કહેવાય છે કે, આપણા નસીબ અને ભાગ્યમાં જે વસ્તુ લખી હોય છે. તે કોઈને કોઈ રીતે જરૂર થઈ જતી હોય છે, નસીબમાં નખાયેલી વાતચીત અને કોઈ પણ વ્યક્તિ ટાળી શકતું નથી. અત્યારે એક એવી ઘટના સામે આવી છે, જેને જાણ્યા બાદ દરેક લોકોના કાળજા ધમધમ ઉઠ્યા હતા..
આ ઘટનાને લઈને મોટાભાગના લોકો ખૂબ જ ઊંડા શોકની અંદર ચાલ્યા ગયા છે, આ હચમચાવતો બનાવ સોનિયાલ ગામના રહીશો સાથે બન્યો છે, આ ગામના મોટા ફળિયાની અંદર રહેતો એક મોટો પરિવાર તેમના કુળદેવી માતાજીના મંદિરે ધજા ચડાવવા માટે જવાનું વિચાર કરી રહ્યો હતો અને એક તારીખ નક્કી કરીને તેઓ એક મીની બસને ભાડા પર રાખી પરિવારના કુલ..
20 જેટલા લોકો આ મીની બસની અંદર બેસીને તેમના કુળદેવીના મંદિરે જઈ ત્યાં ધજા ચડાવી પૂજા અર્ચના કરીને તેઓ તેમના ઘરે પરત આવવા નું પ્લાનિંગ કર્યું હતું. આ પ્લાન મુજબ સવારના સમયે કુલ 20 લોકો ભરેલી આ મીની બસ સોનિયાલ ગામ થી અંદાજે 130 કિલોમીટર દૂર આવેલા તેમના કુળદેવી માતાજીના મંદિરે ધજા ચડાવવા માટે પહોંચી ગઈ હતી..
અને ત્યાંથી તેઓ માતાજીના મંદિરે પૂજા અર્ચના અને ધજા ચડાવીને તમામ માનતાઓ પૂર્ણ કરી બપોરના ચાર વાગ્યે આસપાસ તેઓ તેમના વત અને પરત આવવા માટે રવાના થયા હતા. બસની અંદર બેઠેલા તમામ લોકો ભજન કીર્તનનું સ્મરણ કરતાં કરતાં તેમના ઘરે પરત આવતા હતા..
તેમને એવી તો શી ખબર કે, તેમને મીની બસનો અકસ્માત સર્જવાનો છે અને તેમની મીની બસ પલટી ખાઈ જવાને કારણે તેમના સાથે ખૂબ જ ચોંકાવનારી ઘટના બનવાની છે, જ્યારે તેઓ તેમના વતનથી માત્ર 50 km જેટલા દૂર હતા, ત્યારે વિનેપર ગામના પાટીયા પાસે તેમની મીની બસ સામેથી આવતા આઇસર ટ્રકની ટક્કર લાગતાની સાથે જ પલટી ખાઈ ગઈ હતી..
આ મીની બસ પલટી ખાઈ જવાને કારણે અંદર બેઠેલા 20 લોકોના મોઢામાંથી પણ ચીખો ફાટી નીકળી હતી, અંદાજે બે થી ત્રણ પલટી ખાઈને આ મીની બસ રોડ નીચેના ખાડાઓની અંદર ઉતરી જતા અંદર બેસેલા 20 લોકો માંથી કુલ સાત લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ પણ થઈ ગયા છે..
જ્યારે બાકીના લોકો ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત તથા હાઇવે ઉપરથી પસાર થતાં અન્ય વ્યક્તિઓ આ તમામ બીજા ગ્રસ્તો અને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાની કામગીરીમાં કરવામાં લાગી પડ્યા હતા, જ્યારે ચાર વ્યક્તિઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું છે..
આ ચાર વ્યક્તિઓમાં રમીલા,નિકુંજ,ચંદ્રિકા અને અમૃતાનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય ત્રણ યુવકો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેઓનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું છે, ઘટના સ્થળે ચાર અને સારવાર દરમિયાન ત્રણ વ્યક્તિઓ એમ મળીને કુલ સાત વ્યક્તિઓના કમ કમાટી ભર્યા મૃત્યુ થયા છે..
આ કાળમુખા અકસ્માતની અંદર કુલ સાત વ્યક્તિઓના મૃત્યુ થતાં પરિવારના અન્ય લોકો ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા, જે લોકો હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમના માટે તો હજુ પણ આ બાબતને મગજમાં બેસાવી ખૂબ જ અઘરી છે, વાતના સમાચાર જ્યારે તેમના ગામ સુધી પહોંચે ત્યારે ગામમાં પણ મોતનો માતમ છવાઈ ગયો હતો..
આ સાત વ્યક્તિઓને અંતિમ વિદાય વખતે સમગ્ર ગામ હિબકે ચડી ગયું હતું. બિચારા પરિવારની એવી તો શી ખબર કે, તેઓ માતાજીના મંદિરે ધજા ચડાવવા માટે તો જઈ રહ્યા છે. પરંતુ તેઓ પરત આવવાના છે, ત્યારે તેમની સાથે આવો કાળમુખો અકસ્માત કુલ સાત વ્યક્તિઓના જીવ લઈને જતો રહેશે હકીકતમાં આ ઘટનાએ દરેક લોકોને દુઃખદાયી બનાવી દીધા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]