કહેવાય છે કે ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે, જ્યારે પણ કોઈ ગંભીર બીમારી થઈ હોય ત્યારે દરેક લોકોને ડોક્ટર પ્રત્યે આશા અપેક્ષા હોય છે કે, ડોક્ટર એક દર્દીનો જીવ બચાવી લેશે. પરંતુ અમુક વખતે ડોક્ટર માટે પણ જીવ બચાવવો ખૂબ જ મોટો પ્રશ્ન બની જતો હોય ત્યારે દરેક લોકો હવે ભગવાન ઉપર આશા રાખીને બેઠા હોય છે કે તેમના દર્દી બિલકુલ સ્વસ્થ થઈ જાય..
અને તેમનો જીવ બચી જાય, આ માટે ઘણા બધા લોકો માનતા પણ માને છે અને જો આ માનતા અનુસાર દરેક વાત સત્ય સાબિત થતી હોય તો માનતાને પૂર્ણ કરવા માટે હશે કોઈ પણ જગ્યાએ જતા પણ હોય છે, અત્યારે નવીનભાઈ નામના વ્યક્તિ કેન્સરની અત્યંત ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા..
નવીનભાઈના લગ્ન સુનીતાબેન સાથે થયા હતા અને પરિવારમાં તેમને ત્રણ દીકરીઓ હતી, આ ત્રણેય દીકરીઓ હાલ શાળાનો અભ્યાસ કરી રહ્યું છે. નવીનભાઈના વડીલ માતા પિતાનું પણ મૃત્યુ થઈ ગયું છે અને હવે નવીનભાઈને કેન્સરની બીમારી આવતા તેમની પત્ની પણ ભાંગી પડી હતી કારણ કે, લાખો રૂપિયાનો ખર્ચો હોસ્પિટલમાં જઈ રહ્યો હતો..
આ ઉપરાંત નવીનભાઈને કેન્સર સામે જંગ લડવાની હિંમત પણ ધીમે ધીમે ખૂટી રહી હતી અને ડોક્ટરે પણ જણાવી દીધો હતો કે હવે નવીનભાઈ પાસે વધારે સમય નથી એવા સમયે નવીનભાઈની પત્ની સુનિતા બેને માતાજીને પ્રાર્થના કરીને કહ્યું હતું કે, કેન્સર સામે તમે મારા પતિનો જીવ બચાવી લેજો..
જો મારા પતિનો જીવ બચી જશે તો હું માનતા પૂરી કરવા માટે સમગ્ર પરિવારને સાથે લઈને માતાજીના મઢે દર્શન કરવા માટે આવશે અને હકીકતમાં થોડા સમયની બાદ ધીમે ધીમે નવીનભાઈની સ્થિતિની અંદર સુધારો દેખાયો અને તેને કેન્સરનો ખતરો ધીમે ધીમે ટળવા લાગ્યો હતો..
જ્યારે નવીનભાઈ સ્વસ્થ થઈ ગયા અને હલનચલન પણ કરવા લાગ્યા હતા, ત્યારે સુનીતાબેને તેના પતિને જણાવ્યું હતું કે, તેઓએ માનતા માની હતી એ માનતા અનુસાર આપણે સમગ્ર પરિવારને સાથે લઈને આપણા ઘરથી 140 કિલોમીટર દૂર આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા માટે જવાનું છે..
નવીનભાઈએ એક ભાડાની કાર નક્કી કરી હતી આ કારની અંદર નવીનભાઈ તેમની પત્ની સુનીતાબેન અને તેમની ત્રણેય દીકરીઓ માતાજીના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા અને ત્યાંથી માનતા પૂરી કરીને તેઓ મોડી રાત્રે ઘરે પરત ફરવાના હતા, પરંતુ જ્યારે તેઓ ત્યાં માનતા પૂર્ણ કરીને બપોરના પાંચ વાગ્યે આસપાસ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા..
ત્યારે લતા નગરની ચોકડી પાસે અચાનક જ સામેની બાજુએથી આવતા ડમ્પર ચાલકે તેમની કારને અડફેટે લઈ લીધી હતી, આ અડફેટ આટલી બધી જોરદાર હતી કે નવીનભાઈની કાર ત્રણથી ચાર પલટી ખાઈને રસ્તાની નીચે ઉતરી ચૂકી હતી, આ કારની અંદર બેસેલી સુનિતાબેન તેમજ તેમની ત્રણેય દીકરીઓનું કમ કમાટી ભર્યું મૃત્યુ થયું હતું..
જ્યારે નવીનભાઈ જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યા છે. આ ઉપરાંત ડ્રાઇવર પણ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયો હતો, આ અકસ્માત જ્યારે સર્જાયો ત્યારે હાઇવે ઉપર ચારેકોર મરણચીખો ગુંજી ઊઠયો હતો, એક સાથે ચાર વ્યક્તિઓના મૃત્યુ થતાની સાથે જ સમગ્ર હાઇવે લોહી લુહાણ બની ગયો હતો..
આ ઘટનાને લઈને નજીકના પોલીસ સ્ટેશનમાં પણ સ્થાનિક લોકોએ જાણકારી આપી હતી કે, હાઈવે ઉપર ખૂબ જ મોટો અકસ્માત થયો છે તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને જુદી-જુદી તપાસ પણ ચલાવવા લાગ્યા હતા, સૌ પ્રથમ સુનીતાબેન તેમજ તેમની દીકરીઓની લાશને નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા..
ત્યારબાદ ગાડીના ડ્રાઈવર અને નવીનભાઈને પણ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ધકેલવામાં આવ્યા હતા. હાઈવે ઉપર થતી ચૂક કોઈપણ નિર્દોષ વ્યક્તિઓના જીવ લઈ લેતી હોય છે, એવી જ રીતે અત્યારે એક ડમ્પરચાલકની થોડી અમથી ભૂલ એક પરિવારને વેર વિખેર કરી નાખ્યો હતો..
બિચારા નવીનભાઈ પાસે લાંબા વર્ષોનું આયુષ્ય બચ્યું હતું નહીં અને તેમનો જીવ અકસ્માતમાં બચી ગયો હતો, જ્યારે તેમની ત્રણેય નાનકડી દીકરીઓ તેમજ તેમની પત્ની બિલકુલ સ્વસ્થ હતા, જેને અકસ્માતમાં મૃત્યુ લડી ગયું હતું..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]