Breaking News

માવઠાને કારણે આ વિસ્તારના ખેતરોમાં ભારે નુકસાની, ખેડૂતોની હાલત ખુબ જ ખરાબ. કરી સહાયની માંગ.. જાણો..!

કહેવાય છે કે ખેડૂતોની આવક નો આધાર કુદરત ઉપર રહેલો છે. જો માવઠા તેમજ વાવાઝોડા ન વરસે તો ખેડૂતોને ખૂબ સારા પ્રમાણમાં ખેતીની આવક થતી હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી વાતાવરણ ખૂબ જ અનિયમિત સાબિત થયું છે. જેને પગલે અવારનવાર માવઠા અને વાવાજોડાઓ આવી ચૂક્યા છે…

અને ખેતરમાં ઉભેલા પાકને તહેસ મહેસ કરી મૂકે છે. જામનગર જિલ્લામાં શિયાળુ પાક નિષ્ફળ ગયો છે. કારણકે જામનગર જિલ્લામાં શિયાળાની સિઝન દરમિયાન ત્રણથી ચાર વખત માવઠાઓ વરસ્યા છે. જેના પગલે ખેતરમાં વાવેલા જીરાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે…..

જોડીયા તેમજ લીંબુડા ગામના ખેતરો માં મોટાભાગના ખેડૂતોએ જીરાના પાકનો વાવેતર કર્યું હતું. જાત મહેનતથી ઉભા કરેલા પાકને પોતાની નજર સામે બળતો જોઇ ને હાલ ખેડુતોનો જીવ બળી રહ્યો છે. પરંતુ અનિયમિત વરસાદના કારણે તેઓને ખૂબ જ નુકસાન થયું છે. જેના પગલે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે…

એક માવઠું આખા વર્ષની આવક ને ખેંચી ગયું છે. આ ગામના ખેડૂતો મોટાભાગે જીરાના પાકનું ઉત્પાદન કરતા હોય છે. જીરાના પાકને સાચવણી કરવી ખૂબ જરૂરી છે. કારણ કે નાના પરિબળો પણ આ પાકને નિષ્ફળ બનાવવામાં ખૂબ અસરકારક ગણાતા હોય છે. એટલા માટે જરૂર હોય એટલું જ પાણી અને તાપ મળે તેવી સગવડ કરવામાં આવતી હોય છે…

આ ગામના ખેતરોમાં ઉભા છોડમાં જિલ્લાના દાણા ખૂબ જ ઓછા દેખાઈ રહ્યા છે. તેમજ અડધા ઉપરનો ભાગ તો બળીને ખાખ થઇ ગયો છે. ખેડૂતોએ મોંઘા ભાવની દવાઓના છંટકાવ કરી હોય તેમ જ ખુબ મહેનતથી પાકને ઉછેરયો હોય તો તેઓની કમાણી કરવાની આશા ને માવઠા અને વાવાઝોડાએ પાણીમાં મૂકી દીધું છે.

આગળ પણ સૌરાષ્ટ્રના ખેડૂતો એ મોટા પ્રમાણમાં નુકશાની અનુભવી છે. જેના પગલે સરકારે તેઓને સહાય કરવાની જાહેરાત કરી હતી પરંતુ અત્યારે જામનગર ના લીંબુડા ગામ માં ખેડૂતોને જીરાના પાકમાં ખૂબ મોટી નુકસાની સર્જાતી હોય ફરી એક વખત સરકાર સામે સહાયની માંગણી કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *