Breaking News

માતા તેના પ્રેમી સાથે પલંગ પર રંગરેલીયા મનાવતી હતી અને દીકરો અચાનક જ ઘરે આવીને જોઈ જતા માતાએ કર્યું એવું કે.. જાણો..!

હાલમાં કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે બીજાને મુશ્કેલીમાં ધકેલી દેતા હોય છે. મધ્યપ્રદેશ રાજ્યના શાજાપુર શહેરમાં આવો જ એક હચમચાવી દે તો બનાવો સામે આવ્યો છે. જ્યાં એક માતાએ પોતાના સ્વાર્થ માટે પોતાના સગા બાળકનો જીવ લઈ લીધો છે. મધ્યપ્રદેશ રાજ્યના સાજાપુર શહેરના જાટપુરા વિસ્તારમાં સુરેશ સુર્યવંશી અને તેનો પરિવાર રહેતો હતો.

સુરેશ સુર્યવંશી ફળ વેચવાનું કાર્ય કરતો હતો. તેની સાથે દરરોજ તેને મદદ કરવા માટે તેનો પુત્ર વરુણ અને પુત્રી અંજલી આવતા હતા. સુરેશ ની પત્ની મમતા આખો દિવસ ઘરે રહેતી હતી. તેમજ ઘરના તમામ કામ કરતી હતી. ગઈકાલે વરુણ નો જન્મદિવસ હતો. સુરેશ સૂર્યવંશી વરૂણનો જન્મદિવસ હોવાથી સાંજે કેક લઈ ને આવવાનો હતો.

જેથી વરુણ જન્મદિવસની તૈયારીઓ કરવા માટે બપોરે જ ઘરે આવી ગયો હતો. જ્યારે અંજલી અને સુરેશ સાંજે કેક લઈને ઘરે પહોંચ્યા ત્યારે તેઓ ઘરમાં વરુણ નો મૃતદેહ જોઇને ચોકી ગયા હતા. તેમણે તરત જ જાટપુરા પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સુરેશના ઘરની તપાસ શરૂ કરી હતી. તેમજ આસપાસના પાડોશીઓની પૂછપરછ કરવામાં આવી હતી.

પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે બપોરે 2:30 વાગે આજુબાજુ મમતાને મળવા માટે સંજય બામણીયા નામનો વ્યક્તિ ઘરે આવ્યો હતો. આ ઉપરાંત તેમના પાડોશી એ જણાવ્યું કે સંજય આગળ પણ અવારનવાર મમતાને મળવા આવતો હતો. આ ઉપરાંત હાલમાં મમતા પણ ઘરે હાજર ન હતી. જેથી પોલીસને તે બંને ઉપર શંકા ગઈ હતી.

પોલીસે તે બંનેની શોધખોળ શરૂ કરતા મમતા તેના ઘર નજીકના ખેતરમાંથી મળી આવી હતી. તેની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું કે મમતા નું સંજય બામણીયા સાથે ઘણા લાંબા સમયથી અફેર ચાલતું હતું જેથી તે મમતાને મળવા અવારનવાર તેના ઘરે આવતો હતો. ગઈકાલે સંજય જ્યારે મમતાને મળવા તેના ઘરે આવ્યો હતો ત્યારે તે બંને ઘરે એકલા હતા.

એ જ સમયે વરુણ અચાનક જ ઘરે પહોંચી ગયો હતો. વરૂણે તેની માતા મમતા અને સંજયને આપતિજનક સ્થિતિમાં જોઈ લીધા હતા. વરૂણને પોતાની સામે જોઈને મમતા ખૂબ જ ગભરાઈ ગઈ હતી. સંજય અને મમતાએ પોતાની બદનામી ન થાય તે માટે વરૂણનું ઓશિકા વડે મોઢું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

ત્યારબાદ મમતા એ સંજય બામણીયા ને ભગાડીને પોતે ખેતરમાં છુપાઈ ગઈ હતી. પોલીસે પોતાના તમામ ચક્રો ગતિમાન કરીને સંજયને પણ ઝડપી પાડ્યો હતો. તેમજ પોલીસે પણ ટૂંક સમયમાં જ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. પરિવારમાંથી એક 12 વર્ષીય જુવાન પુત્ર નું મૃત્યુ થતાં પિતા સુરેશ, બહેન અંજલી તેમજ સમગ્ર પરિવાર શોકમગ્ન થઇ ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *