આજકાલના જમાનામાં કંટાળીને આપઘાત કરીને જીવન મુક્ત બની જવાના કેસ વારંવાર સામે આવતા હોઈ છે. નજીવી બાબતો ઉપર જીવન ટૂંકાવી દેવું એ આજકાલ સામાન્ય બાબત બની ગઈ હોય એવું લાગે છે. કારણ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રોજ રોજ આત્મહ.ત્યા.ના બનાવો ભરપૂર માત્રામાં વધી રહ્યા છે.
હાલ રાજકોટમાં વધુ એક આત્મ હત્યાનો કેસ સામે આવ્યો છે. રાજકોટની યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સાધુ વાસવાણી રોડ પર અભિષેક કામલીયા નામનો યુવક રહે છે. આ યુવાકે ઝેરી દવા પી લેતા ભાગમદોડ મચી ગઈ છે. અને શહેરમાં વધુ એક વખત આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે.
અભિષેકે આપઘાતનો પ્રયાસ કર્યો એ પહેલા તેણે તેના મિત્રને મેસેજ કરી જણાવ્યું હતું કે હવે મારાથી કંઈ ભેગું થાય તેમ નથી. હું હવે આપઘાત કરી લાવ છું.. આ મેસેજ વાંચતા જ મિત્રને ઉંધી શંકા ગઈ હતી અને તેણે તરત જ પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી દીધી હતી.
આ યુવક પાસેથી સાઈડ નોટ મળી આવી છે જેમાં આપઘાત કરવા પાછળ જોડાયેલા કારણોના ખુલાસા થયા છે. અભિષેક કામળિયા મુંજકામાં સ્ટુડિયો ચલાવી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેનું જીવન ખુબ સારી રીતે ચાલતું હતું. પરતું તેણે એક મિત્રતાના બહાને મિત્રને પૈસા ઉધારે અપાવ્યા હતા તે એની મોટી ભૂલ સાબિત થઇ છે.
અભિષેક કામલીયાએ ત્રણ વર્ષ પૂર્વે સિધ્ધરાજ ભૂપતભાઈ સાકરીયાને મિત્રતાના સબંધ પર ઉછીના પૈસા આપ્યા હતા. ત્યારબાદ તેના પરિવાર પાસે પૈસા પાછા માંગતા તેના પિતા ભૂપતભાઈએ જણાવ્યું હતું કે સિધ્ધરાજ ઉપર દેણું થઇ ગયું છે. તેથી હવે અમારી પાસે પૈસા નથી.
છ મહિના માટે પૈસાની જરૂર છે. તેમ કહી રૂપિયા 20 લાખ માગતાં જ જુદા મિત્રો પાસેથી ઉછીના લઇને અભિષેકે સિદ્ધરાજને આપ્યા હતા. પરંતુ પૈસા પરત માંગતા મને ધમકીઓ મળી હતી. મેં થોડા ઘણા પૈસા ચૂકવી પણ દીધાં છે પરંતુ હવે હું વધુ રૂપિયા ચૂકવી શકું તેમ ન હોવાથી આ પ્રકારનું પગલું ભરું છું.
યુનિવર્સિટી પોલીસનો સંપર્ક સાધતા યુવાન ગંભીર હાલતમાં હોવાથી તેમજ આઈ.સી.યુ વોર્ડમાં બેભાન હોવાથી તેનું નિવેદન હજુ સુધી શોધી શકાયુ નથી. ત્યારે યુનિવર્સિટી પોલીસની તપાસમાં આગળ શું કહાની સામે આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]