેક નાગરિકો સુધી પહોંચાડવાની કોશિશ કરતા હોઈએ છે..
કે થોડી પણ મુશ્કેલી જણાય એટલે તરત જ ડોક્ટરને તપાસ માટે બોલાવી લેવા જોઈએ આ ઉપરાંત જુદા જુદા રિપોર્ટ કરાવીને આપણે આપણા શરીરનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કારણ કે, કોઈ નાની અમથી ભૂલ પણ ક્યારેક માણસના જીવ પણ લઈ લેતી હોય છે. એટલા માટે ડગલેને પગલે ખૂબ જ સાવચેતી ભર્યું જીવન જીવવું જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]