ગામ અને શહેરી વિસ્તારમાં અવારનવાર નાના બાળકો સાથે બનતા ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં હાલમાં વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. આ કિસ્સો હરદોહીના પિહાની વિસ્તારમાં આવેલા અયારી ગામમાં રહેતા પરિવારના દીકરા સાથે બન્યો હતો. દીકરો તેના માતા-પિતા સાથે રહેતો હતો.
દીકરાનું નામ કૃણાલ કશ્યપ હતું. કૃણાલની ઉંમર 3 વર્ષની હતી અને તે પોતાના માતા-પિતા સાથે રહેતો હતો. અયારી ગામમાં પ્રાથમિક અને જુનિયર એમ બે શાળાઓ આવેલી છે. કૃણાલ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો, જેના કારણે તેની માતા તેને દરરોજ શાળાએ લેવા અને મુકવા માટે જતી હતી.
પિહાની-શાહાબાદ માર્ગ પર આ બંને શાળાઓ આવેલી છે છતાં પણ ગામમાં એક પણ રોડ પર બમ્પ બનાવવામાં આવ્યા નથી. જેના કારણે વાહન ચાલકો પોતાના વાહનો ખૂબ જ ઝડપી સ્પીડમાં ચલાવી રહ્યા હોય છે. શાળામાંથી બાળકો છૂટે છે અને જાય છે ત્યારે ખૂબ જ જોખમ રહેલું છે. એક દિવસ કુણાલની માતા તેને શાળાએ સવારના સમયે મુકવા માટે ગઈ હતી.
તે સમયે એક કાર ચાલક ખૂબ જ ઝડપી સ્પીડમાં પોતાની કાર લઈને આવી રહ્યો હતો અને રસ્તા પર એક પણ બમ્પ ન હોવાને કારણે તેમણે કારને ધીમી કરી નહીં અને કુણાલ પોતાની માતાની આંગળી પકડીને જઈ રહ્યો હતો. જેમાં અચાનક માતાની આગળથી છૂટો પડી જતા આ કાર ચાલકે કુણાલ સાથે ટક્કર મારી દીધી હતી.
બાળક ત્યારે ત્યાં રોડ પર પટકાઈ ગયું હતું. કુણાલને કાર ચાલકે ટક્કર મારતા જ તે ખૂબ જ ઘાયલ થયો હતો, જેના કારણે આસપાસના સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને ઘણા બધા વાલીઓ પણ ભેગા થયા હતા. પકડવાની કોશિશ કરી હતી પરંતુ કાર ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ભાગી ગયો હતો.
તરત જ કુણાલને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. કુણાલની માતા આઘાત સહન કરી શકી નહીં તેમની નજર સામે તેમના દીકરાએ જીવ ગુમાવ્યો હતો.
કાર ચાલકની બેદરકારીને કારણે તેમના દીકરાનું મૃત્યુ થયુ હોવાને લીધે તેમણે પોલીસ સ્ટેશનમાં કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદની નોંધ લઈને કારચાલકની તપાસ કરી રહી હતી. પરિવારમાં એકના એક દીકરાનું મૃત્યુ થઈ જતા પરિવારના લોકો શોકમાં આવી ગયા હતા. પોલીસ આગળની તપાસ કરી રહી હતી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]