Breaking News

માતાની કોખમાં જ એક પછી એક 3 બાળકો મરી ગયા, હિંમત હારેલી માતાને ચોથા બાળક વખતે થયું એવું કે જાણીને કાળજું ધ્રુજી જશે તમારું..!

દરેક પતિ પત્નીને તેમના લગ્ન જીવનમાં સંતાનની ખૂબ જ વધારે ઈચ્છા હોય છે. કારણ કે સંતાન વગર તેમનું જીવન નકામું છે. સંતાન વગર ઘર એકદમ સુનું-સુનું લાગતું હોય છે. લગ્ન થયા બાદ ઘણી બધી વાર કેટલાક પતિ પત્નીઓને કોઈને કોઈ કારણસર સંતાન થવામાં વાર લાગી જતી હોય છે.

અથવા તો કોઈ બીમારીને કારણે તેઓને સંતાનથી દૂર રહેવું પડવાનો વારો પણ આવતો હોય છે. અત્યારે એક એવી ઘટના સામે આવી છે. જેને વિશે સાંભળીને તમારા રુવા ટાઈમે બેઠા થઈ જશે. આ મામલો મોહમ્મદ ઈસરા અને વહીદા નામના પતિ પત્નીનો છે. જે ભોપાલમાં રહીને જીવન ગુજારે છે. આ બંને પતિ પત્નીના આજથી ૧૩ વર્ષ પહેલા લગ્ન થયા હતા..

આ લગ્નજીવન દરમ્યાન લગ્નના બીજા જ વર્ષે વહીદાએ એક બાળકને જન્મ આપ્યો હતો. જન્મતી વખતે આ બાળક બિલકુલ સ્વસ્થ લાગતો હતો. પરંતુ જનમના બીજા જ દિવસે આ બાળકનું માતાના ખોળાની અંદર જ મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના નો દુઃખ તેનાથી સહન થયું નહીં અને અઢી વર્ષ બાદ ફરીવાર વહીદાએ એક દીકરીને જન્મ આપ્યો હતો..

આ દીકરી પણ જનમતા વેત જ મૃત્યુ પામી ગઈ હતી. ઉપરા ઉપરી બે બાળકોના મૃત્યુ બાદ વહીદા અને તેનો પતિ બંને ખૂબ જ હિંમત આવી ગયા હતા અને માનસિક રીતે તેઓને એટલો બધો આઘાત લાગ્યો હતો કે, આ આ આઘાતમાંથી બહાર આવતા આવતા તેઓને લાંબો સમય લાગી ગયો..

તેઓએ જુદા-જુદા દવાખાને સારવાર કરાવવાની પણ શરૂ કરાવી દીધી જેમાં તેઓએ ભોપાલ અને નાગપુર આ ઉપરાંત મુંબઈની પણ મોટી મોટી હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી. આ દીકરીને મૃત્યુ બાદ અન્ય એક ત્રીજો બાળક પણ જન્મતા વેત જ મૃત્યુ પામ્યો હતો. એક સાથે ત્રણ બાળકો માતાની ખોળામાં જ મરી જવાને કારણે હવે આ માતા આટલી બધી હતાશ થઈ હતી કે, તેની ન પૂછો વાત..

પરિવારના સૌ કોઈ સભ્ય તેની વાહરે આવ્યા અને તેને હિંમત આપી હતી. તેવો જુદી જુદી જગ્યાએ સારવાર કરાવતા હતા અને અંતે તેઓએ ભોપાલની એક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવી પહોંચી હતી. ત્યાં મહિલા ડોક્ટર પાસે સારવાર કરાવી અને ત્યારબાદ જે બાળકનો જન્મ થયો છે..

તે હજુ પણ જીવી રહ્યો છે. આ બાળકનો જ્યારે જન્મ થયો ત્યારે પરિવારમાં ખુશીનો માહોલ તો સર્જાયો હતો. પરંતુ શું આ બાળક જીવી શકશે કે નહીં તેની કોઈ પણ વ્યક્તિને ખબર હતી નહીં. અત્યારે આ બાળકના દસ દિવસ વીતી ચૂક્યા છે. પરંતુ આ બાળક બિલકુલ સ્વસ્થ છે. હવે પરિવારની તમામ રાહ પૂરી થઈ ગઈ છે..

કારણ કે તેઓએ ખૂબ મોટી મોટી હોસ્પિટલમાં લાખો રૂપિયાની દવા કરાવી છતાં પણ તેમનો ખોળો ભરાઈ શક્યો નહીં. પરંતુ સરકારી હોસ્પિટલની એક નાનકડી સારવારમાં જ હવે આ મહિલાનો ખોળો ભરાઈ ગયો હતો. જ્યારે આ બાળક દસ દિવસ સુધી પણ જીવિત રહ્યો અને હજુ પણ તે ખુશખુશાલ જીવન જીવે છે..

ત્યારે બાળકની માતા ભગવાન સામે હાથ જોડીને બોલી રહી હતી કે, હે ભગવાન તમારો લાખ લાખ આભાર કે તમે અમારા ઘરે દીકરાનો જન્મ આપ્યો છે અને મારો ખોળો ભર્યો છે. એક સમયે વહીદા નામની મહિલા ખૂબ જ દુખી હતી. કારણ કે તેણે જન્મતા હોય તેના ત્રણ બાળકોને પોતાની નજર સામે જ મૃત્યુ પામતા જોયા હતા.

અને હવે આ દીકરાના જન્મથી પરિવારમાં ખુશીનો માહોલ સર્જાઈ ગયો છે. જ્યારે જ્યારે પણ આવી ઘટના સામે આવે ત્યારે ઘટનાને જાણ્યા બાદ સૌ કોઈ લોકો કહી બેસે છે કે, “હે ભગવાન તમે આવું બધું કોઈપણ વ્યક્તિને ન આપતા” આ દુખ તો કોઇપણ વ્યક્તિ માટે સહન થવું શક્ય જ નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *