Breaking News

માતાએ દીકરાને મસ્તી બંધ કરીને ચોપડી લઈને ભણવા બેસવાનું કહ્યું દીકરાને ખોટું લાગી જતાં લટકીને આપઘાત કરી લીધો, જોઇને પરિવારનું મોઢું ફાટી ગયું..!

બાળકો નાની નાની વાત પોતાના મગજ પર લઈ રહ્યા છે. બાળકોને રમવામાં જીવ હોય છે પરંતુ ક્યારેક તેઓ એવી રમત કરતા હોય છે. જેના કારણે માતા પિતા તેમને ખીજાઈ જાય છે અને બાળકોને ખોટું લાગી જતા તેઓ ગંભીર પગલા ભરી રહ્યા છે. હાલમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. આ કિસ્સો બાબેરનગરના બાંદ્રા રોડ ગાયત્રી નગર પાસે રહેતા પરિવારના દીકરા સાથે બન્યો હતો.

પરિવારમાં રામપ્રતાપ શાહુ તેમની પત્ની અને બાળકો સાથે રહે છે. રામપ્રતાપની પત્ની સુનિતા શાહુ પરિવારનું ધ્યાન રાખીને રાજી ખુશીથી પરિવારમાં રહે છે. રામપ્રતાપ ભાઈને સંતાનમાં 4 બાળકો છે. જેમાં બે દીકરા અને બે દીકરીઓ છે. બે દીકરામાં નાનો દીકરો ખૂબ જ મસ્તીખોર હતો. તેમનું નામ નીરજ સાહુ હતું.

તેમની ઉંમર 8 વર્ષની હતી. નીરજ પોતાના જ ગામમાં આવેલી સત્યમ શિવમ સુન્દરમ મેમોરિયલ સ્કૂલમાં અભ્યાસ માટે જતો હતો. તે ધોરણ 3 માં અભ્યાસ કરતો હતો. નીરજ તેમના ભાઈ બહેન સાથે પણ ખૂબ જ મસ્તી કરતો હતો. તે બીજા બાળકો સાથે પણ અવારનવાર મસ્તી કરતો હતો. જેના કારણે તેમની માતાને ઘણું બધું સાંભળવું પડતું હતું.

શાળાએ પણ તે ખૂબ જ મસ્તી કરતો હોવાને કારણે તેની શાળાના શિક્ષકો પણ ખૂબ જ ખીજાતા હતા પરંતુ નીરજને રમતમાં અને મસ્તીમાં જીવ હતો. જેના કારણે એક દિવસ તેણે પોતાની બહેનો સાથે કોઈ મસ્તી કરી હતી. જેના કારણે તેની માતાએ ઠપકો આપ્યો અને ભણવા બેસવાનું કહ્યું હતું. નીરજ ખૂબ જ રડવા લાગ્યો હતો.

અને તે પોતાની માતાથી નિરાશ થઈ ગયો હતો. તે પોતાની ચોપડી લઈને ઉપરના રૂમમાં જતો રહ્યો હતો. માતાને લાગ્યું કે તેણે ઠપકો આપ્યો છે, જેના કારણે તે રિસાઈને ઉપરના રૂમમાં જતો રહ્યો છે. જેથી ઉપરના રૂમમાં કોઈ પણ લોકો નીરજને મનાવવા માટે ગયા નહીં ત્યારબાદ થોડો સમય થઈ જતા વાસણના પડવાનો અવાજ આવ્યો હતો.

પરંતુ માતા અને તેમની બહેનોને લાગ્યું કે નીરજ કોઈ મસ્તી કરતો હશે. જેના કારણે કોઈએ ધ્યાન આપ્યું નહીં ત્યારબાદ મોટો ભાઈ પોતાના ટ્યુશનને ગયો હતો. ત્યાંથી તે પાછો આવીને પોતાનું દફતર ઉપરના રૂમમાં મૂકવા આવ્યો હતો. ત્યારે તેમણે જોયું તો તે જોતા જ દફતર પણ ત્યાંને ત્યાં જ પડી ગયું હતું અને તે ઢળી પડ્યો હતો.

પોતાની માતાને બોલાવવા લાગ્યો હતો. માતા તરત જ દોડતી દોડતી ઉપરના રૂમમાં પહોંચી હતી અને તેમણે મોટા દીકરાને શું થયું તેમ પૂછ્યું હતું. ત્યારે મોટા દીકરાએ પોતાની હાથની આંગળી બતાવીને રૂમ તરફ એવું બતાવ્યું કે માતા પણ જોઈને આઘાતમાં આવી ગઈ હતી. માતાએ જોયું તો નીરજ વાસણ પર ચડીને લટકી રહ્યો હતો.

અને તેણે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટના જોતા જ માતાને પોતાના મગજ પર કાબુ રહ્યો નહીં અને તે હાફળીફાફળી થઈને તરત જ પાડોશીને લોકોને બોલાવવા દોડી ગઈ હતી. તરત જ પાડોશીના લોકો ઘરે આવ્યા હતા અને માતાએ તેમજ પાડોશીના લોકોએ મળીને નીરજને નીચે ઉતાર્યો હતો.

ત્યારબાદ પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને નીરજના પિતા રામ પ્રતાપ ભાઈને પણ આ ઘટનાની જાણ કરાઈ હતી. તેમનો નાનો અને મસ્તીખોર દિકરો હવે કાયમ માટે શાંત થઈ ગયો હતો. આ યાદ કરીને તે ખૂબ જ રડી રહ્યા હતા. પોલીસ આગળની તપાસ કરી રહી હતી અને દરેક લોકોની પૂછપરછ કરી રહી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *