આપણી આસપાસ ઘણા બધા ગંભીર કિસ્સાઓ બની રહ્યા છે. પરિવારમાં પોતાના બાળકો સહેજ પણ નજરથી દુર થાય કે માતા-પિતાને ગભરામણ અનુભવાતી હોય છે, તેઓ અવારનવાર ચિંતાતુર બનીને ચિંતા કરવા લાગે છે કે તેમના બાળકો સુરક્ષિત હશે કે નહીં પરંતુ હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક માતાએ પોતાનો લાડકો દીકરો ગુમાવ્યો હતો.
આ ઘટના મુરાદાબાદના મજોલાના ફકીરપુરા શાસ્ત્રીનગરમાં રહેતા પરિવારના દીકરા સાથે બની હતી. દીકરો તેમના માતા-પિતા અને ભાઈ બહેન સાથે રહેતો હતો. દીકરાનું નામ અમન હતું. અમન તેમની માતા નયના અને તેમના બંને ભાઈ વિશાલ અને સચિન અને એક બહેન સાથે રહેતો હતો. અમનના પિતા બબલુનું મૃત્યુ બે વર્ષ પહેલાં બીમારીના કારણે થયું હતું.
તેમના પિતાનું અવસાન થતાં પરિવાર ખૂબ જ દુઃખમાં જીવી રહ્યો હતો. પિતાની છત્રછાયા બાળકો ભૂલી શક્યા નહીં અને હજુ પરિવાર દુઃખમાંથી બહાર આવ્યો નહોતો કે પરિવારનો દીકરો અમન અચાનક એક દિવસ ગાયબ થઈ ગયો હતો. પરિવારનો મોટો દીકરો વિશાલ હળદવાનીમાં રહે છે અને ત્યાં તે કામ કરે છે.
પરિવારમાં નયનાબેન, અમન અને તેમના નાનાભાઈ-બહેન રહેતા હતા, નાનોભાઈ સચિન અને બહેન શાળામાં અભ્યાસ કરતા હતા. જેના કારણે તે પોતાના પરિવાર સાથે હળીમળીને રહેતા હતા. અમન એક દિવસ પોતાના કોઈ મિત્ર સાથે બહાર જવા નીકળ્યો હતો અને સાંજનો સમય થઈ જતા થઈ ગયો હોવા છતાં અમન ઘરે પરત આવ્યો નહીં.
જેના કારણે માતા શોધવા માટે નીકળી પરંતુ માતાને અમન કોઈ પણ જગ્યાએથી મળ્યો ન હતો. અમનના પરિવારના લોકોએ અમનને મઝોલા વિસ્તારમાં શોધ્યો હતો પરંતુ માતાને અમન કોઈ પણ જગ્યાએ દેખાયો નહીં અને માતા માતાએ પાડોશીના લોકોને અમરના ગુમ થયાની જાણ કરી હતી. જેના કારણે પાડોશીના કહેવા પ્રમાણે માતાએ અમનના ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અમનના ગુમ થયાની નોંધ કરીને અમને શોધવા માટેના પ્રયાસો ચાલુ કર્યા હતા પરંતુ બીજો દિવસ થઈ જતા છતાં પણ અમન કોઈ જગ્યાએથી મળ્યો નહીં. જેના કારણે માતાએ પોલીસ સ્ટેશન જઈને પોતાના પુત્રના ગુમ થયેલ થવા અંગે પોલીસને પૂછ્યું હતું પરંતુ પોલીસે જવાબ આપ્યો હતો કે, તે હજુ અમનને શોધી રહ્યા છે.
અને અમનને શોધવાના પ્રયાસો કરી રહ્યા છે. માતા પોતાના હૃદયના ટુકડા સમાન દીકરાને શોધવા માટે ખૂબ જ દોડી રહી હતી અને તેમના બંને ભાઈઓ અને બહેન પણ અમને શોધી રહ્યા હતા પરંતુ અમન કોઈ પણ જગ્યાએથી મળ્યો નહીં. એક દિવસ પોલીસ સ્ટેશનમાંથી અમનના અસ્થિ માટે ફોન આવ્યો હતો.
જેના કારણે પરિવારના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તે સમયે પોલીસે જણાવ્યું હતું કે અમન તેમના ઘરથી માત્ર 1 કિમી દૂર સિવિલ લાઇન્સ વિસ્તારમાં ફકીરપુર રેલવે હરખલા કોલોનીની સામે રેલવેના પાટા પર મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેના કારણે પોલીસે તેમના પરિવારના લોકોને જાણ કર્યા વગર અમનના મૃતદેહની અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
અને માતાની સાથે સગા સંબંધી સ્મશાન પર પહોંચ્યા હતા. માતા પોતાના દીકરાની રાહ જોઈ રહી હતી પરંતુ તેમને પોતાના દીકરાનું મોઢું પણ જોવા મળ્યું નહીં અને માતાના હાથમાં દીકરાની અસ્થિઓ આવી જતા માતા દુઃખમાં સરી પડી હતી. પરિવારના લોકો અસ્થિ લઈને રામગંગા નદીમાં વિસર્જન કરવા માટે ગયા હતા.
માતાએ પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોતાના દીકરાના મળ્યા હોવાની જાણ ન કરીને તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. જેના કારણે માતા ખૂબ જ દુઃખી બની હતી અને તેમના બંને ભાઈઓ પણ ખૂબ જ દુઃખી થઈ રહ્યા હતા. કારણ કે બંને ભાઈઓ તેમના ભાઈના મૃતદેહના અંતિમ સંસ્કાર પણ કરી શક્યા નહીં.
અને તેમના ભાઈનું છેલ્લી વાર તેઓ મોઢું પણ જોઈ શક્યા નહીં. દીકરા સાથે આવી ઘટના બની જતા પરિવારના લોકો આઘાતમાં ઢળી પડ્યા હતા. પરિવારનું ધ્યાન રાખી રહેલા દીકરા સાથે આવી ઘટના બની જતા પરિવાર નિરાધાર બન્યું હતું અને માતા પોતાના દીકરાને યાદ કરીને ખૂબ જ રડી રહી હતી…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]