Breaking News

માતાની અર્થીને કાંધ આપીને ભાઈની કમી પૂરી કરી બે દીકરીઓએ, અશ્રુભીની આંખે આપી અંતિમ વિદાય..!

આ સદીમાં દીકરીઓ દીકરાની સાથે ખભે ખભો મિલાવીને પ્રગતીને માર્ગે દોડી રહી છે. કોઇપણ પ્રકારની પરવાહ કર્યા વગર દરેક ક્ષેત્રમાં દીકરીઓ ખુબ જ પ્રગતી કરી રહી છે જે આપડા દેશ માટે ખુબ સારી વાત છે. કહેવાય છે ને કે દીકરી દીકરો એક સમાન એવા અનેક કિસ્સા અત્યારના આધુનિક યુગમા સામે આવી રહ્યા છે.

જૂના રીતિરીવાજો અને પરિસ્થિતિ પ્રમાણે અમુક કાર્ય માત્ર દીકરા જ કરતા હતા, પરંતુ હવે મહિલાઓ પણ પુરુષ કરતા ચડિયાતી બની ગઈ છે. આવો જ એક કિસ્સો સુરતના અમરોલી વિસ્તારમાં સામે આવ્યો છે. અમરોલી દીકરીઓ એ જે કર્યુ તે જોઈને આજે સમગ્ર સમાજને એક નવો સંદેશો મળ્યો છે.

આ વાત અમરોલી જીલ્લાની છે કે જ્યાં 85 વર્ષીય માતાનુ અવસાન થઈ જતા પરિવારમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. અંતિમ સંસ્કારમાં માટે લઈ જવાના હતા ત્યારે પરિવારને એક દીકરાની કમી દેખાણી હતી. દીકરો હોત તો માતાની અર્થીને કાંધ આપેત. પરતું દીકરો ત્યાં હતો નહી એટલે પરિવાર ચિંતામાં મુકાયો હતો…

પરતું દીકરીઓએ સમાજ માટે એક નવી જ રાહ ચિધી હતી. અંતિમ સંસ્કાર પેહલા દીકરીઓજે કર્યુ તે જોઈને ત્યાં ઉભેલા દરેકનું માથું ગર્વથી ઉપર થઈ ગયું હતું. માતાના અવસાન બાદ અર્થીને કાંધ દીકરીઓએ આપી હતી. બે દીકરીઓએ માતાને કાંધ આપી અંતિમસંસ્કાર કર્યા હતા.

વૃદ્ધ દીકરીઓએ અશ્રુભીની આંખે માતાને અંતિમ વિદાય આપી હતી. દીકરાઓની કમી બે વડીલ દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપીને પૂરી પાડી હતી. તેમજ સમાજને એક સંદેશો આપી અંતિમ ક્રિયાની વિધિ દીકરીઓએ કરતા લોકો જોઈ રહ્યા હતા. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા 85 વર્ષીય રળિયાત બેન મોહન ભાઈ પુંભડિયા નામના વૃદ્ધાનું અવસાન થયું હતું.

તેમની અંતિમ યાત્રામા તેમની દીકરીઓએ અર્થીને કાંધ આપીને સ્મશાન સુધી સાથે ગઈ હતી. જૂની રૂઢી પ્રમાણે અંતિમ યાત્રામાં મહિલાઓ જોડાઈ શકે નહીં અને માત્ર શેરીના નાકા સુધી જતી હતી.  પરંતુ અત્યારના આધુનિક યુગમાં નારી પુરુષ સમાન બની છે. તેથી અંતિમયાત્રામાં પણ જોડાઈ હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *