જ્યારે જ્યારે વ્યક્તિ સંસારની કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થતો હોય ત્યારે તે ભગવાનને જરૂર યાદ કરે છે. માતાજીના દર્શન કરીને ફળ રૂપે પોતાની તમામ સમસ્યાઓનો હલ માંગે છે. માતાજી યોગ્ય સમયે વ્યક્તિની મહેનત પ્રમાણે તેને પણ જરૂર આપે છે. તેમજ તેને દરેક મુશ્કેલીમાંથી સરળતાથી બહાર કાઢે છે.
માતાજી નો સાથ હર હંમેશ સૌ કોઈના સાથે હોય છે. ક્યારે પણ કોઈનું ખોટું થવા દેતા નથી. હંમેશા દરેક વ્યક્તિની સુરક્ષા કરે છે. પરંતુ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં પાટણ ગામે માતાજીના દર્શન કરવા હતા એક યુવક સાથે એવો બનાવ બન્યો હતો તે જાણીને તમે ચોંકી ઉઠશો.
પાટણ ગામમાં રહેતા દાનુ ચતુરભાઈ નો દીકરો દારૂનું વ્યસન સાથે સંકળાઈ ગયો હતો. અથાક પ્રયત્નો કર્યા બાદ પણ કોઈપણ વ્યક્તિ તેને આ વ્યસનથી મુક્ત કરાવી શકે તેમ નહોતું. તે ગમે ત્યારે ઘરેથી નીકળી જતો હતો અને ગમે ત્યારે ઘરે પાછો આવતો હતો. તે શું કરે છે અને ક્યાં જાય છે કોઈને પણ ખબર નહોતી. એક દિવસ તે ફુલ દારૂ પીને ઘરે આવ્યો હતો અને ત્યારબાદ તે માતાજીના દર્શન કરવા જતો હતો.
પરંતુ વરસાદ એટલો બધો હતો કે આખા ગામમાં પાણી ભરાઈ ગયા હતા અને કાદવ કીચડ જામી ગયો હતો. તેથી તેના પગ પણ ગારાવાળા થયા હતા. એ માતાજીના મંદિર સુધી પહોંચ્યો અને મંદિરના પરિસરમાં ગયો ત્યારબાદ તે માતાજી પાસે પ્રાર્થના આરાધના કરીને જતો હતો.
ત્યારે મંદિરનો પરિસર તેમજ તેના પગ બંને ભીના હોવાથી તે લપસી પડ્યો હતો. તે માતાજીની મૂર્તિ તરફ લસરતા માતાજી પાસે મુકેલ ત્રિશુલ તેના પેટમાં ઘૂસી ગયું હતું.ત્રિશુલ ઘુસી જતા પેટમાંથી લોહીની ધાર વહેવા લાગી હતી. અને તે બુમાબુમ કરવા લાગ્યો હતો ત્યારે આજુબાજુના લોકોએ જ્યાં મંદિરે આવ્યા હતા.
અને તે યુવકને લોહીલુહાણ હાલતમાં જોઇને તરત જ લીંબડી ખાતે સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો .સરકારી હોસ્પિટલના ડોક્ટરે તેની તપાસ કરી હતી ત્યારબાદ તેને મૃત જાહેર કર્યો હતો.
પરંતુ આ મૃત્યુમાં લોકોને કંઈક બીજી શંકા જાય છે કારણકે ત્રિશુલ ને ત્રણ ધાર હોય છે પરંતુ તે યુવકના શરીર ઉપર માત્ર એક જ ધાર નો ઘાવ જોવા મળ્યો હતો જેથી આ મૃત્યુ શંકાસ્પદ છે. તેવું લાગી રહ્યું છે જોકે આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસે તરત જ લોકોની પૂછતા જ કરવાની ચાલુ કરી દીધી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]