અત્યારના સમયમાં લોકો પોતાના ઘર તેમજ ઓફિસોને બંધ કરીને પોતાના કામકાજે જાય છે પરંતુ ક્યારેક કોઈને ખબર નથી હોતી કે અચાનક તેમની સાથે શું બની જશે? લોકો બીજાના ભરોસે પોતાના ઘર તેમજ ઓફિસને મૂકીને જાય છે પરંતુ હાલમાં બનતા ચોરી લૂંટફાટના કિસ્સાઓને કારણે ઘણી મોટી દુર્ઘટનાઓ પણ બની રહી છે.
હાલમાં પણ આવી જ ઘટના સામે આવી છે. આ ઘટના હરિયાણાના મહેન્દ્રગઢના સુરેતી જાખલ ગામમાં રહેતા બે ભાઈઓ સાથે બની હતી. બંને ભાઈઓ જાખલ ગામના રહેવાસી છે. તેઓ મહેન્દ્રગઢ રોડ પર પોતાની વાડીમાં નવા મકાન બનાવીને રહે છે. પરંતુ તેઓની માતાનું અવસાન થોડા દિવસ પહેલા થઈ ગયું હોવાને કારણે તેઓ પોતાના વતનમાં પોતાના પરિવાર સાથે ગયા હતા.
બંને ભાઈઓ પરિવારમાં તે સગા પાંચ ભાઈઓ છે. જેમાં વિજયભાઈ, વિપિનભાઈ અને રીન્કુભાઈ વીજ બોર્ડ સુરતી ઝાંખલ સતનાલી રોડ પર પોતાના મકાન બાંધીને રહેતા હતા અને બીજા બે ભાઈઓ મહેન્દ્રગઢ રોડ પર પોતાની વાડીમાં મકાન બનાવીને રહેતા હતા/ તેઓ પોતાના માતાના અવસાન બાદ પાણીવાળ હોવાને કારણે પોતાના વતનએ ગયા હતા.
બંને ભાઈઓ પોતાના ઘરને બંધ કરીને ગયા હતા પરંતુ અને તેમના પાડોશીના લોકોને પોતાના ઘરનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું. ત્યારબાદ બંને ભાઈઓ પોતાની માતાના પાણી વાળ કરીને સાંજના સમયે ઘરે પાછા આવ્યા હતા. ત્યારે તેમણે પોતાના ઘરની બહાર ગાડીઓને પાર્ક કરી હતી અને તેઓ પોતાના ઘરે ગયા હતા.
ત્યારે અચાનક જ પરિવારના લોકોએ એવું જોયું કે, જોતાની સાથે જ પરિવારના લોકો ગભરાઈને બૂમો પાડવા લાગ્યા હતા. જેના કારણે આડો પાડોશના લોકો અડધી રાતે ભેગા થઈ ગયા હતા. દરેક લોકોએ જોયું તો ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું અને ઘરની અંદર દરેક માલ સામાન વેરવિખેર પડેલો હતો અને સાથે જ ઘરના પાછળના ભાગે રહેલા દરવાજા પણ ખુલ્લો જોવા મળ્યો હતો.
અને દરવાજા પાસે પોતાની માતાની અંતિમયાદીનું નાનું બોક્સ પણ પડેલું જોવા મળ્યું હતું. ઘરમાં લુટેરાઓ આવ્યા હોવાની શંકા થઈ હતી અને ઘરના દરેક કબાટને તોડી નાખવામાં આવ્યા હતા. બંને ભાઈઓના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ હતી અને સાથે જ એક ભાઈના ઘરેથી એક જોડી ચાંદીની પાયલ, બે સોનાની વીંટી અને ટોપની જોડી ગાયબ જોવા મળી હતી.
અને સાથે રોકડ પૈસા પણ ગાયબ થયા હતા અને બીજા ભાઈના ઘરેથી એક સોનાનો હાર, સોનાની બુટ્ટી તેમજ 62 હજાર રોકડ ₹ ગાયબ થયા હતા. જેના કારણે બંને ભાઈઓએ મળીને પોલીસ સ્ટેશનમાં પોતાના ઘરે લૂંટફાટ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
અને સાથે લુટેરાઓની શોધવાની તપાસ હાથ ધરી હતી. બંને ભાઈઓ પોતાની માતાના અવસાનને કારણે ખૂબ જ આઘાતમાં હતા અને તેમની સાથે જ આવી ઘટના બની જતા તેઓ વધારે આઘાતમાં આવી ગયા હતા. તેઓની સંપત્તિ લૂંટાઈ ગઈ હતી. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]