અવારનવાર બાળકો સાથે ગંભીર કિસ્સાઓ બનતા સામે આવી રહ્યા છે. માતા-પિતાની બાળક પર જરા પણ નજર ન રહેતા બાળકો સાથે જીવલેણ ઘટનાઓ સર્જાઈ રહી છે. શહેરોમાં કે ગ્રામ્ય વિસ્તારમાં બાળકોને રસ્તે એકલા નીકળતા આવા કિસ્સાઓ સર્જાઈ રહ્યા છે. હાલમાં એક બાળક સાથે બનેલા અકસ્માતની ઘટના સામે આવી હતી.
આ ઘટના સુરત શહેરના ગૌરવપથ રોડ પર સાંજના સમયે બની હતી. રસ્તા પર બાળક પોતાની માતાની સાથે શાકભાજી ખરીદવા માટે જઈ રહ્યો હતો. બાળકનું નામ અબ્દુલ હતું. તેમની ઉંમર સાત વર્ષની હતી. તે પોતાના પરિવાર સાથે ગૌરવ પથ રોડ પર આવેલા ડ્રીમ ફેસ્ટિવના નિર્માણાધીનથી બિલ્ડીંગમાં રહે છે.
બાળકની માતા રઝીયાબેન પોતાના દીકરાને લઈને શાકભાજી ખરીદવા માટે ઘરથી બહાર નીકળ્યા હતા. બંને માતા દીકરો રોડ પર ચાલી રહ્યા હતા અને તેઓ ડ્રીમ ફેસ્ટિવની સામેની તરફ રોડ પર શાકભાજીની માર્કેટ ભરાતી હોવાથી તેઓ રોડ ક્રોસ કરીને શાકભાજી લેવા માટે જઈ રહ્યા હતા. માતાએ પોતાના માસુમ દીકરાનો હાથ પકડી રાખ્યો હતો.
અને બાળક પણ પોતાની માતાની સાથે વાતો કરીને રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે સામેની તરફથી એક સ્કૂલ બસ આવી રહી હતી. આ સ્કૂલ બસ કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલની બસ હતી. જેના કારણે બસ ચાલકે ખૂબ જ બેદરકારકારી પૂર્વક પોતાની બસને ચલાવી રહ્યો હતો.
અને તેણે રસ્તો ક્રોસ કરી રહેલા માતા દીકરાને જોયા વગર જ બસની સ્પીડ વધારી હતી. બાળક પોતાની માતાની સાથે આંગળી પકડીને ચાલી રહ્યો હતો. છતાં પણ બસની ટક્કર લાગતા જ બાળક રસ્તા પર પડી ગયો હતો. બસ ચાલક પોતાની બસ લઈને ત્યાંથી ભાગી ગયો હતો. આ અકસ્માત સર્જાતા તરત જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.
માતા પોતાના બાળકને રસ્તા પર લોહી લુહાણ હાલતમાં જોઈને ત્યાંને ત્યાં જ બેભાન થઈ ગઈ હતી. તેમની નજર સામે તેમના બાળક સાથે આવી ઘટના બની જતા તે પોતાનો હોંશ ગુમાવી બેઠી હતી. તરત જ બાળકને આસપાસના લોકોએ એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેમના પરિવારના લોકોને પણ આ વાતની જાણ કરવામાં આવી હતી.
પરંતુ રાત્રે સમય દરમિયાન બાળકનું મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે પરિવારના લોકોએ બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી ન હતી. બસ ચાલક છેલ્લા ત્રણ વર્ષથી સ્કૂલ બસ ચલાવે છે અને તેની પહેલા તે ખેતી કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. બસ ચાલકની પોલીસે ધરપકડ કરી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]