Breaking News

માતા-પિતા રાજસ્થાન જતા જ જાણીતા ડોકટરે પોતાના ઘરે અડધી રાત્રે ફાંસો ખાઈને ટૂંકાવી દીધું જીવન, પરિવાર થયો રડી રડીને બેહાલ..!

જે વ્યક્તિઓ શારીરિક અને માનસિક રીતે ખૂબ જ તૂટી ગયા હોય તેવા લોકો પોતાનું જીવન ટૂંકાવી દેવા આપઘાત જેવું પગલું ભરી લે છે. સમાજના ઘણા ખરા લોકો આ પ્રકારનું પગલું ભરી લેતા પરિવારજનો ખુબ જ દુઃખી થઈ જતા હોય છે. તેમજ પરિવારમાં શોકની લાગણી વ્યાપી જતી હોય છે. પરંતુ જે લોકો ખુબ જ સંપત્તિ અને માન-સન્માન ધરાવે છે..

તેવા લોકોને પણ કોઈક ને કોઈક દુખાવાને કારણે અંતે આપઘાતના પગલાં તરફ વળ્યા છે. હાલ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં જાણીતા એક ડૉક્ટરે આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. આ ડોક્ટર નું નામ અંકિત દેસાઈ છે. જે પારડી તાલુકામાં નેત્રદાંત નામની આંખ અને દાંતની હોસ્પિટલ ચલાવે છે.

તેમની પત્ની વ્યવસાયે ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. ડોક્ટર અને તેમની પત્ની બંને રાત્રે જમ્યા બાદ સુઈ ગયા હતા. એ દિવસે ડોક્ટર અંકિત દેસાઈના માતા પિતા રાજસ્થાન ગયા હતા. ઘરે માત્ર તેઓ પોતે અને તેમની પત્ની બંને હતા. પત્ની સુઈ ગઈ ત્યારે તેઓ બીજી રૂમમાં ચાલ્યા ગયા હતા અને ચુંદડી લગાવીને ફંદો તૈયાર કર્યો હતો..

અને ત્યારબાદ તેઓએ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સવારમાં જ્યારે તેમની પત્ની જાગી અને જોયું તો તેમની બાજુમાં અંકિત દેસાઇ સૂતેલા હતા નહીં. એટલા માટે તેઓ ઘરમાં જોયું તો ઘરની અન્ય એક રૂમમાંથી તેઓ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. આ જોતાની સાથે જ તેમની પત્ની ચીસો નાખી બેઠી હતી અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા..

તેઓની સાંભળીને આસપાસના પડોશીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા અને જોયું તો ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તેમનો મૃતદેહ પણ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પડોશીઓ પણ ખૂબ જ મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. આ બાબતની જાણ સ્થાનિક પોલીસને પણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો..

અને મૃતદેહને પરથી નીચે ઉતારીને જરૂરી તપાસની કામગીરી હાથ ધરી હતી. ડોક્ટર અંકિત દેસાઇ હકીકતમાં આપઘાત કર્યો છે કે, પછી તેના મોત પાછળ કોઈ અન્ય કારણ જોડાયેલો છે. આ બાબતોને લઇને ઘણા બધા સવાલો ઉભા થઇ રહ્યા છે. પરંતુ આ તમામ સવાલોના જવાબ ડોક્ટર સાહેબના મૃતદેહને પોસ્ટ મોર્ટમ બાદ જ ખબર પડશે.

ઘણા લોકોનું કહેવું છે કે પોલીસ આવે એ પહેલાં જ તેમના મૃતદેહને નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. ડોક્ટર સાહેબના મૃત્યુનું સાચુ કારણ જાણવા માટે પોલીસ ખૂબ જ મથામણ કરી રહી છે. ડોક્ટર અંકિત દેસાઈના માતા પિતા વલસાડ જિલ્લાના પાલી વિસ્તારમાં રહે છે. શનિ-રવિ દરમિયાન તેમના માતા-પિતા અને અંકિત દેસાઇ તેમજ તેમની પત્ની ચારેય વ્યક્તિઓ સાથે રહે છે..

પરંતુ તેમના માતા-પિતા જ્યારે રાજસ્થાન ખાતે ફરવા ગયા ત્યારે અંકિતાએ આપઘાત કરી લેતા પરિવારજનો માટે આફતોના વાદળ ફાટી નીકળ્યા છે. હાલ પરિવારના તમામ સભ્યો દુખની લાગણીમાં ચાલ્યા ગયા છે. પરિવારના એક ના એક મોભી એવા દીકરા અંકિત દેસાઈએ આપઘાત કરી લેતા આ મામલા પાછળના કારણ જાણવા સૌ કોઈ આતુર છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *