Breaking News

મેળામાં જતા પરિવારની કારને ટ્રકે જોરદાર ટક્કર મારતા જ 6 લોકોને છુંદી નાખ્યા, અકસ્માતના દ્રશ્યો જોઈ રુંવાટા બેઠા થઈ જશે..!

અંબાજી વાળો હાઇવે દિનપ્રતિદિન રાહદારીઓ માટે કાળ સમાન સાબિત થતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ હાઇવે ઉપરથી માત્ર એક મહિનાની અંદર અંદર 10 જેટલા અકસ્માતો સામે આવ્યા છે. જેમાં 15 કરતાં વધારે લોકો મૃત્યુ પણ પામ્યા છે. અને હવે આબુ રોડ ઉપરથી વધુ એક અકસ્માત સામે આવ્યો છે..

જેમાં કુલ છ લોકોનો કચ્ચરઘાણ બોલાવી દેવામાં આવતા ડમ્પર ચાલક સામે સૌ કોઈ લોકો રોશે ભરાયા છે. અકસ્માત આબુ રોડના રિકો પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માવલ પાસે સર્જાયો હતો. જેમાં એક બેકાબુ ડમ્પરે કારને ટક્કર મારી દીધી હતી. આ ડમ્પરની ઝડપ આટલી બધી વધારે હતી કે, કારનો કૂચેકુચો બોલી ગયો હતો.

આ કારની અંદર છ લોકો સવાર હતા. આ ડમ્પરની અડફેટના કારણે 6 એ 6 લોકોનો કચરઘાણ બોલી ગયો છે. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે અકસ્માતને પોતાની આંખે નિહાળનારા લોકોના ડોળા ફાટી ગયા હતા. તેઓનું કહેવું છે કે, આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, અકસ્માતના દ્રશ્યો ઘણા બધા દિવસો સુધી તેમની આંખો સામેથી જવાના નથી…

આ અકસ્માતમાં ઘટના સ્થળે ચાર વ્યક્તિઓના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. આ ઉપરાંત બે વ્યક્તિ ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રત હતા. તેમનું બચી શકવું મુશ્કેલ હતું. પરંતુ લોકોની સૂઝબૂઝતાને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો..

આ અકસ્માત એટલો બધો ગોજારો હતો કે, લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આ અકસ્માતમાં ચાર પુરુષો એક મહિલા તેમજ એક નાની બાળકીનું મોત થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ તમામ મૃતદેહોને ગાડીમાંથી બહાર કાઢ્યા છે. આ તમામ મૃતક વ્યક્તિઓ બાલી જિલ્લાના રાયપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતા લોકો છે..

આ મૃતક વ્યક્તિઓ ગુજરાતના કલોલ પાસે આવેલા શિરોહી શરણેશ્વરના મેળામાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. પરંતુ આ કાળમુખા ડમ્પરએ છ એ છ વ્યક્તિનો છૂંદો બોલાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ અગાઉ પણ અંબાજી વાળા હાઇવે ઉપરથી એક ગોઝાર અકસ્માત સામે આવ્યો હતો..

જેમાં પુણેથી આવતી એક કારે અંબાજીના મંદિરે ચાલીને જતા પદયાત્રીઓને ટક્કર મારી હતી. જેમાં કુલ સાત વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાનો સામે આવ્યો હતો. અકસ્માતમાં દિન પ્રતિ દિન કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવે છે. આ ગોઝારા અકસ્માતને લઈને લોકો ભારે ચર્ચા વિચારણા કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *