હાલ શહેરોમાં રોજગારીઈ તકો ઘટતા કેટલાય મન ડગેલા લોકો ચોરી અને લુંટફાટના રવાડે ચડ્યા છે. રોજ આવા કેટલાક કિસ્સાઓ સામે આવતા હોય છે કે દુકાનદાર અથવા તો વેપારીને જુદી જુદી આડી અવળી વાતોમાં પરોવીને તેમનું ધ્યાન ભટકાવવા બાદ તેમનો મુદ્દામાલ ચોરી કરી લેતા હોય છે…
પોલીસ પણ ઘણા દિવસોથી આ પ્રકારની ચોરીને અંજામ આપતી ટોળકીને પકડવા ની પુરી કોશિશ કરી રહી છે. પરંતુ હવે આ ટોળકીએ પુરૂષોને બદલે મહિલાઓને ચોરી અથવા લૂંટ કરવાનું શીખવી દેતા.. મહિલાઓ પણ આ બાબતે સક્રિય બની છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં એક ચોરીનો અદભુત કિસ્સો સામે આવ્યો છે.
પાલડી વિસ્તારમાં સીઝનેબલ મટીરીયલ ની દુકાન ચલાવતા અશોકભાઈ મોદી છેલ્લા ઘણા વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ એક દિવસ બપોરના સમયે ઘરે જમવા માટે ગયા ત્યારે.. તેઓએ તેમની પત્નીને દુકાન સંભાળવા કહ્યું હતું. અને એ જ સમયે બે મહિલા મોપેડ લઇ ને આ પૂજાપાની દુકાનમાં માતાજીની ચુંદડી લેવા માટે આવી હતી…
તેઓએ દુકાન સંભાળતી મહિલાને કહ્યું હતું કે અમારે માતાજીની ચુંદડી જોતી છે તમે સારામાં સારી ચુંદડી દેખાડો. ચુંદડી તો બસ ખાલી એક બહાનું હતું. હકીકતમાં તો એ મહિલાઓ લૂંટફાટ અને ચોરીના ઈરાદે દુકાનમાં ઘૂસી હતી. પરંતુ તે કોઈ સારા મૌકાની વાટ જોતી હતી. એવામાં દુકાનદારની પત્ની પણ દુકાન માં એકલી જ હતી એટલા માટે લૂંટ કરવા આવેલી મહિલાને સારો મોકો મળી ગયો હતો…
એ બાદ તેઓએ મહિલાને જણાવ્યું હતું કે અમને કોઈ પણ ચુંદડી ગમતી નથી.. એમ બોલતા બોલતા તે દુકાનની અંદર આવેલા મંદિરમાં પહોંચી ગઈ હતી. અને જોયું તો ત્યાં 50000 રૂપિયા ની થોકડી પડી હતી.
પૈસા જોઈને જ મહિલાનું મન ડગી ગયું. એક મહિલા સતત દુકાનદાર મહિલાને વાતમાં પરોવી રહી હતી. તો બીજી મહિલાએ તેમની નજીક જઈને 50000 રૂપિયા ને બટકાવી લીધા હતા. અને ત્યાર બાદ અમને અહીંયાંથી કોઈપણ ચુંદડી ગમી નથી.. જો મન પડશે તમે ફરી વખત પાછ આવુશુ એમ કહીને તેઓ દુકાનમાંથી નીકળી ગયા હતા…
જ્યારે અશોકભાઈ પોતે દુકાન પર આવ્યા અને વેપારીને લેવા માટેના 50000 રૂપિયા ની શોધખોળ શરૂ કરી તો.. જણાયું કે આ મંદિર પાસે એ મહિલા છેલ્લી વખત આવી હતી. તેથી તેઓ તરત જ આ બાબતે અમદાવાદ પોલીસને ફરિયાદ કરી દીધી હતી. પોલીસ આ મામલે હાલ વધારે તપાસ કરી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]