ગુજરાતમાં મહિલાઓની સલામતી માટે જોર જોરથી ભાષાનો આપવામાં આવે છે. સરકાર મહિલા સશક્તિકરણની માત્ર વાતો જ કરે છે. કારણકે રિયલ લાઇફમાં મહિલાઓ સાથે થતા અત્યાચાર અને અડપલાં બનાવો આટલી બધી માત્રામાં સામે આવી રહ્યા છે કે જે વાંચ્યા બાદ તમે પણ કહી બેસશો કે શું ખરેખર આ ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત છે..?
હાલ અમદાવાદમાં મહિલા સાથે શારીરિક અડપલાં બનાવો સામે આવ્યા છે. અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષની યુવતી પોતાની માતા સાથે સાંજના સમયે શહેરના ACE બ્રીજ પાસે ચાલવા માટે નીકળી હતી. તેઓ અવારનવાર જમ્યા બાદ સાંજે વકિંગ કરવા માટે નીકળતા હોય છે..
તેઓ એસીઈ બ્રિજ નજીક ચાલી રહ્યા હતા. એ સમય દરમ્યાન પાછળના ભાગેથી બાઈક પર ત્રણ લુખ્ખા તત્વો થી આવ્યા હતા. અને 20 વર્ષની આ યુવતીનો હાથ પકડીને શારીરિક અડપલાં કરવા લાગ્યા હતા. આ જોતાની સાથે જ યુવતીની સાથે ચાલતી તેની માતાએ પણ આ યુવકને રોકવાની કોશિશ કરી હતી…
પરંતુ નરાધમ ત્રણ યુવકો તેમની હરકત કરવાનું બંધ કર્યું ન હતું. એવામાં યુવતીનો ભાઈ તે સ્થળે હાજર થઈ ગયો હતો. અને તેણે પોતાની બહેનને બચાવવા કોશિશ કરી હતી. અને ત્રણે યુવકો અને પોતાની બહેનથી દૂર રહેવા માટે જણાવ્યું હતું. પરંતુ ત્રણે યુવકો રોષે ભરાઇ ગયા હતા..
અને યુવતીના ભાઇને ઢોર માર માર્યો હતો. એવામાં આસપાસના લોકો ત્યાં હાજર થઇ જતા ત્રણેય લુખ્ખા તત્વો ત્યાંથી ભાગી ગયા હતા. આ બનાવ બનતાની સાથે જ યુવતી અને તેની માતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણેય લુખ્ખાઓ સામે ફરિયાદ નોંધાવી દીધી છે. આ બનાવ બનતા જ સૌ કોઈ લોકો મૂંઝવણમાં મુકાઇ ગયા છે…
અને વિચારવા લાગ્યા છે કે જો કોઈ યુવતી પોતાની માતા સાથે ચાલી રહી હોય અને તેની સાથે નરાધમ યુવકો અડપલા કરવા લાગતા હોય તો તમે વિચારી શકો છો કે દીકરી એકલી રસ્તા પર ચાલતી જતી હોય તો તેની સાથે અને આ લોકો શું કરી નાખશે..? આ વિચારની સાથે જ સૌ કોઈ લોકો હચમચી જાય છે…
આજે બહેનો દીકરીઓની સલામતી ઉપર ખૂબ મોટા પ્રશ્નો ઉદ્ભવી રહ્યાં છે. પરંતુ તંત્ર આ પ્રશ્ને હાલ કરવા માટે નિષ્ફળ નિવડયું છે. પોલીસે તપાસના આધારે બાઈક પર આવેલા ત્રણ ત્રણ યુવકો રાજ વર્મા વિષ્ણુ શર્મા અને મયુર સામે કાયદાકીય પગલાં હાથ ધર્યા છે તેમજ આગળની તપાસ શરૂ કરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]