અત્યારે એક વ્યક્તિને 17 વર્ષ પછી પોતાના કરેલા કામોના પાપ સપનામાં આવા લાગ્યા હતા અને ખૂબ જ ડર લાગવા લાગ્યો ત્યારે તે પોલીસ સ્ટેશનને હાજર થઈ ગયો હતો અને પોલીસને જે માહિતી આપી છે. તે માહિતી સાંભળીને પોલીસ પણ બે ઘડી તમ્મર ખાઈ ગઈ હતી અને વિચારવામાં મજબૂર બની કે, આખરે આ એવો તો કયો વ્યક્તિ છે..
કે જેણે 17 વર્ષ પહેલા કરેલા ગુનાનું પ્રાયશ્ચિત કરવા માટે અત્યારે આવી પહોંચ્યો છે. આ મામલો છત્તીસગઢના બાલોદ વિસ્તારનો છે. અહીં કરતાભાત વિસ્તાર પાસે રહેતો ટીકમ કલ્યાણ નામનો યુવક રહે છે. તેની ઉંમર 40 વર્ષની છે તેણે એક દિવસ અચાનક જ પોલીસ સ્ટેશનને હાજર થઈને પોલીસ અધિકારીને જણાવ્યું હતું કે..
તેણે આજથી 17 વર્ષ પહેલા એટલે કે 2003માં તેના જ ગામમાં રહેતા છબેશ્વર ગોયલ નામના વ્યક્તિને રોડ ઉપર મોતને ઘાટ ઉતારી દીધો હતો અને એ વખતે તેની ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી ન થાય એટલા માટે ગામજનોથી છુપૂ રાખી તેને છબેશ્વરની લાશને ગામથી થોડે દૂર ખેતરને કાંઠે ખાડો ગાળીને દાટી દીધી હતી..
પરંતુ હવે આ ઘટનાના 17 વર્ષ બાદ તે જ્યારે રાત્રે સુવા જાય છે. ત્યારે તેને સપનામાં સભેશ્વર દેખાઈ આવે છે અને તેનું ભૂત તેને ખૂબ જ ડરાવતું હોય તેવું લાગે છે. એટલા માટે હવે તે આ ઘટનાને સૌ કોઈ લોકો સમક્ષ રજૂ કરવા માંગે છે. અને પોતાને કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કરવા માંગે છે. પોલીસ પણ યુવકના મોઢેથી આ શબ્દો સાંભળીને ખૂબ જ હજમચી ઉઠી હતી.
તેઓએ જણાવ્યું કે, આ ઘટના અંગે જરૂરી તપાસ ચલાવી પડે એ માટે તેઓ તરત જ ગામમાં દોડી આવ્યા હતા. જ્યાં ગામ લોકો તરફથી માહિતી મળી કે, જંબેશ્વર ગોયલ નામનો વ્યક્તિ 2003ની સાલથી ગાયબ છે અને હજુ સુધી તે પોતાના ઘરે આવ્યો નથી. આ વ્યક્તિ જીવતો છે કે, પછી મૃત્યુ પામી ચૂક્યો છે..
તેની કોઈપણ પ્રકારની ખબર ગામના કોઈપણ વ્યક્તિને નથી. આ ઉપરાંત છબેશ્વર નામના વ્યક્તિને મોતને ઘાટ ઉતારનાર ટીકમ કોલીયારા નામનો વ્યક્તિએ જણાવ્યું કે તેણે આ ખેતરના કાંઠે છબેશ્વરની લાશને દાટી દીધી હતી. એ મુજબ પોલીસે ખોદકામની મંજૂરી મેળવી હતી અને ત્યારબાદ જીસીબી લઈ ઘટના સ્થળ ઉપર ખોદકામ શરૂ કરી દીધું હતું..
ખાડો ખોદવાની સાથે જ્યારે લાશને બહાર કાઢવામાં આવી ત્યારે લાશ પૂરી રીતે ગળી ગઈ હતી અને માત્ર હાડપિંજર જ બચ્યું હતું. આ હાડપિંજર મળતાની સાથે જ પોલીસ સમજી ગઈ કે, આ બાબત બિલકુલ સાચી છે. હાલ આ ઘટનાને લઈને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે..
પરંતુ આ ઘટનાએ ગામના સૌ કોઈ લોકોને ચમકાવી દીધા છે. તો 26 વર્ષના પરિવારજનોએ પણ હાશકારો અનુભવ્યો છે. એક બાજુ તેઓ દુઃખના આઘાતમાં ચાલ્યા ગયા છે. તો એક બાજુ છબેશ્વરને મોતને ઘાટ ઉતારનાર ટીકમ નામના વ્યક્તિને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]